SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ धासोश्वासनी गणत्री ३४७ દેવો એકવાર શ્વાસોશ્વાસ લઈને મૂકે, ત્યારબાદ આનંદમાં નિરાબાધપણે વર્તતા પુનઃ એકાંતર થયે આહારગ્રહણ થાય અને મધ્યે સાત સ્તોક પૂર્ણ થયે ઉચ્છ્વાસ ગ્રહણ ચાલ્યા કરે છે. નોંધ—‘નિસાસૂસાત' શબ્દથી ટીકાકાર નિઃશ્વાસોશ્વાસ લેવાનું સૂચવે છે. અન્ય ગ્રન્થકારો પણ એ જ અર્થને સૂચવે છે, પણ જો શ્વાસોચ્છ્વાસથી છાતીના ધબકારાવાળા શ્વાસોચ્છ્વાસ લેવાના હોય તો પ્રસ્તુત ગણત્રીનો કોઈ જ મેળ મળતો નથી. કથન તદ્દન અસંગત બની જાય છે, કારણકે એક મુહૂર્ત એટલે ૪૮ મિનિટમાં ૩૭૭૩ શ્વાસોચ્છ્વાસ માન કહ્યું. એ હિસાબે એક મિનિટમાં ૭૮થી કંઈક અધિક સંખ્યા થાય છે. જ્યારે એક મિનિટમાં વધુમાં વધુ સશક્ત માણસ પંદર શ્વાસ લેતો હોય છે, જે પ્રત્યક્ષસિદ્ધ બાબત છે. અને એ સંખ્યા વધીને એક મિનિટની ૨૫...થાય તો માણસનું મૃત્યુ સર્જાય છે, એ પણ અનુભવસિદ્ધ ઘટના છે. એ જોતાં ગ્રન્થકારના કથનનો કોઈ જ મેળ બેસે નહીં ત્યારે તેમના આશયને સફળ કરવા શ્વાસોશ્વાસની પરિભાષાને જુદા જ અર્થમાં યા જુદી રીતે ઘટાવીએ તો યથાર્થ સંગતિ કરી શકીએ. એથી અહીં શ્વાસોચ્છ્વાસ, ‘છાતીના ધબકારા’ના અર્થમાં ન ઘટાવતાં ‘હાથની નાડીના ધબકારા' અર્થમાં ઘટાવીએ તો ગણત્રી બરાબર બંધ બેસી જાય છે, છતાં આ બાબતમાં અભ્યાસીઓએ વધુ વિચારવું. ‘શ્વાસોચ્છ્વાસ’ સંજ્ઞા નાડી શબ્દવાચક સમજવી, અથવા તે શબ્દનો અર્થ લક્ષણાથી ‘નાડી'માં ઘટાવવો ઉચિત છે. [૧૭૮] ગવતરન— હવે શ્વાસ—ઉચ્છ્વાસ કોના ગણવા ? તે કહેવાની સાથે, મનુષ્યના એક અહોરાત્રિગત શ્વાસોશ્વાસનું માન સવા બે ગાથાથી જણાવે છે. Jain Education International आहिवाहिविमुक्कस्स, नीसासूसास एगगो । पाणु सत्त इमो थोवो, सोवि सत्तगुणो लवो ॥१७६॥ लवसत्तहत्तरीए, होइ मुहूत्तो इमम्मि ऊसासा । सगतीससयतिहुत्तर, तीसगुणा ते अहोरत्ते ॥ १८०॥ लक्खं तेरससहस्सा, नउअसयं – १८० २३ સંસ્કૃત છાયા— आधिव्याधिविमुक्तस्य, निःश्वासोश्वास एकैकः । प्राणाः सप्त इमे स्तोकः, सोऽपि सप्तगुणो लवः || १७६|| लवसप्तसप्तत्या, भवति मुहूर्त्तः अस्मिन् उच्छ्वासाः । सप्तत्रिंशच्छतानि त्रिसप्तत्त्युत्तराणि, त्रिंशद्गुणितास्ते अहोरात्रे ॥ १८० ॥ નક્ષ ત્રયોવશ સહસ્ત્રાળિ, નવધિચ્છં શતમ્ | [૧૧૩૧૬૦] ।।૧૦। શબ્દાર્થ સાહિ=આધિ વાદ્દિવ્યાધિ વિમુક્ત“વિમુક્તનો નિસાસૂસાસનિઃશ્વાસ ઉશ્વાસ ચો=એક એક પાળુ=પ્રાણ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy