________________
દેશના ચિંતામણિ ]
૧૧૧
ઘંટીઓમાં પીલવામાં આવે તે પણ ત્રુટી છૂટીને જૂદી પડતી નથી, એવું મજબૂત આ વર્ષભનારા નામનું પહેલું સંઘયણ છે. એ સિવાયનાં ઋષભ નારા આદિ બાકીનાં પાંચ સંઘયણ ઓછાં ઓછાં મજબૂત છે તેનું સવિસ્તર સ્વરૂપ શ્રીલેકપ્રકાશાદિ ગ્રંથાથી જાણી લેવું. ૧૩૨
પ્રમાદી જીની મૂર્ખતા ચાર લોકમાં જણાવે છે – જે ભૂરિ પુણ્ય પામીએ તે નરપણાને પામીને,
જિન ધર્મને જેઓ ન સાધે સેવી પંચ પ્રમાદને; તેઓ પ્રબલ દુઃખ વેઠીને પામેલ રત્નો જલધિમાં,
પાડી ગુમાવે કઈ તેના જેહવા આ વિશ્વમાં. ૧૩૩ અર્થ -ચુલ્લગ આદિ દશ દષ્ટાન્તને અનુસારે અત્યન્ત દુર્લભ એવો જે મનુષ્ય ભવ ઘણું પુણ્ય પામી શકાય છે, અને અનુત્તરાદિ દેવ પણ જેને પામવાની ઈચ્છા કરે છે તે મનુષ્યપણુને પામીને પણ જેઓ પંચ પ્રમાદને સેવી જૈન ધર્મની સાધના કરતા નથી તેઓ ઘણાં દુઃખ વેઠીને મેળવેલ રત્નને સમુદ્રમાં બેદરકારીથી પાડી નાંખીને ગુમાવી દે છે. એટલે રત્નને ગુમાવનારા જીવોની જેવા મૂર્ખ તરીકે ગણાય છે. આ સંસારમાં તેના જેવા બીજા કેણ હોય છે ? તે આગળના લોકમાં ગ્રંથકાર જણાવે છે. ૧૩૩ તિમ કનકના થાલમાં ધલી ઠવંતા નરસમા,
અમૃતજલે નિજ ચરણને ધનાર મૂખની સમા; લાકડાં હાથી કને મંગાવનારાની સમા,
ફેંકી મણિને કાકને ઉડાડનારાની સમા. ૧૩૪ અર્થ:--જેઓ દુર્લભ મનુષ્ય જન્મ પામ્યા છતાં પ્રમાદમાં રહીને તેને ધર્મકાર્ય કર્યા વિના ફેગટ ગુમાવી દે છે, તે મનુષ્ય સેનાના થાળમાં ધૂળ નાખનાર મનુષ્યની જેવા જાણવા. કારણ કે સોનાના થાળમાં તો ઉત્તમ કિંમતી વસ્તુઓ અથવા સારાં સારાં ભેજન મૂકવાં જોઇએ તેને બદલે તેમાં ધૂળ ભરે તે તે મનુષ્ય મૂર્ખ જ ગણાય છે. (૨) બીજું દષ્ટાંતા–વળી મરણ પામવાની અણી ઉપર હોય તેવા મનુષ્યની જિંદગીને બચાવનાર અમૃતજળ છે. છતાં તેવાં અમૃતનાં પાણીનો ઉપયોગ પિતાના પગ દેવામાં કરે તે મૂર્ખ કહેવાય, તેના જેવા જ મૂર્ખ પ્રમાદી અને જાણવા કે જેઓ પામેલા મનુષ્ય ભવને હારી જાય છે. (૩) ત્રીજું દષ્ટાન્ત:–કેઈ માણસ હાથીનો ઉપગ લાકડાં મંગાવવામાં કરે તે તે મૂર્ખ ગણાય, તેના જેવા જ પ્રમાદીઓને મૂર્ખ જાણવા. કારણ કે હાથીને ખરે ઉપયોગ તે રાજા મહારાજા વગેરે ઉત્તમ માણસના બેસવાના કામમાં, અને તેના ઉપર અંબાડી મૂકી તેને શણગારવામાં કરવો જોઈએ તેના બદલે ગધેડા, ઉંટ અથવા બળદની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org