SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી વિજ્યપદ્યસરિકતયાવચ્ચાયુરભંગુર નિજહિતે તાવઃ બુધેર્યચતાં કાસારે સ્ફટિતે જલે પ્રચલિતે પાલિ કથં બાધ્યતે ? ર છે ઉપરની બીના ધ્યાનમાં લઈને સાધના કરનારા ભવ્ય જીવે શ્રી ભરતચકી આદિની માફક રાજ્યાદિ સુખસંપદાને પામે છે, તથા કીતિને પણ પામે છે. આયુષ્યની ક્ષણભંગુરતા ધ્યાનમાં લઈને નિર્મલ ધર્મની સાધના કરવી એ આ ત્રીજા અને ચોથા સારનું રહસ્ય છે. (૫) શરીરને સાર : પરોપકાર. શરીરને સાર પપકાર છે. તેના બે ભેદ આ પ્રમાણે જાણવા-(૧) દ્રવ્ય પરોપકાર અને (૨) ભાવ પરોપકાર. ધર્મિષ્ઠ છે સ્વભાવે કરીને સામાને દુઃખી જોઈને દુઃખી થાય છે અને સુખી જોઈને રાજી થાય છે. કોઈ માણસ સાધનના અભાવે દુઃખી અવસ્થા ભેગવતો હોય, તો તેને જોઈતાં સાધને પૂરા પાડવાં, એટલે કે દ્રવ્યાદિના ભેગે પણ સામા માણસની વિપત્તિ દૂર કરવી તે દ્રવ્ય પરેપકાર કહેવાય. બીજે ભાવ પરોપકાર-જે જ પ્રમાદને લઈને આરાધના કરવામાં બેદરકારી રાખતા હોય, તેમને શાંતિ અને પ્રેમ ભરેલાં વચનથી સારણ, વારણા, ચોયણું, પડિચેયણા કરીને ધર્મના રસ્તે દોરવા અને જેઓ ધર્મની સાધના કરતા હોય, તેમને ધર્મકિયાના દઠરાગી બનાવવા તે ભાવ પરેપકાર કહેવાય. આ બાબતમાં પ્રભુશ્રી મહાવીરદેવે મેઘકુમારને હિતશિક્ષા દઈને ચારિત્ર ધર્મમાં સ્થિર કર્યો વગેરે દષ્ટાંતો “શ્રી ઉપદેશપ્રાસાદ” વગેરેમાંથી જેઈ લેવા. પરોપકાર એ પુણ્ય કમને બાંધવાનું અદ્વિતીય કારણ છે. તથા જેમ રેશમી વસ્ત્ર શરીરને શોભાવે છે, તેમ પરેપકાર લક્ષ્મીને શોભાવે છે. અને કહ્યું છે કે પરોપકાર સુસ્તિકમૂલં, પરોપકાર: કમલાદુકુલં છે પરોપકાર: પ્રભુતાવિધાતા, પરોપકાર શિવસૌખ્યદાતા છે ૧ | આ બાબતમાં એક માછલાનું દષ્ટાંત જાણવા જેવું છે, તે ટૂંકામાં આ પ્રમાણે છે: પ્રતિષ્ઠાન પુરમાં એક ધનવાન શેઠ કંજૂસાઈ વગેરે દોષને લઈને દાનાદિ ધર્મની કંઈ પણ સાધના કરતો ન હતો. છેવટે તે આર્ત ધ્યાનમાં મરણ પામી તે જ નગરની સામેના તળાવમાં માછલો થયો. અહીં તળાવની પાળ ઉપર (શાલિવાહન રાજાને જીવ) એક શેઠ સુપાત્ર દાન આપતો હતો. આ બનાવ જોઈને માછલાને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે દાનેશ્વરી શેઠ મુનિદાનના પ્રભાવે પ્રતિષ્ઠાન પુરમાં શાલિવાહન નામે રાજા થયો. તે ૩વાડીએ ફરવા નીકળ્યા. ફરતાં ફરતાં તળાવની પાળ ઉપર આવ્યું. ત્યારે તે મેટા માછલાએ રાજાને જે, અને વિચાર્યું કે આ રાજાને જે રાજ્યઋદ્ધિ વગેરે સાહિબી મળી છે તે પાછલા ભવમાં દીધેલા સુપાત્ર દાનને જ પ્રભાવ છે. એમ જાણીને લેકેને આ Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy