SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ( શ્રી વિપરિતઅને અતિશય તીર્થકર સિવાયના જીવને ન હોય. માટે હું આપને બીજા સામાન્ય જીવથી વિલક્ષણ માનું છું. ૭૫ ઈગ સહસી ને આઠ લક્ષણ ધારનારા આપ છો, જન્મ કલ્યાણક બલે કલ્યાણકારક આપ છો; જીવનમાં અપ્રમત્તતા દેનાર પણ પ્રભુ આપ છો, કલ્યાણ જેવા તેજને વિસ્તારનારા આપ છે. ૭૬. સ્પષ્ટાથ :–હે પ્રભુ! તમે ગળાની નીચેના ભાગથી નાભિ (ડુંટી) સુધીમાં એક હજાર ને આઠ ઉત્તમ લક્ષણોને ધારણ કરનારા છો, તેમજ જન્મ કલ્યાણકના શુભ અવસરે તમે સર્વ જીવોના કલ્યાણ (હિત, ભલું) કરનારા પણ છે. વળી હે પ્રભુ ! જીવનમાં અપ્રમત્ત ભાવને એટલે પ્રમાદ હિતપણાને આપનારા પણ તમે છે. વળી કલ્યાણ એટલે આત્માને લાભદાયી હિત કરનારા સેના જેવા ચળક્તા આત્મિક તેજને ફેલાવનાર પણ તમે છે. ૭૬ અકલંક ચંદ સમા પ્રભુ જ્યાં આપ પુણ્ય પ્રકટતા, તે રાત આખી છે પ્રશસ્યા પુણ્યવંતા દેખતા; આપ પ્રભુને વાંદવાને આવતા વંદન કરી, પાછા જતા દેવાદિથી નરલેક આ નિયમે કરી. હાલ સ્વર્ગતણું સમાજ જણાય પ્રભુજી આપના, | દર્શનામૃત પાનથી સંતુષ્ટ દેવે સ્વર્ગના ચાહે ન જીર્ણ થયેલ અમૃત ભરતક્ષેત્ર સરવરે, કમલ જેવા આપના ધ્યાને પરમ લય માહરે. ભમરા પરે થઈ જાવ જેઓ આપનું દર્શન કરે, ધન્ય તેઓ સ્વર્ગ કેરા રાજ્યથી અધિક ખરે, આપના દર્શન તણે ઉત્સવ સુખદ દર્શન બલે, | દર્શન નવું પામે ઘણાં જીવ લબ્ધ દર્શન થીર કરે. સ્પષ્ટાર્થી–હે પ્રભુ! કલંક રહિત ચંદ્રમાં સરખાં તમે જે રાત્રિમાં અમારા પુણ્યના ઉદયથી પ્રગટ થયા એટલે જન્મ ધારણ કરે છે તે આખી રાત્રી પણ પ્રશસ્યા એટલે વખાણવા લાયક છે. આ અવસરે પ્રભુના જન્મ કલ્યાણકને ઉત્સવ તથા દર્શન તેમજ વંદન કરવાને આવતા જતા દેવ તથા ઇન્દ્રો વગેરે જેથી આ મનુષ્યલોક છતાં પણ હાલમાં દેવલેક જે તે (મનુષ્યલક) દેખાય છે. વળી હે પ્રભુજી! આપના દર્શનરૂપી અમૃતના પાનથી બહુ જ સંતોષ પામેલા દેવે સ્વર્ગના જીર્ણ એટલે જુના થઈ ગએલા ૭૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy