SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬. શ્રી સમરાદિત્ય યશધરમુનિ ચરિત્ર એના જે ઉત્તર છે, ઉડાઉ ઉત્તર છે, સાધ્યની ચિંતા વિનાની વાત છે. સાધ્ય માટે જ સાધન—એ જે બરાબર હૈયે અંકિત થઈ ગયું હોય, તે સાધન ઊભું કરવા સાથે જ ચિંતા રહે કે સભ્ય સધાતું આવે છે ને?” (૧) ચૂલે ચાલુ કર્યા પછી ઉપર તરત તપેલી વગેરે ચડાવાય છે. (૨) સારો નિશાળિયે નિશાળે જઈ જુએ જ છે કે, “આજે કઈ જ્ઞાન મળે છે કે નહિ? માસ્તર ખાલી વાતો કરી જાય તો દહાડે નિષ્ફળ માને છે. (૩) વૈદ-ડાકટરની દવા ખાતાં જોવાય જ છે કે રેગ ઓછો થયેને?” ના, ૮-૮ દિવસ થયા ફેર નથી દેખાતે, તે તરત થાય છે કે “આ દવા મૂકી દે.” (૪) કરને ખવરાવે, પગાર આપે, પણ બરાબર યાન રાખો છો કે એ કામ આપે છે ને ?' આ બધે સાધનની અગત્ય માની સાધન ઊભું કરાય છે ખરૂં, પરંતુ સાધ્ય માટે સાધન એ બરાબર લક્ષમાં રાખીને એમ અહીં “આ જીવન, શરીર, ખાનપાન કમાઈ વગેરે હશે તે ધર્મ થશે, એમ બેલે ત્યાં, કહે છે, પાકું લક્ષ છે ને કે એ બધું ય સાધ્ય માટે જ છે, તે મુખ્ય કામ સાથે ધર્મ કર્યો જવાનું રાખું?” ધર્મ કરવામાં જ્યાં ઓછપ રહી ત્યાં ખેદ થય ને? નિસાસો પડયે ને “હાય! આ જીવન અને શરીર-પષણ નકામું ગયું!' સાધ્ય ન સધાયાને સંતાપ - એવું થયા કરે છે ખરું કે “અરે! (૧) આ ધનથી દાન ન થયું? ધન દેવ-ગુરુના ચરણે ન ગયું? ધન કમાવું માથે પડયું! (૨) પ્રતિકમણુ-સામાયિક ન થયું, શરીરને ખવરાવેલું ફેગટ ગયું! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy