________________
( શ્રી વિજયપદ્વરિતअनुचितकर्मारम्भः-स्वजनविरोधः बलीयसा स्पर्धा ॥
प्रमदाजनविश्वासः-मृत्युद्वाराणि चत्वारि ॥ १ ॥ સ્ત્રી જાતિના સ્વચ્છેદિપણાને સમજાવનારી મયૂરિકાની બીના જાણવા જેવી છે, તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી:–
વિશાલાપુરી નગરીમાં એક કેલિ નામના ગૃહસ્થની મયૂરિકા નામની સ્ત્રી ઘણી રખડેલ અને સ્વછન્દી હોવાથી દરરોજ રાત્રે બહુ મેડી ઘેર આવે છે. એક વાર એના પતિએ નિત્ય રાત્રે મેડી આવતી હોવાથી ઘણે ઠપકે આપે, તે વખતે તે સ્ત્રી પતિના સામું બોલવા લાગી, અને આડા અવળા જવાબ દેવા લાગી, ત્યારે કેકિલે કહ્યું કે હવેથી જે મેડી આવીશ તે ઘરમાં પેસવા નહિં દઉં. આ પ્રમાણે ઘણી વાર કહ્યા છતાં સ્ત્રી તો જાણે કંઈજ કહ્યું નથી એમ જાણું રાત્રે મેડી આવે છે, પછી પાંચેક દિવસ વીત્યા બાદ કેકિલ કમાડ બંધ કરીને સૂઈ ગયે ને મયૂરિકા રાત્રે મોડી આવી. ત્યારે તે બારણાં ઠોકી ઠેકીને ઉઘાડવા માટે ઘણુએ બૂમ પાડવા લાગી. આ વખતે કેકિલ સાંભળ્યા કરે છે. પણ બારણું ઉઘાડતો નથી, ત્યારે અને થાકીને “હવેથી હું આ પ્રમાણે નહિં કરું? વિગેરે નરમાશનાં વચને કહીને ઘણું કરગરી કાલાવાલા કરવા લાગી તે પણ બારણું ન ઉઘાડવાથી મયૂરિકાને ક્રોધ ચઢયે, અને મનમાં નિર્ણય કર્યો કે–હવે હું મારા પતિને એવી શિક્ષા આપું કે મને ફરીથી આ રીતે સતાવવાનું અને ઠપકો આપવાનું ભૂલી જાય. એ રીતે વિચાર કરીને નજીકમાં રહેલા કૂવામાં એક માટે પત્થર નાખી પોતે પોતાના ઘર પાસે છુપાઈને ઉભી રહી, તે વખતે કૂવામાં પત્થરને મેટો અવાજ સાંભળીને કેકિલે જાણ્યું કે જરૂર મારી સ્ત્રી મારા અપમાનથી કૂવામાં પડી, જેથી એકદમ ઉઠીને પાડોસી. એને જગાડીને કૂવામાંથી સ્ત્રીને બહાર કાઢવામાં સર્વ સાધન ભેગાં કરવા લાગ્યો તેટલામાં લાગ જોઈને મયૂરિકા ઘરમાં પેસી જઈ બારણાં મજબૂત બંધ કરી મેડા ઉપર ચઢી બારીમાંથી બધી ચર્ચા જોયા કરે છે. તે વખતે કેકિલ કૂવા કાંઠે આવી નીચે વળીને દેરડું કુવામાં નાખી હલાવ્યા કરે છે. તે વખતે મયૂરિકા બારીમાંથી મોટે અવાજે બોલી કે અરે હું તે કૂવામાં નથી પડી પણ કદાચ તમે પડી જશે, અને જે મારે માટે ચિંતવ્યું તે તમારે માટે થશે, માટે હવે જે તમારામાં બળ હોય તે ઘરમાં આવે, આ કુતુહલથી બીજા ઘણાં લોક ભેગા થઈ ગયા અને સ્ત્રીને સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ કેઈનું કહેવું માન્યું નહિં અને કહ્યું કે મને દરરોજ દોષવાળી માનીને બહુ હેરાન કરે છે. માટે હવે જે પિતાના હસ્તાક્ષરથી “હું તને અસંતોષ નહિં ઉપજાવું” એમ લખી આપે તેજ ઘરમાં પિસવા દઈશ, અને જે લખી આપ્યા છતાં મને હેરાન કરશે તે હું આપઘાત કરીશ. એ પ્રમાણે કહેવાથી લોકોએ કેનિલને સમજાવી તેવું લખાણ કરાવી આપ્યું ત્યારે તેને ઘરમાં પિસવા દીધે. આથી હવે તે સ્ત્રી વિશેષ સ્વતન્દ્ર બની ભટકવા લાગી.
આ વાતને સાર એ છે કે સ્ત્રીઓ તુચ્છ બુદ્ધિવાળી અને આગ્રહી સ્વભાવવાળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org