________________
પ્રાસ્તાવિક
પ્રાચીન હસ્તપ્રતોને આધારે જૂની ગુજરાતી ભાષાની કૃતિઓના સંપાદનનું કામ જેમને કરવું છે તેમને, “આ કામનું સ્વરૂપ કેવું છે? શી સમસ્યાઓ છે ? કઈ કઈ બાબતોનો આમાં વિચાર કરવો પડે ? ' - એ અંગે પ્રાથમિક માહિતી આપતો કોઈ પ્રયાસ થયો નથી. એટલે, ભાઈ જયંત કોઠારીના સૂચનથી, મેં આ પહેલાં જુદાજુદા સંદર્ભમાં જુદે જુદે સમયે જે કાંઈ છૂટકત્રુટક માહિતી આપી છે કે ચર્ચા કરી છે, તે લખાણો અહીં નાની પુસ્તિકારૂપે એકત્ર મૂક્યાં છે. અત્યારે ઉક્ત પ્રકારના કામમાં થોડોક રસ લેવાતો હોવાથી આમાંથી પ્રારંભિક માર્ગદર્શન મળી રહેશે એવી આશા છે. હકીકતે તો આ માટે એક સમગ્રદશી પુસ્તકની જરૂર છે. પ્રકાશિત કરવા માટે હું પ્રાકૃત વિદ્યામંડળનો ઋણી છું. સપ્ટેમ્બર, ૧૯૮૭
હરિવલ્લભ ભાયાણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org