________________
દેશનેચિંતામણિ ]
ચાલુ પ્રસંગે બે લેકમાં યુક્તિ જણાવે છે નિજ પક્ષને સાબીત કરવા ઇમ જણાવે યુક્તિને,
પુરૂષાર્થ સિદ્ધિ મુખ્ય કારણ છે ક્રિયા ધાર મને, છે એમ કિરિયાહીણ નાણ જરૂર નિષ્ફલ જાણીએ,
ચરણ હીણને જ્ઞાન બહુ શું કામનું જ વિચારીએ. ર૬૩ - અર્થ –સર્વ પુરૂષાર્થની સિદ્ધિ ક્રિયાથી છે એમ પિતાનો પક્ષ સાબીત કરવા માટે ક્રિયાવાદી આ પ્રમાણે યુક્તિ જણાવે છે કે પુરૂષાર્થ સિદ્ધિમાં ક્રિયા જ મુખ્ય કારણ છે એ વાત તમે મનમાં અવશ્ય ધારી રાખે. કારણ કે ક્રિયા વિનાનું જ્ઞાન જરૂર નિષ્ફળ એટલે ફેગટ જાણવું. જે ચરણહીન એટલે ચારિત્ર રહિત હોય તેને જ્ઞાન શું કામનું? અર્થાત્ એકલું જ્ઞાન કાંઈ કામનું નથી, પરંતુ ક્રિયા રૂપ ચારિત્ર હોય તે જ જ્ઞાનની સાર્થક્તા (સફલતા, પુરૂષાર્થને દેવાપણું) છે. ૨૬૩ સળગાવશે દીવા ઘણું પણ અંધને શા કામના?
ગવરાવશે ગીત ઘણું પણ બધિરને શા કામના ?, જ્ઞાન છે સ્વવિષયનિયત ના કાર્યસિદ્ધિ જ્ઞાનથી,
- ઈષ્ટ નગરે તે જશે? શું જે ક્રિયા કરતું નથી. ૨૬૪ અર્થ:–તમે આંધળા આગળ ઘણા દીવા સળગાવે, પરંતુ તે દીવા તે આંધળાને શા કામના છે ? અથવા ગમે તેટલા દીવા સળગા પણ તે આંધળો જોઈ શકવાને નથી. તેમ બહેરા માણસ આગળ ઘણાં ગીતે ગવરાવશો તો પણ તે ગીત બહેરને શા કામનાં છે ? તે કાંઈ સાંભળવાના નથી, તેમ ક્રિયા વિનાનું જ્ઞાન પણ શું કામનું છે? વળી બીજી વાત એ કે-જ્ઞાન તે સ્વવિષયનિયત છે, એટલે પિત પિતાના શબ્દાદિ વિષય (પદાર્થો) ને જણાવે છે, માટે તેવા નિયત વિષયવાળા જ્ઞાનથી કાર્યની સિદ્ધિ થતી નથી, વળી ત્રીજી વાત એ કે ઈષ્ટ નગરે પહોંચવાને ઇચ્છત જે મનુષ્ય ક્રિયા કરતું નથી એટલે બીલકુલ ચાલતું નથી, અર્થાત્ બેઠેલ છે ત્યાંથી ખસતો નથી તે ચાલવાની ક્રિયા કર્યા વિના તે ઈષ્ટ નગરના માર્ગને જાણકાર મનુષ્ય શું ઈષ્ટ (ઇએએલા) નગરે પહોંચી શકશે? નહિ જ પહોંચી શકે. માટે ક્રિયા વિનાનું જ્ઞાન નિરર્થક હેવાથી જ ક્રિયા મુખ્ય છે ને જ્ઞાન ગૌણ છે એમ માનવું તેજ વ્યાજબી છે. એમ કિયાવાદી પિતાને મત સાબીત કરે છે. ૨૬૪
હજુ ક્રિયાનય દાખલ દઈને ક્રિયાની જરૂરિયાત જણાવે છે – માર્ગ કેરા જ્ઞાન સાથે જે ક્રિયાને સાધતા, -
ઈષ્ટ નગર વિષે જઈને સકલ વાંછિત પામતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org