SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ( શ્રી વિજ્યપધરિતવશ રાખી શક્યા નહિ. વળી ચારે કષાયને જીત્યા નહિ, ધ્યાન દયા દાન અને તપની પણ સાધના કરી નહિ, અને પરોપકાર પણ કર્યો નહિ, તથા તીર્થસ્થાને લક્ષ્મીને વાપરી નહિ. અરેરે, અમારા દિવસે ફેગટ ચાલ્યા જાય છે. આ રીતે તેઓ પસ્તાવો કરતાં કરતાં દુર્ગતિમાં ચાલ્યા જાય છે એમ સમજીને દયાની આરાધના કરનારા ભવ્ય છ પુણ્યાનુબંધી પુણ્યને બાંધીને તેને ફલો ભેગવતાં જોગવતાં અંતે મોક્ષને પણ પામે છે. આ દયા ગુણના વર્ણનમાં પ્રભુશ્રી સંભવનાથે દેશનામાં નહિ કહેલી એવી પણ “વિક્રમ રાજાનું દષ્ટાંત વગેરે” બીના કહેલી છે, તે હાલના ભવ્ય જીને દયાને સમજવામાં પરમ ઉપકારક જાણીને કહી છે એમ સમજવું. પુણ્યાનુબંધી પુણ્યને બાંધવાના બીજા કારણ તરીકે જણાવેલ વૈરાગ્યના સંબંધમાં સમજવા લાયક જરૂરી બીના એ છે કે-જે જીવને રાગ ન હોય, તે વિરાગ કહેવાય. તેની જે ભાવના તે વૈરાગ્ય કહેવાય. જ્યાં રાગ હોય, ત્યાં આગ જરૂર સળગી ઊઠે છે. એટલે પદ્ગલિક પદાર્થોના રાગી અને જ્યાં સુધી તે ઈષ્ટ પદાર્થો ન મળે, ત્યાં સુધી તેમના હૃદયમાં આ ધ્યાનાદિ રૂપ અગ્નિ બળતો જ રહે છે. તેથી તેઓ પરમ અશાંતિને જોગવતાં ધર્મારાધન ચૂકીને દુર્ગતિમાં જાય એમાં નવાઈ શી? આવી ભાવનાથી મન વચન કાયાના પેગની ચપલતા દૂર કરીને મોક્ષને આપનારા વૈરાગ્ય ભાવનાદિ વેગોને આરાધીને કેણે મોક્ષના સુખ મેળવ્યા ? તે સંબંધમાં ઉજિઝત મુનિનું દષ્ટાંત ખાસ સમજવા જેવું છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવું મનેવાયોગાનાં, ચાપલ્ય દુઃખદં મતમ્ | તત્યાગાત્મક્ષયેગાનાં, પ્રાપ્તિ સ્વાદુઝિતાદિવત ૧૫ ભાવાર્થ–“મન વચન અને કાયાની ચપળતા દુઃખદાયક કહેલી છે. તે ચપળતાને ત્યાગ કરવાથી ઉક્ઝિત મુનિ વિગેરેની જેમ વૈરાગ્યાદિને પ્રકટાવનાર મે ગની પ્રાપ્તિ થાય છે.” ઉન્ઝિત મુનિની કથા. નંદિપુરમાં રત્નશેખર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને રત્નમતી વિગેરે રાણીઓ હતી. તેમને મૃતવત્સાનાં દેષને લીધે જેટલાં બાળકે થતાં તે સર્વ મરી જતાં હતાં. તે દેષના નિવારણ માટે તેણે અનેક ઉપાયો કર્યા, પણ તે સર્વ નિષ્ફળ ગયા. એકદા રાણીને એક પુત્રને પ્રસવ થયે. તે પુત્રને મરણ પામેલાજ ધારીને ઉકરડામાં નાંખી દીધો.દેવવશે તે પુત્ર મરણ પામે નહિ તેથી તેને ઉકરડામાંથી પાછો લઈ લીધો. તેથી તેનું નામ ઉઝિતા કુમાર પાડયું. અનુક્રમે તે યુવાવસ્થા પામ્યો, પરંતુ સ્વભાવેજ મનમાં અત્યંત અહંકારી ૧ મરેલા બાળક અવતરે તેવો દોષ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy