SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ શ્રી દશનાચિંતામણિ ભાગ બીજે ] સંસારમાં ને મેક્ષમાં સુખમાં અને દુખમાં વલી, જ્યારે ઉદાસીનતા ભજે વૈરાગ્ય સતત તદા બલી; કોઈને છે દાખ ગર્ભિત જ્ઞાન ગર્ભિત કોઈને, - જ્ઞાન ગર્ભ વિરાગતાના સ્થાન? નમીએ આપને. ૧૦૫ સ્પદાર્થ – હે પ્રભુ તમે સંસારને વિષે તથા મેક્ષને વિષે, તેમજ સુખને વિષે અને દુઃખને વિષે જયારે ઉદાસીનપણને ધારણ કરે છે ત્યારે પણ આપને વૈરા. ગ્ય જ હંમેશાં પૂર જોશમાં પ્રવર્તે છે. કેઈને દુઃખગતિ વૈરાગ્ય હોય છે, જ્યારે પિતાના સુખ ભેળવવામાં અડચણ આવે છે અને અનેક જાતનાં દુઃખ આવી પડે ત્યારે માણસને સંસાર પ્રત્યે જે અણગમે થાય, તે દુખ ગર્ભિત વૈરાગ્ય કહેવાય. આ વૈરાગ્ય સંસારમાં ઘણુને થાય છે. તથા તેનાથી ઉલટો જે વૈરાગ્ય તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. આ જ્ઞાનગતિ વૈરાગ્ય ચેડા જ ભવ્ય જીને થાય છે. દુઃખગર્ભિત વૈરાગ્ય લાંબે વખત ટકી શકતો નથી, કારણ કે તે દુઃખે જતાં રહેતાં પાછો સંસારમાં જીવ આસક્ત થાય છે. જ્યારે જ્ઞાનગર્ભિત વિરાગ્ય સમજણ પૂર્વક હોવાથી લાંબો વખત ટકે છે અને તેના આલંબનથી આત્મહિત જરૂર સાધી શકાય છે. આવા જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય રસથી ભરેલા એવા હે પ્રભુજી! આપને નમસ્કાર કરીએ છીએ૧૦૫ સર્વને ઉપકારના કરનાર પ્રભુજી આપ છો, શરણ કરવા યોગ્ય શુભ વૈરાગ્ય ભાજન આપે છે, દેવ ભવ સફલ કર્યો દીક્ષા તણે ઉત્સવ કરી, આવો સમય મલજો સદા તુજ પદ કમલની ચાકરી. ૧૦૬ સ્પષ્ટાર્થ:-- હે પ્રભુજી! આપ આ સંસારના સર્વ જેના ઉપર ઉપકાર કરનારા છે, વળી તમે શરણ એટલે આશરો લેવા લાયક છે, કારણ કે કર્મ રૂપી શત્રુથી ત્રાસ પામેલા આ સંસારી જો તમારું શરણ સ્વીકારીને સુખ શાંતિને પામે છે. વળી સારા વૈરાગ્યના સ્થાન આપી છે. તમારો દીક્ષાને ઉત્સવ કરવાનો પ્રસંગ મળવાથી મારો આ દેવપણને ભવ સફલ થયે, એવું હું માનું છું. વળી આવો સમય મને ભવોભવ વાર: વાર મળજો જેથી આપના ચરણ કમલની સેવા ભક્તિ કરવાને પ્રસંગ મને ઘણીવાર ફરીથી પ્રાપ્ત થાય. ૧૦૬ હવે સગર કુમારે કરેલી પ્રભુની સ્તુતિ ચાર લોકેમાં જણાવે છે -- અંજનાચલ આદિમાં નંદીશ્વરે સવિ સરવા, અષ્ટાહ્નિકા રંગે કરી સ્વસ્થાન પહોંચ્યા નિરા ગદ્દગદ ગિરાએ હાથ જોડી સગર પ્રભુને સંથણે, જીવન કમલ દિનેશ પ્રભુજી આપ પામે વિજયને, ૧૦૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy