SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ થી દેશના ચિંતામણિ ભાગ બીજો ] સ્પષ્ટાથે--હવે લોક કેને કહેવાય છે તે જણાવે છે. જે આકાશ ક્ષેત્રમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુરાલાસ્તિકાય વગેરે દ્રવ્ય રહેલાં છે તેને તેમ કહેવામાં આવે છે. અથવા લોકાકાશ કહે છે. અને તે ચૌદ રાજલોક પ્રમાણ જાણ. તે સિવાય બાકીનું બધું આકાશ જે અનંત છે તે અલકાકાશ કહેવાય છે. તેમાં કાકાશના દ્રવ્યલેક, ક્ષેત્રક, કાલક અને ભાવ લેક એમ ચાર ભેદ જાણવા. તેમાં રહેલા છ દ્રવ્ય ઉત્પાદ એટલે ઉપજવું, વ્યય એટલે નાશ પામવું, તેમજ ધોવ્ય એટલે દ્રવ્ય રૂપે કાયમ રહેવું એમ ત્રણ ધર્મો વાળા જાણવાં. એટલે આ લેકમાં અનાદિ કાળથી ધર્માસ્તિકાય વગેરે જે દ્રવ્ય છે તેમાંથી કેઈ પણ દિવસે કોઈ પણ રીતે એક પણ દ્રવ્ય ઘટતું કે વધતું નથી. કારણ કે આ દ્રવ્ય અનાદિ કાળથી સ્વયંસિદ્ધ છે. તેમાં કેઈનાથી ઉમેરો કરી શકાતું નથી. તેમજ નાશ પણ કરી શકાતો નથી આ લોકને નીચેને આકાર વેત્રાસન જેવે એટલે નેતરની ખુરશી જેવું જણાય છે. અહીં દરેક દ્રવ્યમાં ઉત્પાદ વ્યય ઘોવ્ય ધર્મો રહેવાની બાબતમાં સોનાનું દષ્ટાંત સમજવા જેવું છે, તે ટુંકામાં આ પ્રમાણે-કઈ માણસ એક સેનાની લગડીમાંથી કંદરે કરાવે, ત્યારે સમજવું કે કદર રૂપ પર્યાયની ઉત્પત્તિ થઈ. તે કદરાને ગળાવી કંઠી બનાવે, ત્યારે સમજવું કે કંદરા રૂપ પર્યાયને નાશ થયે, ને કંઠો પર્યાયની ઉત્પત્તિ થઈ. અહીં પહેલા સેનાની લગડી હતી, તેમાંથી અનુક્રમે કંદરે અને કઠી કરાવી, તે બંને વખતે સોનું તે તેનું તેજ કાયમ રહે છે. એ પ્રમાણે સંસારી જી નારકીપણું વગેરે પર્યાય ભેગવીને મનુષ્ય પણું વગેરે પર્યાય પામે, ત્યારે પણ પહેલાં જે આત્મા નારક વગેરે રૂપે હત, તેજ આત્મા મનુષ્યપણું વગેરે પર્યાય પામે છે એમ સમજવું. નારકી મારીને મનુષ્ય થાય, ત્યારે નારકપણ રૂ૫ પર્યાયને નાશ અને મનુષ્યત્વ પર્યાયની ઉત્પત્તિ સમજવી. બંને વખતે આત્મા એક જ હોવાથી તે આત્માનું ધ્રુવપણું કહેવાય. આ રીતે તમામ ધામાં ઉત્પાદાદિ ધર્મો રહ્યા છે. ૧૭૬ લકના ભેદ વગેરે જણાવે છે– મધ્યમાં ઝાલર સમે ને ઉપર મૃદંગસમો જિહાં, અધોતિચ્છ ઉદ્ઘ ભેદે લેક ત્રિવિધ કહ્યો તિહાં બલિ ઘોદધિ વાત ને તનુવાતથી વીંટાયેલી, સાત પૃથ્વી એહ નીચે અનુક્રમે મેટી લી. ૧૭૭ ૫ષ્ઠાથે--આ લેકને મધ્યમાં ઝાલર સરખે આકાર છે અને ઉપરના ભાગમાં મૃદંગ નામના વાજિંત્ર સરખે આકાર છે. અધોલેક (નીચે), તિછોક (મધ્યમાં) અને ૧ મહેપ બાય શ્રીવિનયવિજયજી ગણિએ ભલે કાકડિયાર ભાગમાં લેકનું સ્વરૂપ વિસ્તા રથી સમજાવ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy