SearchBrowseAboutContactDonate
Page Preview
Page 997
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર બૃહતસંગ્રહક્ષી સત્રમુ–ગાથાર્થ સહિત કાલોદધિમાં ૭00 યોજનાના અને સ્વયંભૂરમણમાં ૧000 યોજનના પ્રમાણવાળા ઘણા મગરમચ્છો હોય છે. તે સિવાયનાં સમુદ્રોમાં જુદા જુદા અને નાનાં પ્રમાણવાળાં ઘણાં જુજ મગરમચ્છો છે. (૭૬-૭૭) दो ससि दो रवि पढमे, दुगुणा लवणम्मि धायईसंडे । बारस ससि बारस रवि, तप्पभिइ निदिट्ठ ससि-रविणो॥७॥ तिगुणा पुबिल्लजुया, अणंतराणंतरंमि खित्तम्मि । વાતો વાયાના, વિસરિ પુવાર ૭૬ . પહેલાં જંબૂદ્વીપને વિષે બે ચન્દ્ર અને બે સૂર્ય હોય છે, બીજા લવણસમુદ્રમાં ચાર ચન્દ્ર તથા ચાર સૂર્ય હોય છે. ધાતકીખંડમાં બાર ચન્દ્ર અને બાર સૂર્ય હોય છે, હવેના દ્વીપ સમુદ્રોમાં ચન્દ્ર સૂર્યની સંખ્યા પ્રાપ્ત કરવા માટે આગળના દ્વીપ અથવા સમુદ્રના ચન્દ્ર કિંવા સૂર્યની સંખ્યાને ત્રણ ગુણી કરી તેથી આગળના બધાય દ્વીપ-સમુદ્રોના ચંદ્ર-સૂર્યની સંખ્યા તેમાં ઉમેરતાં જે સંખ્યા આવે તે સંખ્યા જાણવી. એ રીતિએ કાલોદધિ સમુદ્રમાં (૧૨*૩=૩૬+૨+૪=) ૪૨ ચન્દ્ર અને ૪૨ સૂર્ય હોય છે, તેમજ આખા પુષ્કર દ્વીપમાં (૪૨૩=૧૨૬+૨+૪+૧૨=) ૧૪૪ અને અર્ધપુષ્કરમાં ૭૨ ચન્દ્ર તથા ૭૨ સૂર્ય હોય છે. મનુષ્ય ક્ષેત્રમાં કુલ ૧૩૨ ચન્દ્ર અને ૧૩૨ સૂર્ય છે. (૭૮-૭૯). दो दो ससि-रविपंति, एगंतरिया छसट्ठिसंखाया । मेरुं पयाहिणंता, माणुसखित्ते परिभमंति ॥५०॥ છાસઠ-છાસઠ સંખ્યાવાળી ચન્દ્રની બે અને છાસઠ છાસઠ સંખ્યાવાળી સૂર્યની બે પંક્તિઓ છે, તે બન્ને પંક્તિઓ મનુષ્યોત્રમાં મેરૂને પ્રદક્ષિણા આપતી સદાકાળ પરિભ્રમણ કરે છે. (૮૦) छप्पन्नं पंतीओ, नक्खत्ताणं तु मणुयलोगम्मि । छावट्ठी छावट्ठी, होइ इक्किक्किआ पंती ॥१॥ [प्र. गा. सं. १६] મનુષ્યક્ષેત્રમાં નક્ષત્રોની છપ્પન પંક્તિઓ છે, તે મેરૂથી ચારે દિશામાં માનુષોત્તર પર્વત સુધી સૂર્યકિરણોની માફક રહેલી હોય તેમ દેખાય છે, તે પ્રત્યેક પંક્તિમાં ૬૬-૬૬ નક્ષત્રો હોય છે. (૮૧) एवं गहाइणोवि हु, नवरं धुवपासवत्तिणो तारा । तं चिय पयाहिणंता, तत्थेव सया परिभमंति ॥२॥ નક્ષત્રોની પંક્તિ સંબંધી જે પ્રમાણે વ્યવસ્થા બતાવવામાં આવી છે તે જ પ્રમાણે ગ્રહ વગેરેની પંક્તિ વ્યવસ્થા સમજવી, એટલું વિશેષ છે કે બે ચન્દ્રનો પરિવાર ૧૭૬ ગ્રહોનો હોવાથી ગ્રહોની પંક્તિઓ પણ ૧૭૬ હોય. પ્રત્યેક પંક્તિમાં ૬૬-૬૬ ગ્રહોની સંખ્યા જાણવી. વળી અચળ એવા ધ્રુવ તારાઓની સમીપમાં વર્તતા અન્ય તારાના વિમાનો તે ધ્રુવ તારાઓને જ પ્રદક્ષિણા દેતા ફરે છે. (૮૨) चउयालसयं पढमिल्लयाए, पंतीए चंद-सूराणं । तेण परं पंतीओ, चउरुत्तरियाए वुडीए ॥३॥ बावत्तरि चंदाणं, बावत्तरि सूरियाण पंतीए । पढमाए अंतरं पुण, चंदाचंदस्स लक्खदुगं ॥४॥ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy