________________
૩૩૫
દેશનાચિંતામણિ ] છે એટલે ઘણું જ અલ્પ કરી નાખે છે, માટે જ કહ્યું છે કે સંસારમાં અદ્ધિ તે ઘણી વખત મળે છે પણ સમક્તિ વારંવાર મળતું નથી. ૪૪૭ રત્નનિધિ સમ જ્ઞાન કારણ માન સમ્યકત્વને,
પુણ્યપુરનું દ્વાર મૂળ સમ બધિ તરૂનું એને, ચારિત્ર ધન ભાજન જલધિ સમ જાણજે સભ્યત્વને
શા કામની? તેવી પ્રભુતા જેહ દેતી દુઃખને. ૪૪૮ અર્થ –તથા સમ્યકત્વ રત્નના ભંડાર જેવું છે, તથા ઉત્તમ જ્ઞાનને મેળવવાનું કારણ સમકિત છે એમ તમે માનજે, કારણ કે ઉપર કહી ગયા તેમ જ્યારે સમતિ થાય છે ત્યારે અજ્ઞાન પણ જ્ઞાનરૂપ થઈ જાય છે. વળી આ સમિતિ પુણ્ય રૂપી નગરમાં પ્રવેશ કરવાના બારણુ જેવું છે. તથા બેધિ રૂપી વૃક્ષને ઉગાડવામાં ને દઢ કરવામાં મૂળ સરખાં સમક્તિ છે, તથા ચારિત્ર રૂપી ધનને સાચવી રાખવામાં ભાજન સરખું છે, તથા જ્ઞાનાદિ ગુણરૂપ રત્ન મેળવવાને જલધિ એટલે સમુદ્ર સરખું સમકિત જાણવું, જેથી મોક્ષપદ સરખી શાશ્વત સુખદાયક પ્રભુતા આપનાર સમ્યકત્વ છે માટે સંસારની જે પ્રભુતા દુઃખને આપે છે તેવી પ્રભુતા શા કામની? એટલે જે પ્રભુતા પરિણામે દુઃખદાયી નીવડે તે પ્રભુતા ફેગટ છે. ૪૪૮, સમ્યત્વ રૂપ સાચા ધન ધનવંતપણું અવધારીએ,
થીર સુખને જેહ આપે સત્ય ધન તે માનીએ, સમ્યકત્વથી જ સફલપણું દાનાદિનું ના ભૂલીએ,
મિત્ર બંધુ લાભ પ્રવહણ તીર્થ નિધિ અસિ સદુશ એ. ૪૪૯
અર્થ:–ખરૂં ધનવાનપણું સમકિત રૂપી સાચા ધન વડે જાણવું. કારણ કે સાચું ધન તો તેજ કહેવાય કે જે સ્થિર એટલે કાયમ સુખ આપે, જેથી સમકિત જ સાચું ધન છે કે જે નિશ્ચલ સુખને આપનાર છે. વળી દાનાદિનું એટલે દાન, શીલ, તપ વગેરેની સફળતા પણ સમકિતથી જ જાણવી. એટલે સમક્તિ હોય તે જ દાન, શીલ વગેરેની સફળતા થાય છે. તેમજ સમકિતને શાસ્ત્રમાં કલ્યાણ મિત્રના જેવું બંધુના જેવું અને ઉત્તમ લાભના જેવું કહ્યું છે. તથા તેને વહાણ સમાન, તીર્થ સમાન, નિધિ એટલે ભંડાર સમાન અને અસિ સદશ એટલે તલવાર સરખું પણ કહ્યું છે. અહીં સમક્તિને કલ્યાણ મિત્ર વિશેરેની જેવું કહ્યું, તેમાં ખરું રહસ્ય એ છે કે (૧) સમ્યકત્વ જીવને કલ્યાણ મિત્રની માફક સન્માર્ગમાં જોડે છે, અને ટકાવે છે. (૨) તથા પોતાના વિવેકી ભાઈની માફક તે દુખને ટાણે આશ્વાસન દઈને મદદ કરે છે. (૩) દ્રવ્યાદિનો લાભ સંસારને વધારે છે, અને સમ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org