SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ - - * 1. "' I કોર 1. ૫૦ [ શ્રી વિપરિકૃતદાન લેનારની સ્થિતિ જણાવે છે – ભાગ્યને અનુસાર પામે દાન આપે બહુ છતાં, દાન હિતકર સર્વને ઈમ બેધ પ્રભુજી આપતા ગ્રાહકો લઈ દાન નિજ ઘર જાય કરતા ચિત્રને, પેસતા નિજ ઘર વિષે દઈ સેગને સ્વજનાદિને. ૯૬ સ્પષ્ટાર્થ-જે કે પ્રભુજી તે દરેકને ઘણું ધન આપે છે. પરંતુ દાન લેનારા તે પિતાના નસીબ પ્રમાણે દાન મેળવે છે. અથવા તેમનાથી પિતાના ભાગ્ય પ્રમાણેનું જ દાન લઈ શકાય છે. પ્રભુ પણ “દાન સર્વ જેને હિતકારી છે એ પ્રમાણે બોધ આપે છે. જ્યારે ગ્રાહકે એટલે દાન લેનારા ભવ્ય જીવો દાન લઈને પોતાના ઘેર જાય છે ત્યારે ચિત્રને કરતા એટલે જેનારા જેને આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. કારણ કે તેઓ ઘેરથી નીકળ્યા હેય છે ત્યારે અને જ્યારે દાન લઈને આવે છે ત્યારે તેમના પહેરવેશ વગેરેમાં દાનના પ્રભાવથી જે ફેરફાર થાય છે તેથી ઘરનાં માણસો પણ તેમને ઓળખી શકતા નથી. તેથી આશ્ચર્ય પામે છે. અને સ્વજનાદિને એટલે સગાં વહાલાંઓને તે તેજ માણસ છે” એમ સોગનખાવા પૂર્વક જણાવીને (ખાત્રી કરાવી આપીને) પોતાના ઘરમાં પ્રવેશ કરે છે. અન્ય શાસ્ત્રોમાં વાર્ષિક દાનને વિધિ ટૂંકામાં આ પ્રમાણે જણાવ્યું છે–પ્રથમ શક્રેન્ડની આજ્ઞાથી ધનદ નામે લોકપાલ આઠ ક્ષણમાં નિપજાવેલા સેળ માસા પ્રમાણવાળા શ્રી તીર્થકર દેવના પિતાના નામથી અંકિત અને વાર્ષિકદાનને ચગ્ય એવા સેનયાથી તીર્થંકર દેવના ભંડાર ભરી દે છે. સૂર્યોદયથી ૬ ઘડી વીત્યા બાદ વાર્ષિક દાનની શરૂઆત થતાં એક પહેરમાં ૧ કોડ આઠ લાખ સોનિયાનું દાન કરે છે. એક વર્ષમાં દીધેલા ૩૮૮ કેડ ૮૦ લાખ સોનૈયાની બીના "શ્રી આવશ્યકાદિમાં જણાવી છે. શ્રી તીર્થંકર પ્રભુના હાથે દાન લેવાનો પ્રસંગ ભવ્ય જીજ પામી શકે એમ અભવ્ય કુલકમાં જણાવ્યું છે ત્યાં વાર્ષિક દાન ઉપરાંત બીજ પણ ૩૬ વાનાં અભવ્ય જીવો ન પામે, એટલે સર્વ મળી ૭ વાનાં ભવ્ય જીજ પામી શકે એમ જણા વ્યું છે. તે ૩૭ વાનાં આ પ્રમાણે જાણવા-૧ ઈપણું ૨ અનુત્તર વિમાનવાસી દેવપણું. ૩ તેસઠ સલાકા પુરૂષોની પદવી ૪ નારદપણું પ કેવલિને હાથે ને ગણધરના હાથે દીક્ષા, ૬ તીર્થકરને હાથે વાર્ષિક દાન ૭ શાસનના અધિષ્ઠાયક દેવદેવીપણું ૮ લોકાંતિકપણું ૯ દેવેનું સ્વામિપણું ૧૦ ત્રાયસ્વિંશક દેવપણું ૧૧ પરમાધામિપણું ૧૨ જુગલિયા મનુષ્યપણું ૧૩ સંનિશ્રોતો લબ્ધિ ૧૪ પૂર્વધરની લબ્ધિ ૧૫ આહારક લબ્ધિ ૧૬ પુલાક લબ્ધિ ૧૭ મતિજ્ઞાનાદિકનીલબ્ધિ ૧૮ સુપાત્રદાન ૧૯ સમાધિમરણ ર૦ વિદ્યાચારણપણું તથા જંઘાચારણપણું ૨૧ મધ્યાશ્રય લબ્ધિ ૨૨ ક્ષીરાશ્રવ લબ્ધિ ૨૩ ક્ષીણમોહ ગુણઠાણું ર૪ તીર્થકર અને તીર્થકરની પ્રતિમાના શરીરના ઉપભેગ (વપરાશ)માં આવવાના કારણરૂપ પૃથ્યાદિક ભાવ ૨૫ ચૌદ રત્નમાં ઉપજવું ૨૬ વિમાનોનું સ્વામિપણું ૨૭ સભ્ય જ્ઞાન દર્શન ચારિત્ર તપ વગેરે ભાવ તથા ઓપશમિક ક્ષાયિક ક્ષાપથમિક ભાવ ૨૮ અનુભવ સહિત ભકિત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy