SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ आयुष्यनो अबाधाकाल तेमज अंतसमयनी व्याख्या અન્તર્મુહૂર્ત વખતે જ થાય એવું કંઈ નથી, પણ સત્તાવીશમા ભાગથી ક્રમશઃ ત્રિભાગે ત્રિભાગે બંધકાળ હોય છે જ. હવે વિભાગની ઘટના વિચારીએ,–જે જીવનું આયુષ્ય ૯૯ વર્ષનું હોય તો તે જીવને ત્રીજા ભાગે પરભવાયુષ્યનો બન્ધ પડે, તો તે ક્યારે? તો સમજવું કે ૯૯ વરસના બે ભાગ બાદ કરીએ એટલે ૬૬ વરસ પૂરા થાય કે ૬૭માં વરસના પ્રારંભના દિવસોમાં કોઈ પણ ક્ષણે બંધ પડે. હવે એ વખતે બન્ધ ન પડ્યો તો બાકીનાં ૩૩ વરસ રહ્યા તેના નવમા ભાગે એટલે ૯૯ વરસમાં ૩ વરસ ૮ મહિના બાકી રહે ત્યારે, પરભવાયુષ્યનો બંધ પડે, ત્યારેય ન બાંધે તો પાછા ૩–૮ મહિનાના ૨૭માં ભાગે બાંધે. ઉપર પરભવાયુષ્યના કાળનો જે સિદ્ધાંત કે મર્યાદા છે, તે સ્કૂલ અને સામાન્ય ધોરણ પૂરતી જણાવી છે. સર્વથા માટે એ નિયમ ન સમજવો તેમજ અફર જ છે એવું પણ ન સમજવું. [૩૨૭–૩૨૮] અવતરણ–આ પ્રમાણે બંધકાળને કહીને અબાધાકાળ અને અંત સમય, તથા પ્રસંગોપાત જુ અને વકા ગતિ કેટલા સમયની હોય? તેનું સ્વરૂપ પણ કહે છે. जडमे भागे बंधो, आउस्स भवे अबाहकालो सो । अंते उजुगइ इगसमय, वक्क चउपंचसमयंता ॥३२६॥ સંસ્કૃત છાયાयावति भागे बन्धः आयुषः भवेत् अबाधाकालः सः । अन्ते ऋजुगतिरेकसमया वक्रा चतुःपञ्चसमयान्ता ॥३२६।। શબ્દાર્થ – ગમે મને જેટલાયે ભાગે અંતે હનુરાઅન્તકાળે જુગતિ વંઘો ગાઉસ નવે બંધ આયુષ્યનો થાય સમય=એક સમય વાહક્કાનો તો અબાધાકાળને વાપં સમયંતાચાર પાંચ સમય સુધીની ગથાર્ય જેટલાયે ભાગે આયુષ્યનો બંધ થયો હોય ત્યાંથી લઈ તિ પરભવાયુષ્ય ઉદયમાં ન આવે ત્યાં સુધીનો] અબાધાકાળ કહેવાય, અન્તસમય એટલે મરણ સમય, એ અન્તસમયે પિરભવ જતાં જીવને] એક સમયની ઋજુગતિ અને ચાર-પાંચ સમયની વક્રાગતિ હોય છે. li૩૨૯ વિરોષાર્થ જે જીવોએ પોતાના આયુષ્યના છ માસ શેષ રહે અથવા સ્નાયુષ્યના ત્રિભાગેસત્તાવીસમે કે કોઈ પણ ભાગે, પરભવાયુષ્યનો બંધ કર્યો હોય, તે પરભવાયુષ્યના બંધકાળથી માંડી, જ્યાંસુધી તે બદ્ધપરભવાયુષ્ય ઉદયમાં ન આવે ત્યાં સુધીનો અનુદય અવસ્થારૂપ અપાન્તરાલકાલ (વચલો કાળ) તે, તે જીવના આયુષ્યનો અબાધાકાળ કહેવાય છે. જેમ કે, દેવ–નારકો કે યુગલિકો પોતાના આયુષ્યાના છ માસ શેષ રહે ત્યારે જ પરભવાયષ્યનો બંધ કરે છે. એ બંધકાળ પછી, છ માસ વ્યતીત થયે મરણ પામતાં તે બદ્ધાયષ્યનો ઉદય થાય છે. અહીં બંધકાલ અને ઉદયકાળ વચ્ચે છ માસનું જ સ્પષ્ટ જે અંતર પડ્યું તે જ, તે જીવો માટેનો અબાધાકાળ કહેવાય. તેવી રીતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy