SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શનાચિંતામણિ ] સુખની નક્કી પ્રાપ્તિ થાય છે. તેથી વિવેકની સ્થિરતા થવાથી નિજ ગુણ રમણતાનંદમાં એટલે આત્માના જ્ઞાનાદિક જે સ્વાભાવિક ગુણે તેની રમણતા એટલે તેમાં તન્મયપણું થવાથી જે ખરા આનંદની પ્રાપ્તિ થાય તેથી તે જીવ સુખમાં હાલે છે એટલે સુખને ભગવનારે થાય છે. માટે જેમ નવ નિધાને સુખને આપનારાં ગણાવ્યાં છે તેનાથી પણ ચઢિઆત આ વિવેક અથવા નિજ ગુણ રમણતાને આનંદ દશમે નિધિ છે એમ તમે ચિત્તમાં વિચારજો. ૧૩૧ મેક્ષમાગરાધનામાં એહની છે મુખ્યતા, એહનાજ અભાવથી દુખ દુર્ગતિન પામતા અનુભાવથીજ વિવકના બીજા ગુણે પણ ખીલતા, દેષ દૃષ્ટિ વિનાશ વીલ્લાસ સિદ્ધિ પામતા. ૧૩૨ સ્પલ્ટાઈ–મેલ માર્ગની આરાધના કરવામાં આ વિવેક ગુણની મુખ્યતા છે. કારણ કે જ્યારે તે વિવેક ગુણ પ્રકટ થાય છે ત્યારે જીવ ઉંચી હદે ચઢતા જાય છે અને અંતે મોક્ષને મેળવે છે. અને જ્યાં સુધી તે વિવેકગુણ પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી જીવે નરકાદિ દુર્ગતિનાં દુઃખ ભેગવે છે. વિવેકના પ્રભાવથી બીજા ગુણે પણ ખીલે છે. કારણ કે વિવેકથી આસમાને હિતકારી ને અહિતકારી શું શું છે? તે સમજાય છે. અને તેથી જે આત્માને હિતકારી હોય તેની આરાધના કરવાથી ગુણોની વૃદ્ધિ થાય છે. અને તેજ વિવેકના પ્રતાપે દોષદષ્ટિ (બીજાના દોષને જેનારી દષ્ટિનો) અથવા મોહની જે દષ્ટિ એટલે દુઃખનાં સાધનોને સુખકારી મનાવનારી દષ્ટિને નાશ થાય છે. તેમજ વિલાસ એટલે આત્માની શક્તિઓને વિકાસ થાય છે. તેથી તે જીવ સઘળાં કર્મોને નાશ કરી છેવટે મેક્ષ સુખને અવશ્ય મેળવે છે. આ પ્રસંગે દષ્ટાંત સાથે વિવેક ગુણનું સ્વરૂપ અને વિવેક ગુણને ધારણ કરનારા આસન્નસિદ્ધિક જીનું સ્વરૂપ સમજવાથી ભવ્ય જી જરૂર વિવેક ગુણને ધારણ કરતાં તેના પ્રતાપે બીજા પણ ગુણને પામીને વિવેકી બની શકે છે. તેથી તે બંનેની (વિવેક અને વિવેકી જીવની) બીને ટૂંકામાં આ પ્રમાણે જાણવી કર્મ છવં ચ સંલિષ્ટ, સર્વદા ક્ષીરનીરવત્તા વિભિન્નકુરુતે સૌ, મુનિહસ વિવેકવાન છે ૧ છે ભાવાર્થ – “કાયમ દૂધમાં ભળેલા પાણીની જેમ એકરુપ થઈ ગયેલા કર્મને અને જીવને આ વિવેકી મુનિ પી હંસ જૂદા કરે છે.” હંસની જીભમાં સ્વાભાવિક ખટાશ હેવાથી તેમાં (દૂધ પાણીમાં) જીભ બળતાની (અડતાની) સાથે જ દુધના કૂચા થઈ જાય છે, તે વખતે હંસ કૂચા ખાઈ જાય, ત્યારે પાણી ત જૂદું દેખાય છે. માટે મુનિને હંસની ઉપમા આપી છે– જ્ઞાનાવરણી આદિક કર્યો અને સચ્ચિદાનંદ સ્વરુપ છવ તે હંમેશાં દૂધ મિશ્રિત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy