SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપદ્મસૂકૃિત અથવા ચૈત્યવૃક્ષ કહેવાય છે. પ્રભુને જયારે કેવલ જ્ઞાન થાય ત્યારે તેરમું સયેાગી કેવલી નામનું ગુણુ સ્થાનક તેમને હાય છે. આ ગુણુઠાણામાં પ્રભુ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી પ્રભુ ધ્યાનાતીત દશામાં વર્તે છે. એટલે આ વખતે પ્રભુ શુકલ ધ્યાનના ત્રીજા ચાથા ભેદમાંના કાઇ પણ ભેદને ધ્યાવતા નથી, તે વખતે તેમને શુકલ લેશ્યા ડાય છે. તથા શુકલધ્યાનાતીત એટલે શુકલ ધ્યાનથી રહિત હૈાય છે. તથા આ ગુણુઠા જ્યાં સુધી પ્રભુ રહે છે ત્યાં સુધી એક શાતા વેદનીયના બંધ કરે છે. કારણ કે ત્યાં સુધી ચેાગ હાય છે અને ચાગ હાય ત્યાં સુધી શાતા વેદનીય મંધાય છે. ૧૨૬. પ્રભુની જેવા ત્રણ પ્રતિબિંબ શાથી જણાય છે ? તે કહે છેઃ— ત્રણ દિશાએ વ્યતા પ્રતિબિંબ શ્રેષ્ઠ વિદ્યુતા, પ્રભુ પુણ્યથી ત્રણ તે જિનેશ્વર દેવ જેવા લાગતા; પ્રત્યેક વિદિશા પટ્ટા ત્રણ એમ મારે પદા, ૧૨૭ ઈંદ્ર શુણતા તીર્થપતિને ટાળવા ભવ આપદા. સ્પષ્ટા :—સમવસરણમાં પ્રભુ પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસે છે. ખાકીની ત્રણ દિશાઓમાં અન્તર દેવા પ્રભુના ત્રણ શ્રેષ્ટ પ્રતિષિએ વિષુવે છે. આ ત્રણે પ્રતિષિ પ્રભુના પુણ્ય પ્રભાવથી પ્રભુના રૂપના જેવા લાગે છે, પરંતુ વ્યન્તા પ્રભુના રૂપ જેવા પ્રતિષિએ કરવાને સમર્થ નથી. ચારે વિદિશાઓમાં એટલે ચારે ખુણામાં ત્રણ ત્રણ પ દાએ એસે છે એટલે ખાર પદાઓ થાય છે. તે આ પ્રમાણે:—'સાધુ, સાધ્વી તથા વૈમાનિકની દેવીઓ, એ ત્રણ પાઁદા પૂર્વ દિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરીને ૧ શુકલ ધ્યાન--ધ્યાનના ચાર પ્રકારમાંથી આ ચેથુ' ધ્યાન જાણુંનું. આ ધ્યાનના ચાર પ્રકાર છે, તે થ્યા પ્રમાણે:--૧ પૃથકત્વ વિતર્ક સવિચાર, ૨ પૃથકત્વ વિતર્ક અવિચાર, ૩ સુમક્રિયા અપ્રતિપાતી, ૪ પુચ્છિન્નક્રિયા અનિવૃત્તિ. આ ચાર ભેદનું ટુંકુ સ્વરૂપ નીચે પ્રમાણે:-- ૧ પૃથકત્વ વિતર્ક સવિચાર—પૃથકત્વ એટલે અનેકપણું, વિતર્ક એટલે શ્રુત, વિચાર એટલે અર્થ, વ્યંજન અને યોગાના સક્રમ. એટલે પૂર્વ શ્રુતને અનુસારે એક દ્રવ્યને વિષે વિવિધ પ્રયોગાના અથ, વ્યંજન અને ચાંગાના સંક્રમણુ યુક્ત વિચાર કરવા તે. જેમકે પૂર્વધર મુનિ પૂર્વ શ્રુતને અનુસારે પરમાણુ આફ્રિ એક દ્રવ્યના ઉત્પાદ, સ્થિતિ અને નાશરૂપ વિવિધ પર્યાયોના વિચાર કરતા દ્રવ્યથી વ્યંજન એટલે શબ્દમાં તે શબ્દથી દ્રવ્યમાં સક્રમણુ કરે, તથા કાય યોગથી, મનોયોગ કે વચન યોગમાં, વચન યોગથી કાયયોગ કે મનોયોગમાં સંક્રમણ કરે તે. આ ધ્યાન એક યોગ અથવા ત્રણુ યોગવાળાને હાય છે. ૨ પૃથક વિતર્ક અવિચાર—પૂર્વ શ્રુતને અનુસાર એક પર્યાય સંબંધી અ†, વ્યંજન અને યોગને વિષે અસક્રમ રૂપ બ્યાન તે. આ ધ્યાનમાં ચિત્ત સ્થિર અને નિશ્ચલ થાય છે. આ ધ્યાન એક યાગવાળાને હાય છે. ૩ સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી--કેવલજ્ઞાનીને મામાં જવાના સમયે મનેયાગ, વચનયાગ અને બાદર કાયયોગા રાધ કરવાથી માત્ર ઉચ્છ્વાસ નિશ્વાસાદિ સૂક્ષ્મ કાયિક ક્રિયા હાય એવું યાગના નિરોધ કરવા રૂપ ધ્યાન. આ ધ્યાન કામયામવાળાને હોય છે. ૪ ન્યુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ--સવ' યોગને રાધ કરવાથી પર્વતની પેઠે નિષ્ણક’૫ એવા અયાગી ધ્રુવલીને (ચૌદમે ગુણુસ્થાનકે) આ ધ્યાન હેાય છે. આ ધ્યાનવાળાને યાય હાતા નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy