SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહત્ ક્ષેત્ર સમાસ શંકા–તમેએ ઉપર મુજબ સમાધાન કર્યું તેના કરતાં મહા વિદેહમાં રાત્રિ હોય ત્યારે ચંદ્રનું અસ્તિત્વ કેમ સ્વીકાર્યું નહિ ? શું સૂર્યને પ્રકાશ ન હોય ત્યારે જ રાત્રિ કાળ થાય અને ચંદ્રના અસ્તિત્વને અંગે રાત્રિ કાળ નહિ ? સમાધાન—દિવસ અથવા રાત્રિને કરવામાં ચંદ્રને કઈ પણ પ્રકારે લાગતું વળગતું નથી, અર્થાત સૂર્ય મંડળોથી થતી રાત્રિ-દિવસની સિદ્ધિમાં ચંદ્ર મંડળોનું કંઈ પ્રયોજન હેતું નથી. કેમકે ચંદ્ર મંડળોનું અલ્પ સંખ્યા, (માત્ર ૧૫ મંડળ ) મંડળનું વધારે અંતર, ચંદ્રની મંદગતિ, મુહુર્તગતિ આદિમાં સર્વ પ્રકારે વિપર્યાસ વિચિત્ર પ્રકારે થતો હોવાથી સૂર્યમંડળની ગતિ સાથે સાહચર્ય મળતું ક્યાંથી આવે ? કે જેથી તે ચંદ્ર રાત્રિ કે દિવસને કરવામાં નિમિત્તરૂપ બને. આથી ચંદ્રના ઉદય અને અત ઉપર કંઈ રાત્રિને ઉદય-અસ્તને આધાર છે એમ તે છે જ નહિ, તેમજ રાત્રિને ઉદય-અસ્તને આધાર ચંદ્ર છે એમ પણ નથી. જો ચંદ્રના ઉદય-અસ્તના ગે રાત્રિકાળનું સંભવિતપણું રવીકારતું હોય તે ભરત વગેરે ક્ષેત્રોમાં શુકલપક્ષ અને કૃષ્ણપક્ષમાં પણ હંમેશને માટે સૂર્યાસ્ત થયા બાદ ચંદ્રનું દર્શન અવશ્ય થાત જ, જ્યારે એ પ્રમાણે બનતું તે નથી. પણ વધુમાં પ્રત્યેક તિથિએ ચંદ્રનું દર્શન સૂર્યાસ્ત પછી મોડું મોડું (બે બે ઘડી મોડું થતું જાય છે. વળી ખરી રીતે વિચારીએ તો હંમેશાં આખી રાત્રિ પૂર્ણ થતાં સુધી ચંદ્રનું અસ્તિત્વ હોવું જ જોઈએ; છતાં એમ ન થતાં અહીં તે શુકલ પક્ષમાં અમુક અમુક પ્રમાણ રાત્રિકાળ રહેવાવાળો ચંદ્ર સૂર્યોદય પછી ઓછેવત્તે કાળે પણ દેખાતો અને તે તે તિથિએ અમુક-અમુક કાળ રહેનારો ચંદ્ર હોય છે. આથી શુકલ પક્ષમાં ચંદ્ર આશ્રયી રાત્રિકાળ કેમ ન હોય તે શંકા રહેતી નથી. કૃષ્ણપક્ષમાં તે દરેક તિથિએ બે બે ઘડી (૪૮–૪૮ મિનિટ) મોડું મોડું ચંદ્ર દર્શન થતું હેઈ ચંદ્રોદય સાથે રાત્રિનો સબંધ ન હોય તે સ્પષ્ટ સમજાય તેમ છે. આથી સૂર્યાસ્ત થયા બાદ (યથા ગ્ય અવસરે તે તે દિવસોમાં) ચંદ્રના ઉદય હોય છે જે તેમ નથી. જો સૂર્યાસ્ત થયા બાદ ચંદ્રના ઉદયે થતાં જ હેત અને સ્વીકારાતા હતા તે સૂર્ય પ્રકાશ આપતે હેત ત્યારે દિવસે પણ ઝાંખો ચંદ્ર દેખી શકીએ છીએ તે દેખી શકત નહિ. આવા આવા ઘણા કારણથી રાત્રિકાળ કરવામાં ચંદ્રોદય કારણ નથી. તેથી જ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy