________________
ટ
પિતાને નમસ્કાર કરવું પડતું હતું. અહીં ચારિત્રધારી મુનિવરે “સામે મને વાંરે એમ ચાહે જ નહિ. પણ તેવા ગુણવંત સાધુઓને જોઈને નમસ્કાર કરનારા છે એમ વિચારે છે કે-અહો ! આ પુણ્યશાલી મહાત્માઓને ધન્ય છે કે જેઓ કંચન અને કામિનીને ત્યાગ કરી ઉભે પગે સંસારને છોડી સાચા હૃદયના બાદશાહ બની પંખીની જેમ એક ગામથી બીજે ગામ અપ્રતિબદ્ધપણે વિચરી સંસારના ત્રિવિધ તાપથી તપેલા દુઃખી માનવેને સાચા સુખને પામવાને સરિયામ રસ્તે બતાવી રહ્યા છે. બતાવે તે પણ નાટકીયાની માફક નહિ પણ તે બાદશાહી સરિયામ રસ્તામાં પોતે નિર્ભયપણે ચાલીને બતાવે છે. અને અમે તે જે સ્ત્રી કુટુંબ દોલત આદિ પદાર્થો જન્મતાં સાથે લાવ્યા નથી અને જેઓ મરતી વખતે સાથે આવનાર નથી, તેમજ બીજા ભવમાં ગયા પછી જે સ્ત્રી આદિ પદાર્થો યાદ પણ આવવાના નથી. વળી જેઓના મેહમાં ફરીને અમે ભભવ સુખને દેનાર પવિત્ર ધર્મને પણ ભૂલી ગયા, તેવા પદાર્થોની ઉપાધિમાં રાચી માચી અનેક વિડંબના ભોગવી રહ્યા છીએ. પાપકર્મના તીવ્ર ઉદયથી વનને પણ ઉલ્લેધી ગયા, એટલે ૬૦ થી પણ વધારે ઉંમર વીતી ગઈ, છતાં અમને વૈરાગ્યને અંકુરે પણ પ્રકટ નહિ. હવે તે જરૂરી ખાત્રી થઈ કે વાળ ધળા થયા, પણ બુદ્ધિ ધળી થઈ નથી. માટે અમે આ મધથી લેપાયેલ તરવારની ધાર જેવા અથવા કંપાક ફલની જેવા વિષયોને છોડી શકતા નથી. અને જેમણે ત્રિવિધ ત્રિવિધે અશવેને છેડયા છે તેવા આ સંયમધારી મહાપુરૂષને અમે વંદન સેવા કરી માનવ ભવને સફલ કરીએ. આવી ઉત્તમ ભાવના ભાવીને તેવા મેટા મહદ્ધિક રાજા વિગેરે પુણ્યશાલી છ મુનિવરેને વંદના નમસ્કાર ઉપાસના વિગેરે કરે છે. આ પ્રણાલિકા મેવાડના રાજ્યમાં પણ રાણુ પ્રતાપસિંહના સમયથી માંડીને હાલ પણ પ્રત્યક્ષ દેખાય છે. અમે પણ નજરે જોયું છે કે સામા આવતા ત્યાગી મહાત્માઓને દેખીને રાણુ ફત્તેસિંહજી વાહન ઉભું રખાવી ઉભા થઈને બંને હાથે મસ્તકે લગાડી નમસ્કાર કરતા હતા. તેમ નવીન રાણા ભેપાલસિંહજી પણ તેવાજ વિવેકી છે. એમ અનર્ગલ લક્ષ્મીવાળા રાજા વિગેરે ગુણ માન ચારિત્રના જ પ્રભાવે સાધુઓને નમે છે. ચારિત્રવંત પુરૂષોને આહાર વસ્ત્ર ધનને સ્થાનાદિની બીલકુલ ચિંતા હતી જ નથી, અને જ્ઞાનાભ્યાસમાં પણ સંપૂર્ણ અનુકૂલતા હોય છે. અહીં પ્રશમ સુખને અપૂર્વ આનન્દ મળે છે અને પરભવમાં મેલને અથવા વિશિષ્ટ સ્વર્ગને લાભ મળે છે, પણ દુર્ગતિ મળે જ નહિ. આ બધે લાભ ચારિત્રને સમજીને ઉત્તમ વિવેકી પુરૂષોએ જરૂર ચારિત્રને અંગીકાર કરી નિર્મલ ભાવથી સાધીને મેક્ષ લક્ષ્મીના સુખ મેળવવા, એજ માનવ જીંદગીનું સાચું ફલ છે. જે કે દર્શન અને જ્ઞાન તે તરતમતાએ બીજી ત્રણ ગતિમાં પણ સંભવે છે, પરંતુ સર્વવિરતિ રૂપ ચારિત્ર એક મનુષ્યગતિમાં જ હોય છે. એટલે તે બાકીની દેવાદિ ત્રણ ગતિમાં હોતું નથી. માટે જ અનુત્તર વિમાનવાસી દેવે કે જેઓ નિશ્ચય કરી નિમલ સમ્યગ્દષ્ટિ જ અને શ્રેષ્ઠ અવધિ જ્ઞાનવંત હોય છે અને થોડા ભામાં મેક્ષે જનારા છે તથા સિદ્ધશીલાની નજીકમાં રહ્યા છે છતાં તેઓ ચારિત્રના જ અભાવે મુક્તિમાં જઈ શકતા નથી. એમ સર્વ વિરતિરૂપે ચારિત્રના જ અભાવે દેશવિરતિવાળા તિર્યંચે પણ મુક્તિપદ પામી શક્તા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org