SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શનાચિ'તામણિ ] ૧૭ જઇશ નહિ. કારણ કે મેં જેમને દીક્ષા આપી તેઓ કેવલજ્ઞાન પામ્યા અને હું ન પામ્યા.” એટલે પ્રભુએ પૂછ્યું–“ હે ગૌતમ! તીર્થંકરાનું વચન સાચું કે દેવાનું વચન સાચું ? ” આ પ્રશ્નના શ્રી ગૌતમે વિનયથી જવાબ આપ્યા કે હે પ્રભુ ! “ નક્કી તીર્થંકરનું વચન સત્ય છે. ” પ્રભુએ ગૌતમને આશ્વાસન પમાડવા માટે વધુમાં કહ્યુ કે હે ગૌતમ આામ અષીરતા કરીશ નહિ. લાંમા કાળના પિરચયથી તને મારી ઉપર દઢ રાગ છે. તે દૂર થતાં જ તને કેવલજ્ઞાન થશે ! ” ગૌતમસ્વામીને પ્રભુના આ વચનથી શાંતિ થઈ. શ્રી ગૌતમ મહારાજા મહાવીર દેવની પાસે, બહુ દૂર નહિ અને બહુ પાસે નહિ તેમ ઉભડક પગે વિનયપૂર્વક બેસતા હતા, અને ધર્મધ્યાન શુકલધ્યાન રૂપી કાઠાને પ્રાપ્ત થયેલી પાંચ ઇંદ્રિયાને અને મનને સ્થિર રાખતા હતા. તેમજ સંયમ અને તપ વડે આત્માને નિલ ખનાવી રહ્યા હતા. ગાતમ ગાત્રમાં જન્મેલા, સાત હાથની કાયાવાળા, સમચતુરષ સંસ્થાનના ધારક અને વજઋષભનારાચ સંઘયણવાળા શ્રી ગૈાતમસ્વામી મહાતપસ્વી, ચાર બ્રહ્મચર્યના પાલક અને સ ંક્ષિપ્ત તેમજ વિપુલ તેજો લેશ્યાને ધારણ કરનારા હતા. વળી તેઓ ચાદ પૂર્વના જ્ઞાતા, ચાર જ્ઞાનના ધારક અને સર્વોક્ષર સંચાગેાના જાણુકાર હતા. છતાં તેમને જ્યારે જ્યારે જિજ્ઞાસારૂપ સંશય થાય, ત્યારે ત્યારે વિનયપૂર્વક કયા કારણેાથી કર્યું કર્મ બંધાય ? કર્મથી મુક્ત થવાના શા ઉપાય ? તેમજ “ ચમાળે અસિત ” વગેરેના મહાવીર પ્રભુને પ્રશ્નો પૂછી તેના ખુલાસો મેળવતા હતા. પ્રભુને પ્રશ્નો પૂછવાના હેતુ : આ પ્રસંગે એ શંકા થાય છે કે શ્રી ગીતમસ્વામી તેા દ્વાદશાંગીના રચનાર અને ચાર જ્ઞાનના ધારક હાવાથી સર્વાંગ જેવા હતા, તેા પછી પ્રભુને તેાશ્રી પ્રશ્નો પૂછે છે એમ કેમ બને? આના ઉત્તરમાં ટીકાકાર ભગવંત જણાવે છે કે (૧) ઉદયમાં વતા એવા જ્ઞાનાવરણીયાદિ કર્મોના પ્રતાપે છદ્મસ્થને અનુપયેાગ ભાવ હાય છે તેથી, (૨) જાણુતા છતાં પેાતાના જ્ઞાનના સંવાદ માટે, (૩) ખીજાએને બેધ પમાડવા માટે, (૪) સ્વશિષ્ઠને ગુરૂના વચન ઉપર ઢ શ્રદ્ધા થાય એવા ઇરાદાથી અથવા (૫) સૂત્રરચનાની વિધિ સાચવવા માટે; એમ પાંચમાંના કાઈ પણ કારણથી ગાતમ મહારાજા પ્રભુને વારંવાર પ્રશ્નો પૂછતા હતા. દેશી ગણધર સાથેના પ્રસંગઃ શ્રી ગાતમસ્વામીમાં અપૂર્વ વિનય ગુણુ વસ્યા હતા, તેની ખાતરીને માટે ફેશી ગણધર મહારાજાના પ્રસંગ સાક્ષી પૂરે છે. ત્રેવીશમા તીર્થંકર શ્રીપાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં થયેલા, ત્રણ જ્ઞાનના ધારક, મહાધુરંધર, શ્રી કેશી ગણધર મહારાજા અને શ્રી ગૈતમ મહારાજા એક વખત શ્રાવસ્તી નગરીની નજીકમાં પધાર્યાં. ત્યાં શ્રીફેશી ગણધર તિન્દુક વનમાં ૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy