SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ શિનાચિંતામણિ ] ઈન્દ્ર મહારાજ ચાર શ્લોકમાં પ્રભુની સ્તુતિ કરે છે – વિનવ્યા વિણ પરતણા ઉપકાર કરનાર તમે, સંબંધ વિણ બાંધવ સમા છે સર્વના જિનજી તમે, વિમલ વાણુ શીલવંતા શરણને લાયક તમે, તુજ ચરણનું શરણ હોજો પ્રતિભવે કહીએ અમે. ૧૨૦ સ્પદાર્થ – હે જિનજી! તમે વિનંતિ કર્યા સિવાય તમામ જીવોની ઉપર ઉપકાર કરનારા છે. વળી તમે કઈ પણ જાતની સગાઈ ન હોવા છતાં પણ સર્વના બાંધવ સમાન એટલે ભાઈ જેવા છે. હે શીલ ગુણવાળા પ્રભુજી ! તમારી વાણી સ્પષ્ટ અને નિર્મલ છે, માટે સર્વે જીવો પોત પોતાની ભાષામાં સમજી જાય છે. આવા ગુણવાળા હે પ્રભુજી ! તમેજ અમોને શરણ કરવા લાયક છે. અથવા આશ્રય કરવા યોગ્ય છે. માટે જ અમે કહીએ છીએ કે હે પ્રભુજી ! અમને ભ ભવને વિષે આપના ચરણ કમળનું શરણું મળજો. ૧૨૦ આપ છે પ્રભુ શાંત તે પણ વીર વ્રતધારી તમે, કર્મ કાંટા કૂટનારા સામ્ય શમધારી તમે છો મહેશ અભાવ છતાં ને નરક છેદી અગદ છે, છે અરાજસ તે છતાં પણ બ્રહ્મરૂપ પ્રભુ આપ છે. ૧૨૧ સ્પદાર્થ –હવે ઇદ્ર મહારાજ વિરોધાભાસ નામના અંલકારને ગોઠવીને આ રીતે પ્રભુની સ્તુતિ કરે છે કે-હે પ્રભુ ! આપ સ્વભાવે શાંત છતાં વીર પુરૂજ (તેજી સ્વભાવવાળા જીવો) જે મહાત્રની આરાધના કરી શકે, તેવા મહાવ્રતોને ધારણ કરનાર છે. અહીં પ્રભુએ ઘણી વાર બહુજ અશાંતિને દેનારા વિષય કષાયાદિ અંતરંગ શત્રુઓને સર્વથા નાશ કર્યો છે, તેથી પ્રભુ સંભવનાથને શાંત કહ્યા છે. ને કાયર પુરૂષ મહાવ્રતો જેવા આકરા વ્રતની આરાધના (પાલન) કરી શકે જ નહી. પણ સહનશીલતા શીલ ક્ષમાદિ ગુણને ધારણ કરનારા વીર પુરૂષજ તે મહાવ્રતોની આરાધના કરવાને સમર્થ હોય છે. આ સીધી રીતે જણાવેલા અર્થમાં લગાર પણ વિરોધ અર્થની અપેક્ષાએ જણાતું નથી. પણ મહાયુદ્ધાદિ પ્રસંગે એવું દેખાય છે કે-જે પુરૂષ શાંત હેય એટલે શત્રુઓને વીરતા (ક્રરતા) દેખાડીને હંફાવે નહી, તે લડાઈમાં વિજયને પામતો નથી. એટલે શાંતિ ગુણ અને વીરતા ગુણ માંહોમાંહે વિરોધી ગુણો છે. જ્યાં શાંતિ હોય, ત્યાં વિરતા ન હોય. ને જ્યાં વિરતા હોય, ત્યાં શાંતિ એટલે ક્રોધાદિને અભાવ જણાતો નથી. આપણે નજરે નજર જોઈએ છીએ કે જેઓ સ્વભાવે શાંત હોય તે જી વીરતા એટલે લડાઈમાં વિજય પમાડનારા શૌર્યને ધારણ કરનારા હોતા નથી. કારણ કે કૂરતા દેખાડયા વિના બાહ્ય શત્રુઓને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy