SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ४५६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અવતરણ– હવે તે રત્નો કયા કયા સ્થાને ઉત્પન્ન થાય છે ? તે કહે છે. चउरो आउह-गेहे, भंडारे तिनि दुन्नि वेअड्डे । કાં રામે ય, નિયન વેર વારિ રઘી [y. IT. . ૬૪] સંસ્કૃત છાયાचत्वारि आयुधगेहे, भाण्डागारे त्रीणि द्वे वैताढ्ये । एकं राजगृहे च, निजनगरे चैव चत्वारि ॥२६७।। શબ્દાર્થ – સાઉદદે આયુધાલામાં ભંડાર ભંડારમાં રાળબિરાજગૃહમાં તેમ વૈતાદ્યમાં નિયનરે નિજનગરમાં માયા–ચાર રત્નો આયુધશાળામાં, ત્રણ ભંડારમાં, બે વૈતાઢ્યમાં, એક રાજાના ગૃહે અને શેષ ચાર અવશ્ય નિજનગરમાં ઉત્પન્ન થનારા હોય છે. ૨૬ળા. વિરોષાર્થ-૧ શનિ -ચક્રવર્તીનો જન્મ ઉત્તમ જાતિ અને ગોત્રમાં, ઉત્તમ રાજભોગકુલમાં જ હોય છે. તેઓ સવગે સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા ઉત્તમોત્તમ ૧૦૮ લક્ષણયુક્ત હોય છે. મહાન દેદીપ્યમાન પુણ્યના પૂંજરૂપ હોય છે. ચક્રવર્તી યોગ્યવસ્થાને પામે છે ત્યારે રાજગાદી ઉપર આવે છે. આવ્યા બાદ યથાયોગ્યકાલે પોતાને મહાન ઉદયારંભ થવાનો યોગ્ય સમય થતાં પ્રથમ ચક્રાકારે વર્તતું. ઝળહળતું, મહાન, નાના પ્રકારના મણિ–મોતીઓની માળાઓ, ઘંટડીઓ અને પુષ્પમાળાઓથી અલંકૃત, ચક્રીને સદા આધીન, સૂર્ય જેવા દિવ્ય તેજથી દિશાઓને પ્રકાશમય કરનારું, હજાર દેવચક્ષોથી અધિષ્ઠિત એવું ચક્રરત્ન શસ્ત્રરૂપ હોવાથી પોતાના પૂર્વજોની આયુધ (શસ્ત્ર રાખવાની) શાળામાં ઉત્પન્ન થાય છે. સર્વ રત્નોમાં અને આયુધોમાં શ્રેષ્ઠ હોવાથી, તેમજ ચક્રવર્તીના પ્રાથમિક દિવિજયને કરાવનારું હોવાથી, સહુથી પ્રથમ આ ઉત્પન્ન થાય છે. સવયુધોમાં સર્વોત્તમ પ્રભાવવાળું અને દુર્જય, મહારિપુઓનો વિજય કરવામાં સદાય અમોઘ શક્તિવાળું આ રત્ન, ચક્રથી શત્રુઓ ઉપર છોડાયા બાદ સેંકડો વર્ષે પણ તેને હણીને જ ચિક્રીના સ્વગોત્રીયને વજી ચક્રી પાસે આવનારું હોય છે. આ રત્ન પ્રાયઃ આયુધશાળામાં જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે હર્ષિત એવો શાળારક્ષક પોતે જ પ્રથમ ચક્રરત્નનો વંદનાદિકથી સત્કાર કરીને સ્વનૃપતિ [જે હજુ ભાવિ ચક્રીરૂપ છે તેમને ને હર્ષાનંદથી હૃષ્ટ–પુષ્ટ તે સેવક રાજસભામાં ખબર આપે છે. ભાવિ ચક્રી અને વર્તમાનના મહાનૃપતિ તે વાત સાંભળતાં જ મહાઆનન્દને પામીને સાત-આઠ પગલાં ચક્રરત્ન સન્મુખ ચાલીને, સ્તુતિ-વંદનાદિક કરીને, ખબર આપનાર શાળારક્ષકને પ્રીતિદાનમાં, મુકુટને વર્જી પહેરેલાં સર્વાભૂષણો આપીને તેમજ આજીવિકા બાંધી ૩૯૩. પ્રાયઃ શબ્દ એટલા માટે છે કે ભાવિ ચક્રી સુભમને મારવા દાનશાળાના અસ્થિ પ્રસંગમાં જ્યારે પરશુરામે ફરસી મૂકી કે તરત જ તે ફરસી મહાપુન્યશાળી સુભૂમને કંઈ ન કરી શકી. એ વખતે રૂટ થયેલા સુભૂમના હાથમાં રહેલી અસ્થિથાળી તે જ વખતે સુભેમનો વિજય કરવા જ સ્વયં ચક્રરૂપ બની ગઈ અને એ ચક્રથી તેણે પરશુરામને મરણશરણ કર્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy