SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદષ્ટિએ મહા ભૂગેળ-સૂર્યમંડલનું સ્વરૂપ ચંદ્રના અસ્તિત્વવાળો કાળ તે રાત્રિકાળ એમ નહિ પણ સૂર્યના પ્રકાશના અભાવવાળ કાળ તે રાત્રિકાળ કહેવાય છે. સૂર્ય સાથે ચંદ્રમાનું કઈ પણ પ્રકારને (ખાસ કરીને) સંબંધ ન ધરાવવામાં કારણભૂત ચંદ્રમાનું પોતાનું જ સૂર્યથી જુદી જ રીતે મંડળમાં ફરવાપણું છે. તેના ગે તે સૂર્ય અને ચંદ્ર બન્નેને જયારે રાશિ-નક્ષત્રને સહયોગ સરખો હોય છે, ત્યારે તે બન્ને એક જ મંડળમાં અમાસના દિવસે આવે છે અને તે જ દિવસ અમાવાસ્યા તરીકે પ્રસિદ્ધ છે. કહ્યું છે કે – सूरेण समं उदओ चंदस्स अमावसी दिणे होइ। तेसि मंडलमिकिक रासिरिवखं तहिकं च ॥ સૂર્યની સાથે ચંદ્રને ઉદય અમાવાસ્યાના દિવસે થાય છે. તેમનું મંડળ એક જ હોય છે તથા રાણી અને નક્ષત્રનું ત્યાં મંડળ એક હોય છે. બીજે દિવસે ચંદ્ર પુનઃ મંદગતિ આદિના કારણે હંમેશાં એક એક મુહૂર્ત બે-બે ઘડી) પાછળ પડી જાય છે. અને પાછા અમાસના દિવસે એક જ મંડળમાં આવી જાય છે. આ પ્રમાણે પૂર્વ-પશ્ચિમ વિદેહમાં સૂર્યાસ્તના ત્રણ મુહુર્ત બાકી રહ્યાં હેય ત્યારે ભરત–ઐવિત ક્ષેત્રમાં સૂર્યોદય થઈ જાય. (તેમ ભરત–ઐરાવત ક્ષેત્રમાં સૂર્યાસ્તના ત્રણ મુહુર્ત બાકી રહ્યાં હોય ત્યારે પૂર્વ-પશ્ચિમ વિદેહમાં સૂર્યોદય થઈ જાય). એટલે બને વિદેહગત ઉદયકાળનાં રાત્રિ આરંભની પહેલાંના) જે ગાણ મુહુર્ત તે જ ભરત–રવત ક્ષેત્રના અરતકાળનાં ત્રણ મુહુર્ત. તેમ ભરત-ઐરાવત ક્ષેત્રના અતકાળનાં જે ત્રણ મુહુર્ત તે જ પૂર્વ–પશ્ચિમ વિદેહ ક્ષેત્રના ઉદયકાળના કારણ રૂપ હોય છે. આ પ્રમાણે જયારે દક્ષિણ અને ઉત્તર દિશાગત (ભરત–રવત) ક્ષેત્રોમાં સૂર્યો પ્રભાત કરી રહ્યા હોય તે પ્રભાતકાળના ત્રણ મુહુર્ત કાળ વીત્યા પછી પૂર્વ અને પશ્ચિમ દિશાગત (પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહ) ક્ષેત્રોમાં જઘન્ય રાત્રિને પ્રારંભ થાય છે. એ પ્રમાણે જ્યારે ભરત-ઐરવત ક્ષેત્રોમાં સૂર્યાસ્ત થવાના (બપોર પછીના) -આથી અમાવાસ્યાનું બીજું નામ “ટૂણે ખુણામ” પડેલું છે, તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે – મા તદ વાતોwાં ચાલી ત્યવસ્થા” ૨-રા ઘડી=1 કલાક, ૧૨ કલાકને દિવસ, એટલે ૧૨ કલાક, ૩૦ ઘડી કે ૧૫ મુહૂર્ત આ ત્રણે સરખા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy