________________
દેશના ચિંતામણિ
૩૮૧ ભવ સમુદ્ર વહાણ જેવું જાણીએ મુનિદાનને.
પૂર્વ ભવમાં દાન દઈ હું પામતો જિન ઋદ્ધિને. પ૪૪ અર્થ:--વર્ષાદિ એટલે એક વરસ વગેરેની અવધિ એટલે મર્યાદા બાંધીને પિતાના મનના જેવા પરિણામ હોય તે પ્રમાણે અતિથિ સંવિભાગ વ્રતના નિયમ કરવા. કારણ કે મુનિરાજને આપેલું દાન આ સંસાર રૂપી સમુદ્રની અંદર વહાણ જેવું જાણવું, એટલે જેમ વહાણથી સમુદ્ર તરી શકાય છે તેવી રીતે સુપાત્ર દાનનો મહીમાથી આ સંસાર રૂપી સમુદ્ર તરી શકાય છે. વળી પ્રભુજી કહે છે કે પૂર્વ ભવની અંદર આપેલા સુપાત્ર દાન વડે હું (ઋષભદેવ પ્રભુ) જિન ત્રાદ્ધિને એટલે તીર્થકરપણાના અશ્વર્ય (ઋદ્ધિ)ને પામ્યો છું. એ પ્રમાણે સુપાત્ર દાન ઠેઠ મુક્તિ સુધીના લાભ પણ આપી શકે છે એમ સમજીને શ્રાવકોએ સુપાત્રદાનને લાભ લઈને જ ભોજન કરવું. આ બાબતમાં સ્પષ્ટ વિશેષ બીના બહુ જ જાણવા જેવી છે. તે શ્રાવક ધર્મ જાગરિકામાં અને શ્રી દેશવિરતિમાં વિસ્તારથી સમજાવી છે. ૫૪૪ શક્તિ છતાં પણ દાન ઘ ના તેહ દુર્ગતિને લહે,
પાંચ અતિચાર થકી શુભ શ્રાવકે અલગ રહે; એમ બારે વ્રત તણી શુભ સાધના ઉલ્લાસથી,
કરી શ્રાવકે મુક્તિ વર્યા વરશે ભવિષ્ય નિયમથી. ૫૪પ અર્થ –જેઓ સુપાત્ર દાન દેવાને સમર્થ હોય તે છતાં પણ દાન આપતા નથી, તેઓ નરકાદિ દુર્ગતિને એટલે ખરાબ ગતિને પામે છે. તેમજ આ વ્રતના પાંચ અતીચારેથી શ્રાવકોએ અલગ રહેવું જોઈએ. એટલે પાંચ અતિચારો લગાડવા નહિ. આ વ્રતમાં પાંચ અતિચાર આ પ્રમાણે-૧ સાધુને દેવા ગ્ય આહારની ઉપર સચિત વસ્તુ મૂકવી. ૨ સાધુને દેવા યોગ્ય આહારને સચિત્ત પદાથ વડે ઢાંક. ૩ ફારફેર બલવું એટલે વહારાવવાની બુદ્ધિથી પારકી ચીજને પિતાની કહેવી અને નહિ વહોરાવવાની બુદ્ધિથી પોતાની ચીજને પારકી કહેવી. ૪ મત્સરભાવે દાન આપવું, ૫ મુનિને ગોચરીને વખત ઓળંગીને વહોરવા માટે બેલાવવા જાય. અહીં બારે વ્રતની બીના પૂરી થાય છે, એ પ્રમાણે બારે વ્રતની સારી સાધના ઉલ્લાસ પૂર્વક એટલે આનંદ પૂર્વક કરીને ભૂતકાળમાં શ્રાવકે મોક્ષને પામ્યા. અને ભવિષ્યકાળમાં પણ નિયમથી એટલે નિચે પામશે. માટે હે ભવ્ય ! તમે પણ આ વ્રતની જરૂર યથાશક્તિ સાધના કરજે. ૫૪૫
જિનધર્મનું સ્વરૂપ વિગેરે જણાવે છે – ત્રણ રત્ન કેરી સાધના રૂપ મેક્ષ માર્ગ સ્વરૂપને,
વર્ણવ્યું જિનધર્મ પણ એ સાધજો નિત એહને,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org