SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપધસૂરિકૃતકોઈ ઠેકાણે અટક્યા સિવાય વિહાર કરે (વાય) છે, તેમ પ્રભુએ પણ અપ્રતિબદ્ધપણે વિહાર કર્યો છે. તથા પ્રભુ હરિની ઉપમાએ વિચયો છે. કારણકે જેમ હરિ એટલે સિંહ જંગલમાં નિર્ભયપણે ફરે છે તેમ પ્રભુએ પણ નિર્ભયપણે વિહાર કર્યો છે. તે દરમિઆન આજ્ઞાવિચય', અપાયવિયર, વિપાકવિચય, તથા સંસ્થાનવિચર્યા એ ચાર પ્રકારના ધ્યેયનું ધ્યાન કરતા હતા, અને તે ધ્યાન વડે પ્રભુ યેય રૂપને પામ્યા હતા. એ પ્રમાણે બાર વર્ષ સુધી વિહાર કરીને પ્રભુ સહસાઢ વનમાં આવ્યા અને ત્યાં અપ્રમત્ત પ્રભુછ કાઉસગ્ન ધ્યાને રહ્યા ૧૧૭ સાતમે ગુણસ્થાનકે રહેલા પ્રભુ ક્ષેપક શ્રેણિમાં કેવી રીતે કેવલજ્ઞાન પામે છે તે ત્રણ કલેકમાં જણાવે છે -- સમ્યકત્વ ક્ષાયિક ધારતા પ્રભુ સાતમા ગુણસ્થાનથી, - આઠમે સ્થિતિઘાત આદિક કરત શુકલ ધ્યાનથી; અનિવૃત્તિમાં છત્રીસ પ્રકૃતિ ખપાવતા દશમે જતા, સૂમ લેહ ખપાવીને ક્ષીણ મહ ગુણઠાણી થતા. ૧૧૮ સ્પાર્થ –ક્ષાયિક સમકિતને ધારણ કરનારા પ્રભુ સાતમા અપ્રમત્તા ૧- આ ચાર ધર્મધ્યાનના પ્રકારો છે. મૂળ ચાર પ્રકારના બને છે. તે આ પ્રમાણે-૧ આર્તધ્યાન, ૨ રૌદ્રધ્યાન. આ બે અશુભ હેવાથી ત્યાગ કરવા યોગ્ય છે. બાકીના ધર્મધ્યાન ૩ તથા શુકલધ્યાન ૪ એ બે ધ્યાન શુભ હેવાથી આદરવા ગ્ય છે. તેમાં ત્રીજા ધર્મધ્યાનના ચાર પ્રકારની ટુંક બીના આ પ્રમાણે ૧ આશા વિચય ધર્મ આનઃ–ાઈ દર્શનકારથી ખંડિત ન થઈ શકે તેવી તથા પૂર્વાપર બાધા રહિત શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાને અનુસાર તત્વથી અર્થોની વિચારણા કરવી અથવા હેતુ અથવા યુક્તિ વડે જેમનું વચન ખંડિત થતું નથી એવા સર્વ દેવનાં વચનને આશા રૂપે અંગીકાર કરી તેનું ધ્યાન કરવું તે. ૨ અપાય વિચબાનઃ-રાગ, દ્વેષ અને કષાયો જીવને અપાય એટલે ભયંકર દુખદાયક છે, તેનાથી અનેક પ્રકારના કષ્ટ ઉત્પન્ન થાય છે, માટે તે ત્યાગ કરવા યોગ્ય છે એવું ચિત્તવવું તે. ૩ વિપાક વિચય માનઃ-વિપાક એટલે કર્મને ઉદય. પૂર્વે બાંધેલાં કર્મોને જ્યારે ઉદય થાય છે ત્યારે જેવાં જેવાં શુભાશુભ કર્મ બળાં હોય તેને અનુસાર જીવને સુખ અથવા દુઃખ ભોગવવા પડે છે. એ પ્રમાણે કર્મના વિપાક સંબંધી ચિન્તન કરવું તે. ૪ સંસ્થાના વિચય પાન–સંસ્થાન એટલે ચૌદ રાજલોકને આકાર. કોઈ મનુષ્ય બે પગ પહોળા રાખી કેડે બે હાથ દઈને ઉભો હોય તે ચૌદ રાજલોકને આકાર છે. તેમાં ઉત્પત્તિ વિનાશ અને ધ્રુવ એ ત્રણ અવસ્થાવાળા છ દ્રબો ભરેલાં છે વગેરે વિચારણા કરવી તે સંસ્થાન વિચય બાન કહેવાય. ૫ ક્ષાયિક સમતિ-અનંતાનુબંધી કોધ, માન, માયા અને લેભ એ ચાર. તથા મિથ્યાત્વ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy