________________
પ્રગાળ
श्री मुक्तिकमलमोहन जैन ज्ञानमन्दिर
વિ. રુ. ૨૦૧-૦૦
Jain Education International
प्राप्तिस्थान
जैन साहित्यमन्दिर, पालीताना- ३६४२७० * श्री मुक्तिकमल मोहन जैन ज्ञानमन्दिर रावपुरा, कोठीपोल, वडोदरा * सुघोषा कार्यालय, पालीताना
आवृत्ति-चौथी
K+K+K+K+K >>
Pl-૨૦૦૦
આ બૃહત્સંગ્રહણીરત્નનુંઅંગ્રેજી ભાષાંતર કરવું અશક્ય કે દુઃશક્ય છે. કેમકે આ જૈનધર્મનો ખાસ ગ્રંથ છે અને તેમાં સેંકડો શબ્દ પારિભાષિક છે. બીજા દેશના વિદ્વાન તે લોકોથી સર્વથા અજ્ઞાત છે. જૈનધર્મના તત્ત્વજ્ઞાનનકે તેના પારિભાષિક શબ્દોનું લેશમાત્ર જ્ઞાન હોય નહીં એટલે અંગ્રેજી ભાષામાં જૈન પારિભાષિક શબ્દો યોજેલા મળે જ ક્યાંથી? એટલે અંગ્રેજી ડિક્ષ્મરીઓમાં પણ તે ક્યાંથી મળે? અંગ્રેજીમાં નવા શબ્દો તૈયાર કરવા હોય તો જૈનધર્મના વિદ્વાનો સાથે તેના અર્થને સમજી ચર્ચા-વિચારણા કરી પછી કંઈક આયોજન થઈ શકે ખરૂં! પણ તે કામ ઘણુંજ મુશ્કેલ છે. જૈનધર્મના ઊંડા રહસ્યોથી સભર શબ્દોના અર્થ કરવાનું કામ આજની પરિસ્થિતિમાં અશક્ય જેવું લાગે
છે.
અમોએ અનુકૂળ શબ્દો મેળવવા જૈન વિદ્વાનોના લખેલાં અંગ્રેજી પુસ્તકો આપીને એક લેખકને સંગ્રહણીનું ભાષાંતર કરવાનુંકામ સં. ૨૦૪૧ આસપાસમાં સોપ્યું. ૮૧૦ ગાથાનું અંગ્રેજી પણ કર્યું. મેં અને મારા અન્ય સાથીએ વાંચ્યું પણ લાગ્યું કે મૂલ અર્થના ભાવને બરાબર સ્પર્શતું ન હતું. ઉલટું ગેરસમજ ઊભી થાય તેવું અને અપૂર્ણ હતું, એટલે અંગ્રેજી ભાષાંતર કરવાનું માંડી વાળ્યું. એક ઉપાય છે ખરો કે પારિભાષિક શબ્દો ન વાપરતાં તેમા ભાવ ને ચાલુ ભાષામાં રજૂ કરી વિષયો સમજાવી શકાય અને લખી પણ શકાય.
પરદેશના જૈન વિદ્યાર્થીઓને, વાચકોને અને અજૈન વાચકોને અંગ્રેજીમાં જૈનધર્મનું તત્ત્વજ્ઞાન, તેની ફિલોસોફી અને તેના આચાર-વિચારોને જાણવાની ભૂખ ખૂબ ઉઘડી છે. ત્યારે પરિસ્થિતિવશ મેં એ દિશામાં આગળ વધવાનું માંડી વાળ્યું.
સં. ૨૦૪૯
-ચશોદેવસૂરિ
For Personal & Private Use Only
www.jainelibrary.org