SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપત્રસૂરિકૃતગોમંડપ કહેવાય, અહીં ભીમ નામના કુટગ્રાહી (મચ્છીમાર વગેરે જાતિ)ની ઉત્પલા નામની ભાર્યાને ખરાબ ગર્ભના પ્રભાવે ગાયનું માંસ ખાવાને દેહલ થયે. ભીમે ગોમંડપમાંથી માંસ લાવીને દેહલે પૂર્યો. તે બેલે ત્યારે ગાયે ત્રાસ પામતી હતી, તેથી તે ભોમ ગોત્રસ નામે પ્રસિદ્ધ થયે, ગાયનું માંસ ખાવું વગેરે પાપ કરીને તે ભીમ નરકે ગયે, ત્યાંથી નીકળી વિજય મિત્ર સાર્થવાહ અને સુભદ્રાને પુત્ર થયે, તેને ઉકરડામાં ત્યાગ કર્યો તેથી તેનું ઉજિઝતક નામ પડયું, વિજય મિત્ર સમુદ્રની મુસાફરી કરતાં મરણ પામ્યા તે જાણી શેકથી સુભદ્રા પણ મરણ પામી, સ્વજનેએ ઉજિઝતકને વ્યસની હોવાથી ઘરમાંથી કાઢી મૂક્ય, તે વેશ્યામાં આસકત થયે. તેથી રાજાએ દંડ કર્યો. ત્યાંથી કરીને બીજા ભવેમાં ભમીને ઈદ્રપુરમાં વેશ્યાને પિતૃસેન નામે નપુંસક પુત્ર થયે, અહીંથી મરીને પહેલી નરકે ગયે, સુસુમાર વગેરેના ભેમાં ભમીને ચંપા નગરીમાં શ્રાવક કુલે જન્મ પામી અવસરે સાધુ પણું પાલી રહેલા દેવલેમાં દેવપણું ભેગવી મહાવિદેહે સિદ્ધ થશે. ત્રીજા અભગ્નસેન નામના અધ્યયનમાં કહ્યું છે કે-પુરિમતાલનગરમાં અમેઘદર્શિ યક્ષનું મંદિર હતું, શાલા નામની ચેર પલ્લીને વિજય નામે ચોર ઉપરી હતું તે ગામને લુંટવું વિગેરે પાપ કર્મ કરીને આજીવિકા ચલાવતો હતો. તેને સ્કંદશ્રી નામે ભાર્યા તથા અભગ્નસેન નામે પુત્ર હતો. અહીં નગરમાં શ્રી વીર પ્રભુ પધાર્યા. અભગ્નસેનના કુટુંબને ૧૮ ચૌટામાં ફેરવીને રાજાએ તેને મારી નખાવ્યું. તેના પૂર્વભવની બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી–તે અભનસેન ચાર પૂર્વ ભવમાં અન્યાયી અંડ નામે વાણિયો હતો, ત્યાંથી મરી ત્રીજી નરકે જઈ અહીં છંદશ્રીને દેહલે પૂર્ણ થતાં પુત્રને જન્મ થયે. તેનું અભસેન નામ પાડયું. અનુક્રમે મેટે થતાં ચેરની સેનાને અધિપતિ થયે તેણે એક બાલકને મારી નાંખ્યો. દેશના લેકેએ ભેગા મળીને મહાબલ રાજાની આગળ ફરિયાદ કરી તે સાંભળી રાજાએ તેને દંડ કરવાનો હુકમ ફરમાવ્યું. આ વાત કેઈએ અભસેનને કહી દીધી, રાજાના સિપાઈયાએ વિશ્વાસ પમાડી તેને પકડયો. સાથે તેના કુટુંબને પણ પકડી લીધું. ને સર્વેને મારી નાખ્યા. અહીં અભગ્નસેન મરીને નારક વગેરે ભવમાં ભમીને હિંસાદિ કરવાથી કરેલા કર્મો સંયમથી ખપાવી અંતે મેક્ષે જશે. અહીં સમજવા જેવી બીના એ છે કે પ્રભુની હયાતી છતાં નિરૂપક્રમ કર્મ જન્ય ઉપદ્રવ પ્રભુના અતિશયથી પણ ટળી શકતા નથી હવે ચેથા શકટાધ્યયનમાં કહ્યું છે કે-શાખાંજની નગરીના દેવપૂમણ નામના બગીચામાં અમેઘ નામના યક્ષનું મંદિર હતું. આ નગરીને મહાચંદ્ર રાજા, તેને સુસેન નામે પ્રધાન હતે અહીં સુદર્શના નામે વેશ્યા રહેતી હતી સુભદ્ર શેઠની ભદ્રા સ્ત્રીને શકટ નામે પુત્ર હતો, અહીં શ્રી વીર પ્રભુ પધાર્યા વગેરે બીના જણાવી તેને પૂર્વભવ કો. તેમાં જણાવ્યું કે-આ શકટ નામે પુત્ર પાછલા ભવમાં છગલપુરે સિંહગિરિ રાજાના રાજ્યમાં છણિક નામે છગલિક (બકરા વેચવાને ધંધે કરનાર) હતો, અહીં હિંસાદિ પાપ કર્મો કરી મરીને ચાથી નરકે ગયા પછી અહીં સુભદ્ર શેઠના શકટ નામના પુત્ર પણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy