SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ Aો દેશના ચિંતામણિ ભાગ બીજો] દેશના ચિંતામણિને ભાગ બીજે પૂર્ણતા, પામે અહીં વાચકલહા નિજ આત્મ ગુણગણ રમણતા; દેવ વિમલેશ્વર તથા ચકેશ્વરી પદ્માવતી, વિઘ હરજે સંઘના પૂરે સકલ વાંછિત તતિ. ૪૧૭ ૫ટાર્થ:–અહીં આ દેશના ચિંતામણિ નામના ગ્રન્થને બીજો ભાગ પૂરો થાય છે. એટલે આ ગ્રન્થમાં જણાવવામાં આવેલ બીજા શ્રી અજિતનાથનું ચરિત્ર તથા તેમની દેશના પૂરી થાય છે. હું ઈચ્છું છું કે, આ ગ્રન્થને વાંચનારા જે પિતાના આત્મ ગુણની રમણતાને પામે. અથવા આ વાંચીને સંસાર ઉપરની મેહ દશાનો ત્યાગ કરીને પિતાના આત્માના ગુણો જ્ઞાનાદિની રમણુતા અથવા જ્ઞાનાદિના આનંદને પામે. વળી શ્રી સિદ્ધચક્ર ભગવંત અને વિમલેશ્વર દેવ તથા ચક્રેશ્વરી અને પદ્માવતી નામની શાસન દેવીઓ ચતુવિધ સંઘના વિદ્ગોને હરજો એટલે નાશ કરે. વળી સંઘની સકલ વાંછિત તતિ એટલે સંઘના સર્વ મનોરથને પૂરા કરજો. ૪૧ ગ્રન્થ પૂરે થવાની સાલ વગેરે તથા તેની પ્રેરણાથી ગ્રન્થ રચના કરી તે જણાવે છે – સાગર ગગન આકાશ નયન પ્રમિત વિકમ વર્ષના, આશ્વિન તણી ધનતેરશે ગુરૂ નેમિ સૂરીશ્વર તણા; પદ્મસૂરિ દેશના ચિંતામણિ પર ભાગને, શ્રાદ્ધ જેસંગભાઈ આદિ તણી સ્વીકારી વિનતિને, ૪૧૮ સ્પષ્ટાર્થ: સાગર એટલે ૪ ગગન એટલે ૦, આકાશ એટલે છે, અને નયન એટલે ૨ એટલે સંવત ૨૦૦૪ની સાલમાં આ મહિનાની ધનતેરસને દિવસે ગુરૂ મહારાજ શ્રીનેમિસૂરીશ્વરજીના વિયાણ વિજયપત્રસૂરિએ દાનાદિ સગુણ શ્રેષ્ટિવર્ય શેરદલાલ જેસંગભાઈ કાલીદાસ વગેરે સંઘની વિનંતિને સ્વીકાર કરીને આ શ્રી દેશના ચિંતામણિ મહાગ્રંથના બીજા ભાગની રચના પૂર્ણ કરી બનાવ્યો. ૪૧૮ આ ગ્રન્થની રચનામાં કાંઈ ભૂલચૂક હોય તે માટે ગ્રન્થકાર માફી માગે છે – રાજનગરે વિરચતા ભૂલચૂક માફી માગતા, ભાવભક્તિ કરી પ્રભુની જીવન સફલું માનતા દેશના વિસ્તારમાં પ્રભુ શેષ જીવન ટૂંકમાં, વર્ણવ્યું શશિની પરે છે ગ્રંથ વિજયી વિશ્વમાં. ૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy