SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ प्रत्येक मंडले परिधिनी विचारणा ૨૨૬ અને ઉર્ધ્વ કિરણવિસ્તાર ૧00 યોજન અને અધો–નીચે વિસ્તાર ૧૮00 યોજન છે, કારણકે સમભૂતલથી બને સૂર્યો પ્રમાણાંગુલ વડે (૪00, મતાંતરે ૧૬૦૦ ગાઉના યોજન પ્રમાણે) ૮00 યોજન ઊંચા છે અને સમભૂતલથી પણ એક હજાર યોજન જેટલાં નીચાણમાં અધોગ્રામો આવેલા છે અને ત્યાં સુધી તે બન્ને સૂર્યોનાં તાપ–કિરણો પ્રસરે છે. આથી ૮00 યોજન ઉપર અને ૧૦૦૦ યોજના નીચેના થઈ ૧૮૦૦ યોજનનો અધોવિસ્તાર થયો. રૂતિ á–થોરિટર વિસ્તારઃ || આ પ્રમાણે ક્ષેત્ર વિભાગવડે દિવસ અને રાત્રિની પ્રરૂપણા ચોથા દ્વાર વડે કરવા સાથે, પ્રાસંગિક આતપ—અંધકારનાં આકારાદિકનું પણ સ્વરૂપ કહ્યું. કૃતિ વતુર્થદ્વારપ્રરૂપણાં || ५ प्रतिमंडळमां परिक्षेप-परिधि प्ररूपणा કોઈપણ મંડળે એક મુહૂર્તમાં સૂર્ય કેટલા યોજન ગતિ કરે તે જાણવા માટે પ્રથમ દરેક મંડળે પરિધિ કાઢવાની રીત જાણવી જોઈએ. એ માટે પ્રથમ બંને બાજુનું સંયુક્ત જંબૂદ્વીપગત ૩૬૦ યોજના જે ચરક્ષેત્ર તેને જંબૂદ્વીપનાં ૧ લાખ યોજનમાંથી બાદ કરીએ ત્યારે ૯૯૬૪૦ યોજન આવે. આ સંખ્યાને ત્રિગુણકરણ પદ્ધતિએ પરિધિ કાઢતાં ૩૧૫૦૮૯ યોજનાનો પરિધિ સભ્યન્તરમંડળે આવે. બાકી રહેલાં બીજા મંડળથી લઈને ૧૮૩ મંડળોમાં ઇષ્ટપરિધિ જાણવા પૂર્વે જે મંડળે પરિધિ જાણવો હોય તેની પૂર્વના મંડળ પરિધિ પ્રમાણમાં વ્યવહારનયથી ૧૮ યોજનની વૃદ્ધિ કરવી. અઢારની વૃદ્ધિ કરવાનું સાન્તર્થપણું એટલા માટે છે કે કોઈ પણ વિવક્ષિત મંડળોથી કોઈ પણ અનન્તર મંડળોનું બને બાજુનું થઈ ૫ યોજન, ૩૫ અંશ ક્ષેત્ર વધવાનું હોવાથી કવળ એ વાત ક્ષેત્રનો પરિધિ કાઢીએ ત્યારે ત્રિગણરીતિ પ્રમાણે ૧૭ યોજન ૩૮ અંશ આવે. પરંત સ્થલ વ્યવહાર પર નયથી સુગમતા માટે પરિપૂર્ણ ૧૮ યોજન વિવેક્ષા રાખી હાલ કાર્ય કરવાનું છે. આ નિયમ મુજબ સભ્યન્તર પરિધિમાં ૧૮ યોજન ક્ષેપવીએ ત્યારે કિંચિક્યૂન) ૩૧૫૧૦૭ યોજનનો પરિધિ દ્વિતીય મંડળનો આવે, ત્રીજા મંડળે પણ તે જ પ્રમાણે ૧૮ યોજના ક્ષેપવતાં કંઈક જૂન ૩૧૫૧૨૫ યોજન આવે. આ પ્રમાણે ૧૮ યોજના ક્ષેપવતાં ઇચ્છિતમંડળે પરિધિ વિચારતાં, સર્વબાહ્યમંડળે પહોંચવું. ત્યારે તે મંડળે ૩૧૮૩૮૧ યોજન પરિધિ ૧૮ યોજનની વૃદ્ધિએ આવ્યો; નહીંતર વાસ્તવિક રીતે તો ૧૭ યોજન ૩૮ અંશ ઉમરવાના છે અને એ હિસાબે યથાર્થ પરિધિ ૩૧૮૩૧૪ યોજન ૩૮ અંશ આવે, તથાપિ સુગમતા માટે ૩૧૮૩૧૫ યોજનની વિવક્ષા ગણિતજ્ઞોએ વિચારવી. તિ परिधिनामकपञ्चमद्वारप्ररूपणा ॥ ६ प्रतिमंडळमां मुहूर्तगतिमान-प्ररूपणा એક સૂર્ય કોઈ પણ એક મંડળ બે અહોરાત્રમાં સમાપ્ત કરે છે. (કારણકે કોઈ પણ સ્થાને પરિધિ વધવા માત્રથી એક અહોરાત્રનાં ૩૦ મુહૂર્ત સંબંધી માનમાં વિપયર થતો નથી પરંતુ ક્રમે કમે પરિધિ વધવાથી ૬૦ મુહૂર્તમાં મંડળ પૂર્ણ કરવા સૂર્યની મુહૂર્ત ગતિ પૂર્વ પૂર્વ કરતાં વિશેષ ૨૫૨. સત્તરસ નોયડું, તીસં ટ્રિમા | યંતિ નિઝUUUસંવદારેખ, પુખ કારસ નીયUTIડું || Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy