________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-સૂર્યમંડલનું સ્વરૂપ
દક્ષિણાઈ મંડલમાં સંક્રાંત થયેલ સૂર્ય મેરુ પર્વતના દક્ષિણ ભાગને પ્રકાશિત કરે છે. અને ઉત્તરાર્ધ મંડલમાં સક્રાંત થયેલ સૂર્ય મેરુ પર્વતના ઉત્તર ભાગને પ્રકાશિત કરે છે.
ત્યારે બીજા મંડલમાં દક્ષિણ અને ઉત્તર તરફ દિવસ ૨/૬૧ ભાગ ન્યૂન ૧૮ મુહૂર્તનો હેય છે અને ૧૨ મુહૂર્તની રાત્રિ હેય છે.
ત્યાર પછી સવ" અત્યંતર મંડલના બીજા મંડલમાંથી નીકળતા બનને સર્યો નૂતન વર્ષની બીજી અહેરાત્રિએ સર્વ અત્યંતર મંડલના બીજા મંડલમાંથી ત્રીજા મંડલમાં સંક્રાંત થાય છે.
ત્યારે જે દક્ષિણ તરફને ભારત સુર્ય નૂતન વર્ષ સંબંધી પ્રથમ અહેરાત્રિએ સર્વ અત્યંતર મંડલમાંથી બીજા મંડલના ઉત્તરાર્ધ મંડલમાં સંક્રમીને ફરતો તે સૂર્ય સર્વ અત્યંતર મંડલમાંથી ત્રીજા મંડલના દક્ષિણ તરફના અર્ધમંડલમાં મેરુ પર્વતથી અગ્નિ ખૂણાથી પ્રવેશીને ગતિ કરે છે.
જે ઉત્તર તરફનો ઐરાવત સૂર્ય નૂતન વર્ષની બીજી અહેરાત્રિએ સર્વ અત્યંતર મંડલમાંથી ત્રીજા અધ મંડલના ઉત્તર તરફના અધ મંડલમાં પહેલેથી મેરુ પર્વતથી વાયવ્ય ખૂણાથી સંક્રમીને ગતિ કરે છે.
આ વખતે મેરુ પર્વતથી દક્ષિણ ભાગમાં અને ઉત્તર ભાગમાં ૪/૬૧ મુહૂર્ત જૂન ૧૮ મુહૂર્તનો દિવસ અને ૧૨ મુદ્દતની રાત્રિ હોય છે.
આ પ્રમાણે સર્વ અત્યંતર મંડલથી નીકળતા બન્ને સૂર્યો એક એક અર્ધ મંડલને આવરીને ગતિ કરતા યાવત્ બન્ને સૂર્યો સર્વ બાહ્યમંડલમાં આવે છે.
ત્યારે સર્વ બાહ્ય મંડલમાં દક્ષિણ તરફને ભારત સૂર્ય આગળને સર્વ બાહ્ય મંડલના દક્ષિણ તરફના ભાગને પ્રકાશિત કરતે તે સર્વ બાહ્ય મંડલના આગળના બીજા મંડલ સંબંધી દક્ષિણ તરફના અધ મંડલમાંથી નીકળીને નૂતન વર્ષ સંબંધી પહેલા છ મહિનાના અંતે એટલે ૧૮૩ મી અહેરાત્રિએ સર્વ બાહ્ય મંડલના ઉત્તર બાજુના અર્ધ મંડલમાં મેરુ પર્વતથી વાયવ્ય ખૂણામાંથી પ્રવેશીને ગતિ કરે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org