SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ मंडलचार अने अर्धमंडलसंस्थिति २१३ ૬૧ હાનિ થાય, તેથી ૧૮૩માં મંડળે સૂર્ય સૂર્યને પરસ્પર અબાધા-અંતર (મેરવ્યાઘાત સહ–૧૭૦૬૬૦ તેમાંથી બાદ ૫ યોજન ૩૫ ભાગ) ૧૦૦૬૫૪ યોજન અને ૨૬ ભાગ જેટલું હોય, આ પ્રમાણે જેમ જેમ સૂય અંદરના મંડળોમાં પ્રવેશ કરતાં જાય તેમ તેમ પ્રતિમંડળે ૫ યોજન ૩૫ ભાગ’ અબાધા ઘટાડતાં જતાં અને સ્વસ્વમંડળ યોગ્ય ઇચ્છિત મંડળ પ્રમાણને પ્રાપ્ત કરતાં થકાં જ્યારે બન્ને સૂર્યો પુનઃ સભ્યન્તરમંડળે પ્રવેશી સામસામી દિશાગત આવે ત્યારે અને સૂર્યોની–પૂર્વોક્ત–૯૯૬૪૦ યોજના પ્રમાણ જે અબાધા દર્શાવી હતી તે પુનઃ બરાબર આવી રહે. ॥ इति मण्डले–मण्डले सूर्ययोः परस्परमबाधानिरुपणम् ॥ तस्मिन् समाप्ते च मण्डलाबाधा प्ररूपणाऽऽख्यं चतुर्थं द्वारं समाप्तम् ॥ વિ વિના મઠ્ઠા વદની અન્તરપ્રપ સૂર્યનાં મંડળોનું પરસ્પર અંતરપ્રમાણ બે યોજન છે. તેને યુક્તિપૂર્વક લાવવું હોય તો સૂર્યનાં વિમાન પ્રમાણ પાડતો જે સૂર્યમંડળના ૪ ભાગ પ્રમાણ વિસ્તાર તેને સર્વ મંડળોનું કુલ વિસ્તાર પ્રમાણ લાવવા સારું ૧૮૪એ ગુણીએ ત્યારે ૧૪૪ યોજન ૪૮ ભાગ કેવળ સૂર્યમંડળોનો કુલ વિસ્તાર આવે, આ વિસ્તારને સૂર્યમંડળના પ૧૦ યોજન : ભાગ પ્રમાણ ચારક્ષેત્રમાંથી બાદ કરતાં ૩૬૬ યોજન બાકી રહે, તે કેવળ અંતર ક્ષેત્રપ્રમાણ સૂર્યનાં ૧૮૩ મંડળોનું આવ્યું, પ્રત્યેક મંડળનું અંતર પ્રમાણ લાવવા સારું ૧૮૩ વડે ભાગ ચલાવીએ તો ૨ યોજન પ્રમાણ અંતર, પ્રત્યેક મંડળનું જે કહ્યું તે આવી રહેશે.] સૂિચના–પૂર્વે જણાવ્યા પ્રમાણે પાંચ દ્વાર પૈકી ચાર દ્વારનું વર્ણન કર્યું. હવે પાંચમું ચર અથવા ગતિદ્વાર પ્રરૂપણા કહેવાય છે. તે પ્રરૂપણા પ્રાશપુરુષોના કથન મુજબ સાત દ્વારથી કરાય છે. એમાં પ્રથમ સુગમતા માટે સૂર્યોદય વિધિ સહિત અર્ધમંડલ સંસ્થિતિ, ૨-પ્રતિવર્ષ સૂર્યમંડળોની ગતિની સંખ્યા પ્રરૂપણા, ૩–સંવત્સરના પ્રત્યેક દિવસ તથા રાત્રિના પ્રમાણની પ્રરૂપણા, ૪–પ્રતિમંડળે ક્ષેત્ર વિભાગાનુસાર રાત્રિ-દિવસ પ્રરૂપણ, પ–પ્રતિમંડળોનો પરિક્ષેપ–પરિધિ, ૬-પ્રતિમંડળે સૂર્યનું પ્રતિમુહૂર્ત ગતિમાન અને ક–પ્રતિમંડળે દૃષ્ટિપથ પ્રાપ્તિપ્રરૂપણા કહેવાશે.] १-मंडळचार-अर्धमंडळसंस्थिति સવભિન્તરમંડળે રહેલા સૂર્યો પૈકી એક સૂર્ય (ભારતસૂઈ) જ્યારે દક્ષિણ દિશામાં હોય છે ત્યારે બીજો (વતિસૂર્ય) સૂર્ય ઉત્તર દિશામાં હોય છે. એ બન્ને સૂર્યો વિવક્ષિત મંડળમાં પ્રવેશ કરતાં તે તે મંડળને ચરતા ચરતા, પૂર્વાપર બન્ને સૂય અધ અધ મંડળચારને કરતા, જે જે દિશાના સૂર્યને જે મંડળની જે દિશાની અર્ધ અર્ધ મંડળોની કોટિએ પહોંચવું હોય છે તે તે દિશાગત મંડળની કોટિને અનુલક્ષી પ્રત્યેક સૂર્યો વ્યવહારપૂર્વક સંચરતા વિશિષ્ટ પ્રકારની વિશિષ્ટ ગતિવડે, પોતપોતાને યોગ્ય ૨૩૬. અહીંયા ભેદઘાટવડે થતું સંક્રમણ એટલે કે વિવક્ષિત મંડળથી અનન્તર મંડલમાં સંક્રમણ કરવા ઇચ્છતા સૂર્ય જે સ્થાનેથી પ્રારંભ કર્યો તે સ્થાને જ આવી તે મંડલના અનન્તર મંડળ વચ્ચે રહેલું બે યોજનનું જે અંતરક્ષેત્ર તે ક્ષેત્રમધ્યે પાછો સીધો ચાલી (બાજુમાં આકૃતિમાં જણાવ્યા મુજબ) પછી બીજું મંડલ શરૂ કરે છે તેમ ન સમજવું, આ માન્યતા તો પરતીર્થિકની છે, અને એથી જ એમ લેતાં મોટો દોષ ઊભો થઈ જાય છે કે એક મંડળેથી બીજા મંડળે ભેદઘાત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy