SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-આંબવૃક્ષનું સ્વરૂપ આ પ્રમાણે એક જંબૂવૃક્ષને ઘેરાવો કહ્યો, હવે બાકીના જંબૂવૃક્ષના ઘેરાવા કહે છે. पउमद्दहे सिरीए, जो परिवारो कमेण निद्दिट्टो। सो चेव य नायव्वो, जंबूएऽणाढियसुरस्स ॥२९१॥ છાયા– શ્રીરાઃ : વાર મેળ નિહિંgઃ | स एव च ज्ञातव्या जम्व्यवामनातसुरस्य ॥२९१॥ અથ–પદ્મદ્રહમાં શ્રીદેવીનો પરિવાર કહ્યો છે, તે જ ક્રમ પ્રમાણે અનાદત દેવના જંબૂવૃક્ષો જાણવા. વિવેચન—જે પ્રમાણે પદ્મદ્રહમાં શ્રીદેવીના પરિવારમાં વલયે અને કમળાની સંખ્યા જણાવી છે, તે જ પ્રમાણે અહીં જંબુદ્વીપના અધિપતિ અનાદત દેવના પરિવારનાં વલયે અને જંબૂવૃક્ષો જાણવા. તે આ પ્રમાણે– જેમ પદ્મદ્રહમાં બીજા વલયમાં ઈન્દ્ર સામાનિક દેવને યોગ્ય મળે, ત્રીજા વલયમાં આરક્ષક દેવને યોગ્ય કમળો છે, તેમ અહીં જંબૂવૃક્ષો જાણવા. પહેલા વલયમાં ૧૦૮ જંબૂવૃક્ષો છે, તે અનાદત દેવના આભૂષણો માટે છે. મતાંતરે શ્રી જિનચૈત્ય કહ્યા છે. વાયવ્ય ખૂણે, ઉત્તર દિશામાં અને ઈશાન ખૂણામાં આ ત્રણ દિશામાં જંબુદ્વીપના અધિપતિ અનાદત દેવના ઈન્દ્ર સામાનિક દેવને ગ્ય ૪૦૦૦ જંબૂવૃક્ષો છે. પૂર્વ દિશામાં ચાર અમહિલીને ગ્ય ૪ જંબૂવૃક્ષો છે. અગ્નિ ખૂણામાં અત્યંતર પર્ષદાના દેવોને ગ્ય ૮૦૦૦ જંબૂવૃક્ષો, દક્ષિણ દિશામાં મધ્ય પર્ષદાના દેવોને ૧૦૦૦૦ જંબૂવૃક્ષો, નૈઋત્ય ખૂણામાં બાહ્ય પર્ષદાના દેવોને યોગ્ય ૧૨૦૦૦ જંબૂવૃક્ષો છે. પશ્ચિમ દિશામાં સાત સૈન્યના અધિપતિ દેવોને યોગ્ય ૭ જંબૂવૃક્ષો છે. આ વૃક્ષો ૨ એજનના વિસ્તારવાળા, બે ગાઉ જમીનમાં, ૨ ગાઉ ઉંચુ થડ, ૧૧ જનની ઉર્ધ્વ શાખા, ચાર દિશાની ચાર શાખા ડા ગાઉ લાંબી અને બે ગાઉ જાડી છે. ત્રીજા વલયમાં ૧૬૦૦૦ આત્મરક્ષક દેને યોગ્ય ૧૬૦૦૦ જંબૂવૃક્ષો છે. આ વૃક્ષોને સમુહ ૧૦૦ એજનના પ્રમાણવાળા-વિરતારવાળા ત્રણ વનખંડથી વિંટાએલા છે. તે આ પ્રમાણે અત્યંતર વનખંડ, મધ્ય વનખંડ અને બાહ્ય વનખંડ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy