SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ देवोना प्रविचार - विषयसुख सम्बन्धी विचारणा ३३७ ઉત્તર ઃ— જ્યારે દેવો કાયાથી સર્વાંશે કે અંશે, તથા રૂપદર્શન, શબ્દાદિશ્રવણવડે વિષયોને ભોગવે છે ત્યારે દેવીઓને પણ તેવી જ તૃપ્તિ થાય છે. કાયાથી તો સ્પષ્ટ સમજાય પણ રૂપ—દર્શનાદિ સર્વ પ્રસંગે દેવીઓ દેવોના દિવ્યરૂપ, કાન્તિ અને પ્રેમસ્નેહોત્કર્ષથી કામાતુર બને છે અને તે જ વખતે દિવ્યપ્રભાવથી દેવીની યોનિમાં શુક્રપુદ્ગલનું સંક્રમણ જરૂર થઈ જાય છે અને તેથી તે સમકાળે અવશ્ય તૃપ્તિવાળી બને છે. આ પુદ્ગલો વૈક્રિય હોવાથી અને તે વૈક્રિય શરીરમાં જ દાખલ થતા હોવાથી ગર્ભાધાનના હેતુરૂપ થતા નથી, પરંતુ તેણીને પંચેન્દ્રિયના પોષક થતા હોવાથી કાન્તિવર્ધક, મનોજ્ઞ, સુભગ ને સ્પૃહણીય બને છે. ત્યારબાદ નવપ્રૈવેયક, અનુત્તરવાસી દેવો અપ્રવિચારી એટલે અત્યન્ત મન્દ પુરુષવેદના ઉદયવાળા હોવાથી તથા પ્રશમસુખમાં તલ્લીન હોવાથી કાયાથી સ્પર્શનાદિથી કોઈપણ રીતે યાવત્ મનથી પણ સ્રીસુખ ભોગવવાની તેઓની ઇચ્છા થતી નથી. તેમ છતાં તેઓ વિષયી દેવોથી વધુ સંતુષ્ટ, વધુ શાંત અને વધુ આનંદમાં રહેનારા છે કારણકે જેમ જેમ કામેચ્છા પ્રબલ તેમ તેમ ચિત્તની અસ્વસ્થતા—અશાંતિ વધુ. જેમ ઇચ્છા ન્યૂન તેમ ચિત્તકલેશ ઓછો અને વિષયેચ્છાનો બીલકુલ અભાવનો આનંદ કોઈ અદ્ભુત હોય છે. અને એથી ત્યાં વિષયતૃપ્તિનાં સાધનો પણ ઓછાં છે. એથી નીચેના દેવલોકો કરતાં ઉપર ઉપરનાં દેવોનું સુખ અધિક ગળ્યુ છે. અહીં બીજી શંકા એ ઉદ્ભવશે કે—જે દેવો તદ્દન અપ્રતિચારી છે તેઓ બ્રહ્મચારી ગણાય ખરા ? આનો ખુલાસો એ છે કે—ના, કારણ કે જ્યાં સુધી એક વસ્તુનો હૃદયથી—ઇચ્છાપૂર્વકનો ત્યાગ ન હોય તો તે વસ્તુનો ભોગવટો થતો હોય યા ન થતો હોય તો પણ તે બ્રહ્મચારી ગણાય નહીં અને એનું ફળ પણ મળે નહિ. ત્યારે દેવોને તેમના દેવભવના કારણે જ વિરતિ-ત્યાગપરિણામ થતો જ નથી તેથી તેઓ બ્રહ્મચારી ક્યાંથી કહેવાય ? ન જ કહેવાય. માટે પ્રત્યેક આત્માએ છેવટે વધુ નહિ તો બીનજરૂરી અનાવશ્યક પાપપ્રવૃત્તિઓનો ત્યાગ નિયમ કરી બીનજરૂરી અવિરતિજન્ય પાપોથી બચવા પ્રયત્નશીલ રહેવું. [૧૬૮] ।। વા વા યેવને, જેવી રીતે તેવીઓ સાથે ૩૫મો છે? તેનું યત્ર ॥ निकायनाम ભવનપતિ વ્યન્તરો જ્યોતિષી દેવો સૌધર્મ–ઇશાનના સનત્નું માહેન્દ્રના બ્રહ્મ-લાંતકના ૪૩ भोगविषय મનુષ્યવત્ કાયભોગી Jain Education International 23 22 સ્તનાદિક સ્પર્શસેવી શૃંગારરૂપસેવી कल्पनाम |શુક્ર-સહસ્રારના આનત-પ્રાણતના આરણ-અચ્યુતના નવપ્રૈવેયકના પાંચ અનુત્તરના અવતર—સમગ્રલોકના તથા ગતગાથામાં કહેલા દેવોના વિષયસુખોને અને વીતરાગ આત્માના સુખ વચ્ચેનું તારતમ્ય જણાવે છે. जं च कामसुहं लोए, जं च दिव्वं महासुहं । वीयरायसुहस्सेअ - णंतभागंपि नग्घई ॥१६६॥ भोग विषय प्रकार ગીતાદિક શબ્દસેવી મનથી દેવી વિષયસેવી For Personal & Private Use Only '' અવિષયી અનંત સુખી 22 www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy