SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પછી તરતજ દેવ ભવની શરૂઆત થાય છે. આ દેવભવમાં પણ ભાવ તીર્થકર જીવની (જે હાલ દેવ રૂપે વતે છે તેની) બીજા સામાન્ય દેથી વિશિષ્ટતા અપૂર્વ હોય છે. કારણ કે પુણ્યવંત છવની ભાવના ભાષા અને પ્રવૃત્તિ વૈરાગ્યના રંગથી રંગાએલી હેય છે. આજ મુદ્દાથી તેમને દેવભવની સાહિબી વિગેરે પણ રૂચતા નથી, ને તેઓ તીર્થકર દેના કલ્યાણના મહત્સવ વગેરે ધાર્મિક વિધાનની પરમ ઉલ્લાસથી આરાધના કરતાં એવા અપૂર્વ સુખ શાંતિ ને આનંદને પામે છે, કે જેની આગળ દેવતાઈ સુખ વગેરેને ઘાસ કરતાં પણ હલકાં (તુચ્છ) માને છે. આવા નિર્મલ વિચારાદિ સ્વરૂપ લક્ષણથી તેમનું સમ્યગ્દર્શન ઉંચ કેટીનું છે, એવો નિર્ણય જરૂર થઈ શકે છે. આવા દ્રવ્ય તીર્થંકર ચાલુ દેવ ભવમાં પણ જિનનામ કર્મના પ્રદેશોદય વગેરે અસાધારણ કારણના આલંબનથી જલદી મનુષ્ય ભવ સંયમાદિ શુભ સામગ્રીને પામી મોક્ષને મેળવવા ચાહે જ એમાં નવાઈ શી? આ પ્રસંગે ખાસ જાણવા જેવી નવમા દેવલોકાદિના દેવેની ભવસ્થિતિ વગેરેની બીના પણ સમજાવી છે. (૬૧-૬૫) પ્રભુશ્રી સંભવનાથના આ બે ભવના વર્ણનમાંથી એ પણ સહેજે સમજાય છે કે પ્રભુ જે (વિપુલવાહન રાજાના) ભવમાં સમ્યકત્વ પામ્યા, તેજ ભવમાં તેમણે જિનનામ કમને બન્ને પ્રકારને (અનિકાચિત અને નિકાચિત)બંધ કર્યો અને જેથી અવશ્ય ભાવ તીર્થંકરપણું પમાય છે એ જિનનામ કમને નિકાચિત બંધ સર્વવિરતિ ચારિત્રની આરાધના સહિત કરેલ વીશસ્થાનકાદિ તપ આદિથી થાય છે. તેમાં પણ અસાધારણ કારણ વિશસ્થાક તપની આરાધના તો જરૂર થવી જ જોઈએ. કારણ કે વર્તમાન ચોવીશીના દરેક તીર્થકરે કરેલ જિનનામ કર્મના નિકાચિત બંધના વર્ણનમાં તે (વિશસ્થાનક)ની આરાધનાથી જિનનામ કમને નિકાચિત બંધ કર્યો એમ કહ્યું છે. આ રીતે જણાવવાનું રહસ્ય એ છે કે – ભાવી તીર્થકરને જીવ સિંહનિષ્ક્રીડિત તપ આદિ તપશ્ચર્યાદિની આરાધના કરે, અથવા ન પણ કરે પણ વિશસ્થાનક તપની આરાધના તે જરૂર કરે જ. કારણ કે તે વિના નિકાચિત બંધ થાય જ નહિ. આ બાબતમાં બીજે વિચાર એ પણ ઉદ્દભવે છે કે-ચૌદ પૂર્વેના સાર રૂપ નમસ્કાર મહામંત્ર (પંચમંગલ મહાશ્વત સ્કંધ)ને સમાવેશ (અંતર્ભાવ) શ્રી સિદ્ધચક્રમાં થાય છે, ને શ્રી સિદ્ધચક્રને સમાવેશ શ્રીવીશસ્થાનક તપમાં થાય છે. એટલે વિશસ્થાનક તપની આરાધનામાં તે બંને (નવકાર અને સિદ્ધચક)ની આરાધના સમાય છે. આવા અનેક મુદ્દાઓને લક્ષ્યમાં લઈને જણાવ્યું છે કે-જિનનામ કમને નિકાચિત બંધ થવામાં અસાધારણ કારણ એ (વીશસ્થાનક) તપની આરાધના છે. ૬૬ થી ૭૦ મા શ્લોક સુધીના પાંચ શ્લોકમાં પ્રભુશ્રી સંભવનાથના ચ્યવન કલ્યાણકની હકીકત છે. અને ૭૧-૭૪ સુધીના ૪ કે માં જન્મની બીના, તથા ૭૫-૭૯ સુધીના પાંચ કેમાં પ્રભુની સૌધર્મેન્દ્ર કરેલી સ્તવના જણાવીને ૮૦-૮૫ સુધીના ૬ શ્લોકમાં પ્રભુના પિતા જિતારિ રાજાએ કરેલા જન્મોત્સવ તથા બાલ્યાવસ્થા વગેરેનું સ્વરૂપ જણાવ્યું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy