________________
૧૪૪
[ શ્રી વિજયપધસૂરિકૃતગયેલે ટાઈમ ૫૦૦ વર્ષ, ૧૦ ચક્રવર્તિપણાને સમય-૨૧૫૦૦ વર્ષ, ૧૧ સ્ત્રીરત્નનું, નામ સુરશ્રી, ૧૨ દીક્ષા પર્યાય-૨૧ હજાર વર્ષ, ૧૩ મુક્તિમાં ગયા, ૧૪ પોતે દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવંત હતા.
૮ સુભૂમ ચકવર–જે કે આ ચક્રવત્તિની બીના પહેલાં ટુંકામાં જણાવી છે, તો પણ ત્યાં ૧૪ દ્વારે કમસર જણાવ્યા નથી. તે આ પ્રમાણે –(૧) નામ સુભૂમ, રે જન્મભૂમિ વાણારસી નગરી, ૩ પિતા કીર્તિવીર્ય રાજા, ૪ માતા તારારાણી, ૫ આયુષ્ય ૬૦ હજાર વર્ષ, ૬ દેહમાન ધનુષ્ય ૨૮, ૭ કુંવરપણાના વર્ષ ૫૦૦૦, ૮મંડલિક રાજાપણાના વર્ષ ૫૦૦૦, ૯ દેશ સાધનાના વર્ષ ૪૦૦ ૧૦ ચક્રવર્તાિપણાનો સમય ૪૯૬૦૦ વર્ષ, ૧૧ સ્ત્રીરત્નનું નામ દશમશ્રી, ૧૨ દીક્ષા લીધી નથી, ૧૩ સાતમી નરકે ગયા, ૧૪ અરનાથના તીર્થમાં થયા. - ૯ મહાપા ચક્રવત્તી–૧ નામ મહાપદ્ધ, ૨ જન્મભૂમિ હસ્તિનાપુર, ૩ પિતા પરથ, ૪ માતા જ્વાલા રાણી, ૫ આયુષ્ય પ્રમાણ ૩૦ હજાર વર્ષ, ૬ દેહપ્રમાણ વીસ ધનુષ્ય, ૭ કુંવરપણું ૫ હજાર વર્ષ, ૮ મંડલિક રાજાપણું ૫૦૦૦ વર્ષ, ૯ છ ખંડ જીતવામાં ૩૦૦ વર્ષ લાગ્યાં, ૧૦ અઢાર હજાર સાતસો વર્ષ સુધી ચકવર્તિ રાજાપણું ભેગ
વ્યું, ૧૧ સ્ત્રીરત્નનું નામ વસુંધરા, ૧૨ દીક્ષા પર્યાય એક હજાર વર્ષ, ૧૩ મુક્તિમાં ગયા, ૧૪ પ્રભુ શ્રી મુનિસુવ્રત સ્વામિના વારામાં થયા.
૧૦ શ્રીહરિણુ ચક્રવર્તી–૧ નામ હરિણ, ૨ જન્મભૂમિ કપિલપુર નગર, ૩ પિતા મહાહરિ રાજા, ૪ મેરાદેવી માતા, ૫ આયુષ્ય ૧૦ હજાર વર્ષ, ૬ દેહપ્રમાણ ૧૫ ધનુષ્ય, ૭ સવા ત્રણ વર્ષ કુમાર અવસ્થા, ૮ સવા ત્રણસો વર્ષ મંડલિક રાજા, ૯ દિગ્વિજયમાં ૧૫૦ વર્ષ, ૧૦ ચક્રવર્તિ રાજ્યકાલ ૧૮૭૦ વર્ષ, ૧૧ દેવીરાણી સ્ત્રીરત્ન, ૧૨ દીક્ષાપર્યાય ૭૩૩૦ વર્ષ, ૧૩ મોક્ષગતિ, ૧૪ શ્રી નમિનાથ પ્રભુના તીર્થમાં થયા.
૧૧ જય ચક્રવર્તી–૧ નામ જય ચકી, ૨ જન્મભૂમિ રાજગૃહી નગરી, ૩ સમુદ્રવિજય રાજા પિતા, ૪ વિપ્રા માતા, ૫ ત્રણ હજાર વર્ષ આયુ, ૬ બાર ધનુષ્યની કાયા, ૭ ત્રણ વર્ષ કુમાર અવસ્થા, ૮ ત્રણસો વર્ષ મંડલિક રાજાપણું, ૯ સો વર્ષ દેશસાધનામાં થયા, ૧૦ ચક્રવર્તિ રાજ્ય ૧૯૦૦ વર્ષ સુધી, ૧૧ લક્ષ્મણે સ્ત્રીરત્ન, ૧૨ ચાર વર્ષ દીક્ષા પાલી, ૧૩ મેક્ષગતિ, ૧૪ શ્રીનમિનાથ પ્રભુના તીર્થમાં થયા.
૧૨ બ્રહ્મદત્ત ચક્રવતી-૧ નામ બ્રહ્મદત્ત, ૨ જન્મનગર કપિલપુર, ૩પિતા બ્રહ્મરાજા, ૪ માતા ચૂલણી, ૫ આયુષ્ય ૭૦૦ વર્ષ, ૬ સાત ધનુષ્યની કાયા, ૭ અઠ્ઠાવીસ વર્ષ કુમાર અવસ્થા, ૮ છપ્પન વર્ષ મંડલિક રાજાપણું, ૯ સેલ વર્ષ દેશસાધનામાં થયા, ૧૦ ચકિપણાનું રાજ્ય ૬૦૦ વર્ષ, ૧૧ લક્ષમણ સ્ત્રીરત્ન, ૧૨ દીક્ષા લીધી નથી, ૧૩ સાતમી નરકે ગયા, ૧૪ બાવીસમા ને ત્રેવીસમા તીર્થકર શ્રીનેમિનાથ અને પાર્શ્વનાથ ભગવાનના આંતરામાં થયા.
બાલ જીને ઉપરની બીના સમજવામાં સુગમતા પડે, આ ઈરાદાથી “શ્રી ચક્રવતિ મહાયંત્ર” ૧૪૨–૧૪૩ પાને આપવામાં આવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org