SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ્રીવિજ્યપધસૂરિકૃતઅને સર્વ જ્ઞાનમાં શ્રેષ્ઠ શ્રીકેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ્ઞાનના સામર્થ્યથી પ્રભુ સર્વ કોલકની તમામ બીના જાણતા હતા. કેવલજ્ઞાનની સાથે જ કેવલદર્શન પણ ઉત્પન્ન થતું હોવાથી સર્વ કાલેકને પ્રભુ પ્રત્યક્ષપણે જીવે છે. જે વખતે પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, તે વખતે ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. આસન કંપવાથી કેપેલા ઈન્દ્ર અવધિ જ્ઞાનના ઉપગથી પ્રભુને કેવલજ્ઞાન ઉપજયું, એમ જાણીને પિતાના આસન ઉપરથી ઉડીને પ્રભુને વંદન કરીને પિતાના પરિવાર સાથે પ્રભુની પાસે આવે છે. ૧૨૦ દેવે સમવસરણની રચના કેવી રીતે કરે છે તે પાંચ માં જણાવે છે – કરત વાયુ કુમાર ચોખ્ખું એક યોજન ક્ષેત્રને, કરત મેઘકુમાર સુર વર ગંધ જલની વૃષ્ટિને; રત્નાદિની ઉત્તમ શિલાથી વ્યંત તલ બાંધતા, ' હતુદેવતા વરસાવતી વરકુસુમ ગંધ હેકતા. ૧૨૧ સ્પષ્યાર્થ-જેવી રીતે સૌધર્મોનનું આસન ચલાયમાન થવાથી સૌધર્મેન્દ્ર પ્રભુની પાસે આવ્યા, તેમ બાકીના ઈન્દ્રોના આસન ચલાયમાન થવાથી બીજા ઈદ્રો પણ પિત પિતાના પરિવાર સાથે પ્રભુ પાસે આવી પહોંચ્યા ત્યાર પછી પ્રભુના સમવસરણની રચના કરવા માટે વાયુ કુમાર નામના ભુવનપતિના દેવો એક જન પ્રમાણ ક્ષેત્રને તેમાંથી કચરે કાંકરા વગેરે કાઢી નાંખીને સાફ કરે છે. ત્યાર પછી મેઘકુમાર નિકાયના ભુવનપતિ દેવો ઉત્તમ સુગંધિદાર જળની વૃષ્ટિ કરે છે. જળની વૃષ્ટિ થવાથી ધૂળ ઉડતી બંધ થઈ જાય છે. ત્યાર પછી વ્યક્તર દેવોએ રત્નની શીલાઓ વડે પૃથ્વીનું તલીયું બાંધ્યું, ત્યાર પછી ઋતુની અધિષ્ઠાયિકા દેવીઓએ સુગંધીથી મહેક મહેક થઈ રહેલા ઉત્તમ જાતિના કુલને વરસાદ વરસાવ્ય ૧૨૧ અંદર કરીને સ્તૂપ કંચન કાંગરા જસ શોભતા, રૂપ્યગઢને ભુવનપતિ સુર ભક્તિભાવે વિચતા, તાસ અંદર ઈસી જસ રત્ન કેરા કાંગરા, તે કનક ગઢને બનાવે પેખતાં અઘનિર્જરા, ૧૨૨ સ્પષ્ટાર્થ–ત્યાર પછી ભુવનપતિ દેએ આવીને અંદર મણિને સ્તુપ કર્યો, ત્યાર પછી સોનાના કાંગરાવાળા રૂપાના ગઢની ભક્તિ ભાવપૂર્વક રચના કરી. તે રૂપાના ગઢની અંદર જેના રત્નના કાંગરા છે એવા સુવર્ણના બીજા ગઢની જ્યોતિષી દેએ રચના કરી, જે ગઢને જેવાથી અઘનિર્જરા એટલે પાપનો નાશ થાય છે. ૧૨૨ ઉપર અંદરનો રણુ ગઢ કાંકરા માણિક્યના, જાસ દીપે કરત વર વૈમાનિકે નિધિ ભકિતના ચાર દરવાજા મનહર ગઢ દરેક બનાવતા, તેર તસ ઉપર શેભે દેખનારા ચમકતા. ૧૨૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy