________________
૩૦૪
બૃહત્ ક્ષેત્ર સમાસ અર્થ–વળી જે નદીઓ ઉત્તર તરફ વહે છે તેની આ જ રીત થાય છે. જે નિયમ દક્ષિણમાં દક્ષિણાભિમુખી માટે છે તે ઉત્તરમાં ઉત્તરમુખી માટે જાણવો.
વિવેચન–જે નદીઓ મેરુ પર્વતથી ઉત્તર તરફના પર્વત ઉપરના દ્રહમાંથી નીકળી ઉત્તર તરફ વહે છે. તે નદીઓને મૂળમાં પ્રવાહની રીત પ્રથમની રીત પ્રમાણે થાય છે.
સામાન્ય રીતે મેરૂ પર્વત દરેક ક્ષેત્રથી ઉત્તર દિશામાં જ રહેલો છે, પરંતુ અહીંયા જ વિવક્ષા કરવામાં આવી છે તે આપણા ભરતક્ષેત્રથી ઉત્તર–ઉત્તર તરફ છેક ઐરાવત ક્ષેત્ર સુધી બધા ક્ષેત્ર–પર્વતે ઉત્તર તરફ ગણુને કરવામાં આવી છે. તે અપેક્ષાએ ઉત્તર તરફ વહેતી નદીઓનું આ જ કરણ જાણવું.
મેરૂ પર્વતથી દક્ષિણ તરફ વહેતી નદીઓ માટે જે રીત જણાવી છે, તે જ રીત મેરૂ પર્વતથી ઉત્તર તરફ વહેતી નદીઓ માટે પણ જાણવી. ફરક માત્ર એટલો કે મેરૂ, પર્વતથી દક્ષિણ તરફની જે રીત છે તે અહીં ઉત્તર તરફની જાણવી અને ઉત્તર તરફની જે રીત છે તે દક્ષિણ તરફની જાણવી. એટલે મેરુ પર્વતથી ઉત્તર તરફના પર્વ ઉપરના દ્રહમાંથી ઉત્તરાભિમુખી નદીઓ પોતપોતાના પ્રહના વિસ્તાર-પહોળાઈને ૮૦મા ભાગના વિસ્તારવાળી શરૂઆતમાં જાણવી. અને દક્ષિણાભિમુખી નદીઓ પોતપિતાના દ્રહના વિસ્તારથી ૪૦મા ભાગના વિસ્તારવાળી નીકળતી વખતે તે નદીઓને પ્રવાહ જાણો. તે આ પ્રમાણે ' પુંડરિક દ્રહને વિરતાર ૫૦૦ એજન છે. તેને ૮૦મો ભાગ ૬ યજન ૧ ગાઉ થાય. તેથી રક્તા નદી અને રક્તાવતી નદીને પ્રવાહ દ્રહમાંથી નીકળતી વખતે ૬ જન ૧ ગાઉ જાણવો.
મહાપુંડરિક દ્રહને વિરતાર ૧૦૦૦ યોજન છે, તેનો ૮૧મો ભાગ ૧૨ યોજન ૨ ગાઉ થાય. તેથી પકૂલા નદીને પ્રવાહ દ્રહમાંથી નીકળતી વખતે ૧૨ જન ૨ ગાઉને જાણવો.
કેસરી દ્રહને વિસ્તાર ૨૦૦૦ યોજન છે. તેને ૮૦ ભાગ ૨૫ જન થાય. તેથી નારીકાંતા નદીને પ્રવાહ પ્રહમાંથી નીકળતી વખતે ૨૫ જનને જાણ.
દક્ષિણાભિમુખી નદીઓને પ્રવાહ આ પ્રમાણે –
પુંડરિકદ્રહને વિરતાર ૫૦૦ જન છે. તેને ૪૦ ભાગ ૧૨ જન ૨ ગાઉ થાય તેથી સુવર્ણફૂલા નદીનો પ્રવાહ માંથી નીકળતી વખતે ૧૨ યોજન ૨ ગાઉ જાણો,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org