SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह देवोन आठमुं 'गति' द्वार વિતર– સાતમું દ્વાર સમાપ્ત કરીને હવે દેવલોકમાં કઈ ગતિઓમાંથી મૃત્યુ પામેલા જીવો ઉત્પન થાય છે? તે “ પદવાળું આઠમું ગતિદ્વાર કહે છે. नरपंचिंदियतिरिया–णुप्पत्ती सुरभवे पजत्ताणं । अज्झवसायविसेसा, तेसिं गइतारतम्मं तु ॥१४६॥ સંસ્કૃત છાયાनरपञ्चेन्द्रियतिरश्चामुत्पत्तिः सुरभवे पर्याप्तानाम् । अध्यवसायविशेषात्तेषां गतितारतम्यं तु ॥१४६॥ શબ્દાર્થ – ૩પત્તી ઉત્પત્તિ રિસેસવિશેષથી પત્તા પર્યાપ્તાની તેસિં તેઓનું વસીય અધ્યવસાય મફતારતમ ગતિનું તારતમ્ય માથાર્થ – પયપ્તિ પંચેન્દ્રિય મનુષ્યો અને તિર્યંચોની દેવલોકમાં અધ્યવસાયની વિશેષતાથી ઉત્પત્તિ થાય છે અને પુનઃ અધ્યવસાયની વિશેષતાથી એ નિયમમાં તારતમ્ય પણ પડે છે. (૧૪લા વિશેષાર્થ – દેવલોકમાં કયા કયા જીવો ઉત્પન્ન થાય છે? ક્યા કયા કારણથી થાય છે? આ વાત ઉપરોક્ત ગાથામાં કહેવામાં આવી છે. અને સાથે સાથે તે દેવલોકમાં પણ સ્થાન, વૈભવ, આયુષ્યાદિકની ન્યૂનાધિકતા પણ અધ્યવસાયોની વિચિત્રતાને જ આભારી છે, એ વાત પણ જણાવી દીધી છે. અહીં એક વાત સ્પષ્ટ સમજવી કે–દેવલોકની અંદર માત્ર પર્યાપ્તા ગર્ભજ મનુષ્યો અને સંમ્. ગર્ભજ તિર્યંચો એ બે જ જાતિના જીવો ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ તે સિવાયના બાકીના નારકો–એકેન્દ્રિયો વિકલેન્દ્રિયો કે અપર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યો ઉત્પન્ન થતા નથી. કારણકે દેવભવપ્રાપ્તિ પ્રાયોગ્ય નિર્મલ પરિણામો તેમને આવતા નથી. આ ઉપરથી એક બીજું રહસ્ય સ્પષ્ટ થઈ જાય છે કે–દેવલોકમાં ઉત્પન્ન થવાનાં સ્થાનો અસંખ્ય છે જ્યારે તેના ઉત્પન્ન થનારા ઉમેદવારો માત્ર બે જ જાતિના જીવો છે. ઉત્પન્ન થવાનાં સ્થાનો અસંખ્ય છે ને ઉત્પન્ન થનારાની સંખ્યા ઓછી–ગણત્રીની છે. આથી નિશ્ચિત થાય છે કે જીવને દેવલોકની પ્રાપ્તિ એ દુર્લભ નહીં પણ સુલભ છે. જ્યારે માનવભવની પ્રાપ્તિ એ સુલભ નહીં પણ દુર્લભ છે, કારણકે માનવજાતની સંખ્યા મર્યાદિત એટલે સંખ્યાતી (૨૯ અંકસંખ્યા જેટલી, જેમકે ૨*૨=૪, ૪*૨=૮, ૮૪૨=૧૬ આ પ્રમાણે ૯૬ વખત ગુણાકાર કરતા જે સંખ્યા આવે તેટલી) છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy