________________
પરિશિષ્ટ ૨
૨૯૫
નાનામાં નાની જગા, પણ તારી પ્રેમચન્દ્રિકા પામ્યા વિના રહી જતી નથી; આ શરીરરૂપી ગાળામાં રહી પ્રવૃત્તિનિવૃત્તિરૂપ પાંખો ફફડાવતું આ જીવાત્મારૂપી પક્ષી પણ એની શાંત દષ્ટિ વડે તારા મુખનું અવલોકન કરી શકે છે અને એકાદ પવિત્ર ગ્રન્થરૂપી લતાપત્રોના આશ્રય નીચે રહીને તારી ઝાંખી લઈ શકે છે. ભક્તિરૂપી મોતીની છીપમાં નાની આ બિચારી શાંત થઈ પડી
રહેલી મનરૂપી માછલી પણ તારી શાંતિ પામે છે. ]
કાવ્ય : ૭
ખાડાના વારે “રાજા હરિશ્ચન્દ્ર છોડી ચાલ્યો શે'ર સત્યવાદીને સતને કારણે જી રે; વેચ્યાં રાણી ને કુંવર રોહિદાસ બૌચરી તારે વારણે જી રે. ત્યાં તો બનો પગ ન ઠેરાય શેરી નથી સોયલી જી રે; મારગ ખરો છે ખાંડાની ધાર દીસે વાટ દોહ્યલી જી રે. સીપને ઉપની'તી સત્ય અપાર ઊંડીથી ઉપર આવવા જી રે; માથે વેહના વૂક્યા મેઘ મોતીને મેળવવા જી રે. મુને રત્ન લાધ્યું રામનું નામ સગુરુના સાથમાં જી રે ; ભોજલ સ્નેહ રે કરીને ચિત્ત રાખ્ય હીરો આવ્યો હાથમાં જી રે” ૪
– ભોજો
કાવ્ય : ૬
ચાંદલિયો “ઓ પેલો ચાંદલિયો મા મુને, રમવાને આલો; નક્ષત્રથી ચૂંટી લાવી, મારે મુંઝલડે ઘાલો, રુવે રુવે ને રાતડો થાએ, ચાંદા સામું જુવે; માતા જશોદાજી હરિનાં આંસુડાં હૂવે. લોકનાં અનેરાં હૈયાં, ઘેલો તું કાં થાય; ચાંદલિયો આકાશે વ્હાલા, ક્યમ કરી લેવાય ! થાળીમાં જળ ભરિયું માંહિ, ચાંદલિયો દાખ્યો; નરસૈયાનો સ્વામી શામળિયો, રડતો રાખ્યો.”
- નરસિંહ મહેતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org