________________
૩૬૪
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર સામે આવે છે, ત્યાં આ વિચારવાનું કે આમાં અજ્ઞાન કામ કરી રહ્યું છે કે કેમ, અને તે કેવુંક? નજરે દેખાયું કે કે શેઠિ મસ્ત થઈ મેજ કરી રહ્યો છે અગર બડી બડી વાત કરી રહ્યો છે, ત્યાં આપણને એમ થાય કે, “અહે! આને બિચારાને પરલોક કે આવવાના છે એની ખબર નથી, તેથી ચાં તણાઈ રહ્યો છે! અગર ભૂતકાળની ગમ નથી. એટલે ધર્મનાં ફળ ધર્મને જ ધૂત્કારીને ભેગવવાની કેવી મૂર્ખતા કરી રહ્યો છે !
મૂર્ખાઈ સમજ્યા?
મૂર્ખાઈ આ, અત્યારે એ સુખ-લીલા ભોગવી રહ્યો છે એ તો પૂર્વે સેવેલા ધર્મનું ફળ ભેગવે છે, પરંતુ એમાં એક બાજુ પુણ્ય ખત્મ થતું આવે છે અને બીજી બાજુ ધર્મબુદ્ધિ, ધર્મભાવના અને ધર્મપ્રવૃત્તિ સૂઝતી નથી, એનું નામ ધર્મને ધૂત્કારવનું કરી રહ્યો છે. દુનિયા ઢગલા વાતને આવકારે છે, માત્ર ધર્મને નહિ.
ત્યારે ધર્મને ધુત્કારીને ધર્મનાં ફળ ભોગવી લેવાનું પરિણામ વિશ્વાસઘાતીને નિમકહરામને જે આવે તેવું જ દુઃખદ હેય ને? આનું અજ્ઞાન સેવીને જીવતું જીવન જોઈ એમ થાય, “અહે! અજ્ઞાન શું કામ કરી રહ્યું છે !!' પિતાનું ય તેવું જીવન હોય તે પોતાના માટે પણ એમ જ ખેદ થાય.
એમ એક બીજો દાખલો જુએ કે માણસ તાનમાનમાં ચઢી બીજાનાં અપમાન, તિરસ્કાર કે નિંદા કરવા જાય ત્યાં એને એ ખબર નથી કે તે પૂર્વ ભવમાં એવાં અપમાનાદિ પામીને આવ્યા છે અને ત્યારે ત્યાં એને જે હૃદથભેદી દુઃખ થયેલાં એ ઘેર હતા અસહ્ય હતાં, તો અત્યારે સામે જીવને પણ એવા દુઃખ થાય છે. એમ એ પણ ખબર નથી કે આ અપમાન તિર
સ્કાર-નિંદાનાં કટુ ફળ એવાં આવીને ઊભા રહેશે કે જે સહ્યાં નહિ જાય, એ જે હમણાં નજરે દેખે તે કમકમી વછુટી જાય. પણ એનું તો અત્યારે અજ્ઞાન પ્રવર્તે છે માટે અપમાનાદિ કરી રહ્યો છે, ત્યારે એમ થાય કે, “અહે, અજ્ઞાન શું કામ કરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org