________________
[ શ્રી વિજયસૂરિકત
મહારાજા શ્રી ગિરનારજીની યાત્રા કરવા ગયા ત્યાં તે શિષ્ય સ્ત્રીઓની પ્રત્યે કુદષ્ટિ કરવા લાગે, તેથી ગુરૂએ આ બાબતમાં બહુ શીખામણ આપી તેમ કરતાં અટકાવ્યું, તે પણ તે ક્રોધ કરવા લાગ્યા, અને ગુરૂને મારવાના ઈરાદાથી ડુંગર પરથી ઉતરતાં શિષ્ય ગુરૂની પાછળ એક મે પત્થર ગબડાવ્યા પરંતુ ભાગ્યયોગે તે પત્થર ગુરૂને બે પગની વચ્ચે થઈને નીચે ગબડી ગયે, ને ગુરૂજી બચી ગયા. આવા દુષ્ટ કૃત્યથી ગુરૂએ તેને શ્રાપ આપે કે હે પાપી ! તું સ્ત્રીઓથી જ વિનાશ પામીશ. આ શ્રાપ સાંભળીને તે અવિનીત શિષ્ય વિચાર કર્યો કે હવે જ્યાં સ્ત્રીઓ વિનાનો પ્રદેશ (સ્થાન) હોય ત્યાં જ રહેવું.” એમ વિચારી કઈ નદીના કિનારે વસતિ વિનાના સ્થાનમાં એકાન્ત રહી સૂર્યની આતાપના લે છે, તેના આ ઉગ્ર તપના પ્રભાવથી તે નદી આ મુનિના તરફ વહેતી બંધ થઈ બીજી તરફ વહેવા લાગી. તેથી લેકેએ આ સાધુનું કુલવાલક (નદીને વાળનાર) એવું નામ પાડયું.
એક વાર રાજગૃહી નગરીના શ્રેણિક રાજાના પુત્ર કેણિક રાજાને વિશાલાનગરીના ચેટક રાજા (ચેડા રાજા) ની સામે યુદ્ધનો પ્રસંગ આવતાં કેણિક રાજાએ એવી આકરી પ્રતિજ્ઞા કરી કે “જે હું ચેડા રાજાની વિશાલા નગરીને ખેદી ન નાખું, તે મારે અગ્નિમાં બળી મરવું.” આવી કઠણ પ્રતિજ્ઞા કરીને ઘણું યુદ્ધ કરવા છતાં કોણિક રાજા તે નગરી જીતી શક્યો નહિ. ત્યારે ગુરૂ આજ્ઞાને ભંગ કરનાર અને મારી નાખવાના ઈરાદાથી પત્થર ગબડાવનાર એવા કુલવાલક મુનિની ઉપર પહેલાના બનાવથી ૫ પામેલી શાસનદેવીએ આકાશવાણીથી કેણિકને કહ્યું કે “જે માગધીકા નામની ગણિકા કુલવાલક મુનિને ચારિત્રથી ભ્રષ્ટ કરીને લાવે તે તેની સહાયથી તું વિશાલાનગરીને જીતી શકે.” ત્યારે કેણિકે માગધિકાને બોલાવી આ વાત જણાવી ત્યારે તેણીએ પણ મુનિને ચારિત્રથી ભ્રષ્ટ કરીને અહીં લાવવાનું કબૂલ કર્યું. અને કપટી શ્રાવિકા બની નદીના કિનારે નિવાસ કરીને મુનિને હેરવા તેડે છે. એક વખત લાડવામાં નેપાળ નાંખીને તે વહોરાવતાં તે મુનિને અતિસાર રેગ થતાં પોતાના તાબાની નાની ગણિકાઓ પાસે સારવાર કરાવતાં કરાવતાં થોડી વારમાં જ મુનિ વેશ્યાના તાબે થઈ ગયા. ત્યાર બાદ તે મુનિને કેણિકના નગરમાં લઈ ગઈ, ત્યાં કેણિકે મુનિને વિશાલા નગરી જીતવામાં હાય કરવાનું કહેતાં તે વચન કબુલ કરીને મુનિ વિશાલા નગરીમાં ગયા, ત્યાં નગરમાં બધે સ્થલે ભમી ભમીને નિર્ણય કર્યો કે આ શ્રી મુનિસુવ્રત સ્વામીના સ્તૂપના પ્રભાવથી નગરી જીતી શકાતી નથી, ત્યાર પછી નગરીમાં ભમતાં જ્યારે સર્વ લેકે પૂછે છે કે આ નગરીને ઉપદ્રવ ક્યારે શાંત થશે ? ત્યારે મુનિએ કહ્યું કે “ જ્યાં સુધી આ સૂપ છે ત્યાં સુધી ઉપદ્રવ રહેશે, માટે સ્તૂપ ઉખેડી નાખો તે સર્વ ઉપદ્રવ શાન્ત થાય.” મુનિનું આ વચન સાંભળીને લેકેએ સ્તૂપ ઉખેડવા માંડે તે વખતે મુનિના સંકેત પ્રમાણે કેણિકનું સૈન્ય નગરીથી દૂર હઠતું હઠતું બે ગાઉ પાછું હટી ગયું. તેથી લોકોને મુનિની ઉપર વિશ્વાસ બેઠા, અને સૂપને જડમૂળથી ખેદી નાખી બાર વર્ષે લેકેએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org