________________
દેશના ચિંતામણિ ]
૧૧૩.
અર્થ –વળી જેઓ જૈનધર્મ સરખા ઉત્તમ ધર્મને છેડી વિષય ભેગેને મેળવવાની ઈચ્છા રાખે છે, તે મનુષ્યો ચિંતામણિ રત્ન કે જે ઈડેલી વસ્તુને આપનાર છે, તેવી કિંમતી વસ્તુના બદલે કાચ કે જેની કાંઈ કીંમત નથી, તેને લેનાર મૂખની જેવા જાણવા. તેમજ પ્રવર એટલે શ્રેષ્ઠ ગજરાજ જે અરાવત હાથી તેને વેચીને ગધેડે ખરીદ કરનારા મૂખની જેવા (જૈન ધર્મને બદલે વિષય સુખની ઈચ્છા કરનારાઓને) જાણવા. અહીં જૈનધર્મ કલ્પવૃક્ષની જેવો ચિંતામણિ રત્નની જેવો, તથા રાવત હાથીની જેવો જાણવો અને ઇન્દ્રિયના વિષયો વિષવૃક્ષની, ધંતુરાની અને કાચની જેવા, તથા ગધેડાની જેવા જાણવા. ૧૩૬
ચાલુ પ્રસંગે વૈરાગ્ય ભાવના બે લેકમાં જણાવે છે
સૂર્યની ગતિ આગતિથી હાય ક્ષય નિત જીવનને,
વિકટ વ્યાપાર કરીને મેળ ન રહે કાળને; અન્યના જન્માદિ દેખી નર પ્રમાદી ના ડરે,
મોહ મદિરા પાન કરીને જગત ગાંડું થઈ ફરે. ૧૩૭ અર્થ–સૂર્યની ગતિ આગતિથી એટલે સૂર્યના ઉદય વડે અને આથમવા વડે હંમેશાં મનુષ્ય જીવનને નિરન્તર ક્ષય થઈ રહેલો છે. એટલે જેમ જેમ દિવસ અને રાત જાય છે તેમ તેમ આયુષ્ય દરરોજ ઓછું થતું જાય છે, તે છતાં પ્રમાદી એટલે ધર્મ કાર્ય કરવામાં આળસુ મનુષ્યને હિંસાદિ દોષમય વ્યાપારમાં એટલે મુશ્કેલી ભરેલાં સાંસારિક કાર્યોમાં કાળને મેળ રહેતો નથી એટલે કેટલો કાળ ચાલ્યા ગયે કે પિતાનું કેટલું આયુષ્ય વીતી ગયું. તેનું તેને લગાર પણ ભાન રહેતું નથી. વળી તે જગતમાં બીજાનાં જન્માદિ એટલે જન્મ મરણ વગેરે જે દુઃખ થાય છે તે જુવે છે, છતાં પણ ચેતતો નથી. વળી મારે પણ મરવું પડશે અને આ મનુષ્ય ભવ મૂકી ક્યાં ભવમાં જઈશ, આ બાબતનો લગાર પણ વિચાર તે કરતું નથી. કારણ કે અપ્રમાદી જી સિવાય મેહ મદિરા એટલે મેહ રૂપી દારૂ પીને આ લગભગ આખું જગત ગાંડું થઈને જ ફર્યા કરે છે, એટલે મોહનીય કર્મને લઈને કુટુંબાદિકમાં આસક્ત થએલા આ જગતના લેક ગાંડાની જેમ દુ:ખી થાય છે. ૧૩૭ આર્યદેશાદિક લહીને જેહ જડ ના ધર્મને,
કરતે જે તે સાગરે આધાર ઉત્તમ વહાણને; આદિ પદથી બુદ્ધિ બલકુલ રૂપ જીવન જાણીએ,
નરપણુમાં ધર્મસાધન એહ કદી ન ભૂલીએ. ૧૩૮ ૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org