SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ [ શ્રી વિજયપદ્રસૂરિકૃતકૂતરો–હે દયાનિધિ ! તમે ૩૦ વર્ષ સુધી લોકના ટુકડા ખાઈને જીવન ગુજારવા કહ્યું પરંતુ એ તે અમને બહુ જ વસમું પડે, લોક હડે હડે કરે, નાનાં છોકરાં પથરા મારે, અમારી કસૂર થતાં અમને લાકડીથી હાંકે, લાકડીઓ માટે અને અમારો એ ભસવાને કરડવાને સ્વભાવ જાણુને લોક રાત દિવસ હાથમાં લાકડીએ રાખીને ફરે, માટે કૃપા કરીને એ લાંબા આયુષ્યમાંથી કંઈક ઘટાડો કરી માફ કરો તો સારું, ગધેડાને પણ તમે ઓછું જીવન કરી આપ્યું તે અમારી અરજી સ્વીકારીને અમારું પણ એ કષ્ટમય જીવન ઓછું કરી આપે. વિધાતા–હે શ્વાન ! જેમ ગધેડાને થોડાં વર્ષ માફ કરી આપ્યાં તેમ તને પણ ૩૦ વર્ષમાંથી ૧૮ વર્ષ રહેવા દઈ ૧૨ વર્ષ માફ કરૂં છું. હવે તમે જન્મ લઈને બધા કૂતરા સંતોષથી અંદગી ગુજારજો. વિધાતાએ ગધેડાના જેમ ૧૮ જમે રાખ્યા, તેમ કૂતરાનાં ૧૨ વર્ષ માફ કર્યા, સિલિકમાં (જમે) રહેવા દીધાં, ને ત્યારબાદ (વાનરોના પ્રતિનિધિ) મુખ્ય વાનરેને બોલાવી આજ્ઞા કરી કે હે વાનર! હવે તમારે અહિંથી વાનરને જન્મ લે. , વાનર-હે દયાનિધિ આપની આજ્ઞા માથે ચઢાવીએ છીએ, પરંતુ અમારું આયુષ્ય કેટલું? ને અમારે જન્મ લઈને કામ શું કરવાનું? વિધાતા--તમારે વાનર રૂપે જન્મ લઈને નગરની બહાર વનમાં રહી ફળ વિગેરે ખાવાં અને એક ઝાડથી બીજે ઝાડ કૂદકા મારવા ને જે નગરમાં રહે તે અગાસીમાં લેકેએ સૂકવેલી ચીજો (છાનીમાની) ખાઈ જવી, લેકના ઘરમાં પેસીને પણ કંઈ ખાવા જેવું હાથે આવે તે ખાઈ જવું, નાનાં બાળક કે બૈરાં વગેરે પાસે કંઈ ખાવાની ચીજ દેખ તો ઝુંટાવી ખાઈ જવી, અને કેઈ હાકું થાય તો દાંતી કરવાં, ઘુરકી કરવા અને તેમના શરીરને પણ વલૂરી નાખવું, તેમજ હકાહુક કરી છાપરે છાપરે કૂદવું, વળી કોઈ સુગરી પક્ષીની માફક શીખામણ દેવા આવે છે તેનું સ્થાન ભ્રષ્ટ કરી દેવું અને શીખામણુ માનવી નહિં, તથા જે નાનાં બાળક વિગેરે કંઈ જાણી બુઝીને ખાવાનું આપે તે તેમના હાથમાંથી લઈ અનેક ચાળા કરી છોકરાંને રાજી કરવાં એ પ્રમાણે તમારે પિતાનું જીવન સુખ સંતોષ આનંદમય ગુજારવું. . . વાનર--હે દયાનિધિ ! આ પ્રમાણે વનમાં કે નગરમાં જંગલી જેવી જીંદગી ૩૦ વર્ષ સુધી ગુજારવી એ તો અમને બહુજ આકરું પડે માટે જેમ ગધેડાને અને કુતરાને થોડા વર્ષો માફ કરી આપ્યાં તેમ મહેરબાની કરીને અમને પણ થોડાં વર્ષ માફ કરી આપ તે ઠીક. વિધાતા--હે વાનર! જે તમને એ જીવન આકરું લાગતું હોય તે દયાની ખાતર તમારાં પણ ૨૦ વર્ષ કાયમ રાખી ૧૦ વર્ષ માફ કરૂં છું. જુઓ ! હવે તમારે વાનરનો જન્મ લઈ સંતેષ પૂર્વક જીવન ગુજારવું. * * * Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy