SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ चरक-परिव्राजक श्रावकादिनी उत्कृष्टगति રર. આ તિર્યંચો છતાં વધુ લાભને મેળવે તેમાં કારણ સમ્યકત્વ અને દેશવિરતિની પ્રાપ્તિ એ એક જ છે. જ્યારે ઉક્ત જીવો ત્યાગ-તપરૂપ ધમ અમુક પ્રકારે કરે, પરંતુ તે અજ્ઞાનપણે અને જિનેશ્વરના માર્ગથી વિપરીતપણે થતું હોવાથી એકવાર થોડું ઘણું ફળ આપીને છેવટે ધૂળ ઉપર લીંપણની માફક નિષ્ફળ થાય છે. ના લઘુગો સ–શ્રાવક ઉત્કૃષ્ટથી મરીને યાવત અશ્રુત દેવલોકે ઉત્પન્ન થાય, પણ તે દેશવિરતિવંત–સંયમી શુભ ભાવનાના યોગે શુભ આયુષ્ય બંધ કરી મરનારો હોય તે જ. અહીં એટલું વિશેષ સમજવાનું કે તિર્યંચની દેશવિરતિથી શ્રાવકની દેશવિરતિ મનુષ્યભવને અંગે વધુ નિર્મલ, ઉત્તમ પ્રકારની પ્રાપ્ત કરી શકતો હોવાથી તે ગતિના લાભને વધુ મેળવે છે. [૧૫૪] અવતાર–પ્રસ્તુત પ્રકરણને આગળ ચલાવતાં મિથ્યાદિષ્ટિ કોને કહેવાય તે કહે છે. जइलिंग मिच्छदिट्ठी, गेवेजा जाव जंति उक्कोसं । पयमवि असद्दहतो, . सुत्तुतं मिच्छदिट्ठी उ ॥१५॥ સંસ્કૃત છાયાयतिलिङ्गिनो मिथ्यादृष्टयो, ग्रैवेयकान् यावद्यान्ति उत्कृष्टम् । पदमप्यश्रद्दधानः, सूत्रोक्तं मिथ्यादृष्टिस्तु ।।१५५।। શબ્દાર્થ – નર્સિરાયતિલિંગી પ્રથમવ=પદને પણ નિચ્છિિક્રમિથ્યાષ્ટિઓ સંસદંતો=અસદુહણા કરતો નેવે નાવ રૈવેયક યાવત્ સુહુર્તસૂત્રનાં કહેલાં વચનોને થાર્થ – વિશેષાર્થવત્ /૧૫પા વિરોષાર્થ લિંગ સાધુનું હોય અથતિ રજોહરણાદિ સાધુવેષ આદિ ધારણ કર્યું હોય પણ મિથ્યાદિષ્ટ હોય તે, ઉત્કૃષ્ટથી નવ રૈવેયક સુધી ઉત્પન્ન થાય છે. કોઈ જીવ જિનેશ્વર ભગવંતની અથવા કોઈ પ્રભાવિક–લબ્ધિધારી યતિની ઋદ્ધિ-સિદ્ધિ, દેવ-દાનવ ને માનવોથી થતા પૂજા–સત્કારાદિને જોઈને, તે પોતાના મનમાં વિચાર કરે કે હું પણ જો આવું યતિપણું લઉં તો મારો પણ પૂજાસત્કાર થશે, એમ કેવળ ઐહિક સુખની ઈચ્છાએ (નહીં કે મુક્તિની) કંચન-કામિનીના ત્યાગી એવા તે યતિની જેમ જ યતિપણું ધારણ કરે, અને સાધુ થયા પછી એવા પ્રકારનું ઉત્કૃષ્ટ કોટિનું સંયમ પાળે કે માખીની પાંખને પણ કિલામના થવા ન દે એવી સૂક્ષ્મ રીતે જીવરક્ષાદિ ક્રિયાઓ કરે; જો કે તે બધુંએ શ્રદ્ધા રહિત એટલે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકમ્મા આસ્તિક્યના ગુણોથી પણ વિકલ હોવા છતાં બાહ્ય દશવિધ ચક્રવાલ સમાચારીની ક્રિયાનું ઉત્કૃષ્ટપણે યથાર્થ આરાધન કરતો હોવાથી કેવળ તે જ ક્રિયાના બળે [અંગારમદકાચાર્યવત] ઉત્કૃષ્ટથી નવ રૈવેયક સુધી ઉત્પન્ન થઈ શકે છે. ૪૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy