SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપદ્મસૂરિકૃત સ્પા:—જેવી રીતે કરાળીએ પાતાની લાળમાંથો નીકળતા તાંતણા વડે વીંટાય છે તેવી રીતે આ સંસારી જીવ કપાશે એટલે કર્મ રૂપી જાળથી વીંટાએલા છે. તે છતાં પુણ્યના ઉદય જાગે તેા જ ન્રુભવ એટલે આ મનુષ્ય ભવ પમાય છે. તે મનુષ્ય ભવ મળે છતે જો વધારે પુણ્યના ઉડ્ડય હાય તા આ દેશાદિક એટલે આ ક્ષેત્ર, ઉત્તમ કુલ, ઈન્દ્રિયાની પૂર્ણતા વગેરે મળે છે. અને તે સાધના મળ્યા છતાં જે જીવા આત્મહિત એટલે પેાતાના આત્માનું કલ્યાણ કરનાર ધર્મની આરાધના કરતા નથી તે ખરેખર જમવાનું ભાજન મળ્યા છતાં ભૂખ્યા રહેનાર મનુષ્યની જેવા મૂર્ખ જાણુવા ૯ જાય અધમુખ જલ પરે જડ બેઉ ગતિ તાખે છતાં, સાધતા નહિ સ્વાર્થ સમયે સાધવાને ધારતા; ધર્માંસાધન પૂર્વ કાલે મરણુ અણુધાયુ લહે, આશા ગગનના જેવડી મનના મનેારથ મન રહે. ૧૦ સ્પષ્ટા :-જલ પરે એટલે જેમ પાણી અધમુખ એટલે નીચી જમીન તરફ જાય છે તેવી રીતે જડ એટલે મૂર્ખ અથવા અણુસમજી પુરૂષ બેઉ ગતિ એટલે ઉર્ધ્વ ગતિ તથા અધાતિ અને પેાતાના તાબામાં હાવા છતાં પણ અાગતિમાં જાય છે ને સ્વાર્થને સાધતા નથી. વળી વિચારે છે કે હજી ધર્મ સાધવાને ઘણા વખત મળશે. એવું ધારીને તેમાં ઢીલ કરે છે, ને ધર્મ સાધન કરવા માટે તૈયારી કરે તે પહેલાં અણુધાયુ એટલે અકસ્માત અથવા પાતે ન ધાયું હેાય તેવા વખતે તે મરણને પામે છે. કારણ કે મરણુ ક્યારે આવશે તેની કેાઈને ખખર પડતી નથી. સંસારી જીવાની આશા તેા ગગનના જેવડી એટલે આકાશની પેઠે પાર વિનાની છે. પરંતુ મરણુ પામતાં મનના મનારથ એટલે ચ્છિા મનમાં જ રહી જાય છે અને કાંઇ પણ ધર્મારાધન કર્યા વિના જીવને આ ભવની ઋદ્ધિ વગેરે મૂકીને ઈચ્છા વિના ચાલ્યા જવું પડે છે. ૧૦ Jain Education International કાળ તસ્કર ફાળ મારી પકડતા સા નિરખતા. ક કર્યાં ભાગવે દુઃખ અદ્ધ કર્માદય થતાં; પુત્રાદિ મારા તેમના હું સત્ય ના એ માન્યતા, નિજ દેહ પેાતાના નથી તેા તેહ કિમ તારા થતા. ૧૧ સ્પષ્ટા :—કાળ તસ્કર એટલે મૃત્યુ રૂપી ચાર સૌ સગાં વહાલાં જોતાં હાય તે છતાં ફાળ મારીને એટલે એકદમ જીવને પકડે છે. અહો' તાત્પર્ય એ છે કે મરણુ ખાલ્યાવસ્થામાં થશે, યુવાવસ્થામાં થશે કે ઘડપણમાં થશે તેનો કોઇને ખબર પડતી નથી. બહુ ક્રોદય એટલે પ્રથમનાં બાંધેલાં કર્મોના જ્યારે ઉદય થાય છે ત્યારે તે કર્મના કરનારો જીત્ર જ દુ:ખને ભાગવે છે, પરંતુ સ્ર પુત્રાદિકને પેાતાના ગણીને તેમને માટે જે કર્મો બાંધ્યા હાય છે તેમાંથી કાઈ જરા પણ ભાગ લઇ શકતું નથી. પુત્રાદિ એટલે પુત્ર પુત્રી For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy