SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનચિંતામણી ]. તથા અઢીસો અભિષેક કેવી રીતે દેવે કરે છે તે બધાનું વિસ્તારથી વર્ણન દેશના ચિંતામણિના પહેલા ભાગમાં કરેલું હેવાથી અહીં ફરીથી કહ્યું નથી. ૭૩ અચ્યતેન્દ્રાદિક ક્રમે અભિષેક છેલ્લે શકને, અભિષેક કારક લાભ પામે આત્મ નિર્મલતાદિને; શકેન્દ્ર વિસ્તારે કરી અભિષેક સાધે નિર્જ, પ્રભુને સ્તવે ઈમ તે વિણાસે પ્રચુર કર્મી આકરા. ૭૪ પાર્થ –પ્રથમ બારમા દેવલોકના અધિપતિ અય્યતેન્દ્ર પ્રભુને અભિષેક કરે છે અને અનુક્રમે બીજા બાસઠ ઇદ્રોના અભિષેક થયા પછી સૌધર્મેન્દ્ર છેલ્લા અભિષેક કરે છે. પ્રભુને અભિષેક કરનાર દેવોને અટલે સ્નાન કરનારા દેવને આત્માના ગુણોની નિર્મળતા વગેરે ઘણાં લાભ થાય છે. કેન્દ્ર એટલે સૌધર્મેન્દ્ર વિસ્તારપૂર્વક પ્રભુને અભિષેક કરીને નિર્જર એટલે ઘણાં કર્મનો નાશ કરે છે. બનાવ કરીને તે કેન્દ્ર પ્રભુની આગળની ગાથામાં જણાવે છે તે પ્રમાણે સ્તુત કરે છે અને તેથી ઘણાં આકરાં કર્મોને પણ ખપાવે છે. ૭૪ ઈન્દ્ર મહારાજ પાંચ કે વડે પ્રભુની સ્તુતિ કરે છે – હે વિશ્વના પાલક પ્રત્યે ! ધરનાર ! સત્ય સમૃદ્ધિના, - ત્રીજા જિનેશ્વર ! હું નમું છે આપ દાતા મુક્તિના જગમાં વિલક્ષણ આપે છે આ જન્મસિદ્ધ ત્રણ જ્ઞાનથી, તેમ ચારે અતિશયેથી તુજ સમો પર કો નથી. ૭પ સ્પષ્ટાથ :–હે પ્રભુ! આપ વિશ્વનું પાલન કરનારા એટલે રક્ષણ કરનાર છે. વળી આપ સત્ય સમૃદ્ધિ એટલે સાચી ઋદ્ધિ જે જ્ઞાન, દર્શન અને ચારિત્ર તેને ધારણ કરનારા છે. વાસ્તવિક રીતે આત્માની જ્ઞાન દર્શન અને ચારિત્ર એજ સાચી ઋદ્ધિ છે એ ભૂલવું ન જોઈએ, કારણ કે આમાની આ જ્ઞાનાદિ ઋદ્ધિનો કદાપિ નાશ થતો નથી. હીરા, માણેક, ઝવેરાત વગેરે નાશવંત હોવાથી પરભવમાં જતાં પણ આત્માની સાથે નહિ આવતા હોવાથી તે તે કહેવાની (નામની) ઋદ્ધિ છે અથવા ખોટી ઋદ્ધિ છે. આપની જ્ઞાનાદિની ઋદ્ધિ તેવી નથી, માટે તે ત્રીજા જિનેશ્વર દેવ ! હું તમને નમસ્કાર કરું છું. કારણ કે તમે મોક્ષના સાચા સુખના આપનારા છે. અને તમે જગતની અંદર વિલક્ષણ છે એટલે બીજા બધા જ કરતાં ચઢિયાતા છો. મને અહીં તમારા સરખે બીજે કઈ દેખાતે નથી. કારણ કે તમે જન્મથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાનથી રહિત છે. તેમજ ૧ પ્રભુનું શરીર પરસેવા રહિત હોય છે. ૨ મુખનો શ્વાસ સુગંધિ હોય છે. ૩ લેહી માંસ દૂધ જેવા સફેદ હોય છે. ૪ ચર્મ ચક્ષુવાળા જીને પ્રભુને આહાર નીહાર (વડીનીતિ)અદશ્ય હોય છે. આ ચાર અતિશયે જન્મથી તમારામાં રહેલા છે. આવા ૩ જ્ઞાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy