SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ लोकपालोनुं उत्कृष्ट आयुष्य વૈમાનિક નિકાયના પ્રત્યેક દેવલોકમાં કેટલાં કેટલાં પ્રતિરો હોય છે એ પૂર્વે જણાવ્યું. એ કલ્પોપપન દેવલોકના અંતિમ પ્રતરનાં અર્થાત્ જે દેવલોકનાં જે પ્રતરે ઇદ્રનિવાસ છે તે તે વિભાગનાં પ્રતરના દક્ષિણ વિભાગના મધ્યભાગને વિષે પોતપોતાનાં કલ્પનાં નામથી અંકિત એવા અવતંસક (વિમાનોમાં શ્રેષ્ઠ) નામનાં વિમાનો રહેલાં છે. તે પંક્તિગત નહીં પણ પુષ્પાવકીર્ણ તરીકે છે અને તે મધ્યના ઇન્દ્રકવિમાનથી અસંખ્ય યોજન દૂર અને પંક્તિગત વિમાનોના પ્રારંભથી પૂર્વે રહેલાં છે. જેમકે—સૌધર્મ દેવલોકના તેર પ્રતર, તે તેરમાં પ્રતરનાં દક્ષિણ વિભાગમાં સૌધમવિતંસક નામનું વિમાન છે અને તે વિમાનમાં રહેનારો ઈન્દ્ર સૌધર્મ છે. તે પ્રમાણે ઇશાન દેવલોકનાં અંતિમ પ્રતરનાં ઉત્તર વિભાગે ઈશાનાવતુંસક નામનું વિમાન છે, તેમાં રહેનાર ઈદ્ર ઇશાનેન્દ્ર કહેવાય છે. એ મુજબ સર્વત્ર આગળ આગળ સમજવું, તથાપિ નવમા તથા દશમા દેવલોક-(આનત, પ્રાણત)નો ઈદ્ર એક છે. એ ઇદ્ર પ્રાણત દેવલોકનાં ચોથા પ્રતરે પ્રાણતાવતુંસક નામનું વિમાન છે તેમાં રહે છે. એ જ પ્રમાણે આરણ અને અય્યત માટે જાણવું. આ પ્રમાણે તે સર્વ અવતંસક વિમાનોને વિષે ઇદ્રોનાં નિવાસો છે. અને તે અવતંસક વિમાનોની ચારે દિશાઓમાં સોમ વગેરે લોકપાલોનાં વિમાનો રહેલાં છે, એમ સર્વત્ર સમજી લેવું. [૧૭] (પ્ર. ગા. સં. ૧). પ્રિક્ષેપગાથા સંખ્યા ૨] અવતાર-ઈન્દ્ર તેમજ લોકપાલના નિવાસોનું સ્થાન જણાવીને હવે સૌધર્મેન્દ્રના ચાર લોકપાલોનું ઉત્કૃષ્ટાયુષ્ય કહે છે – सोम-जमाणं सतिभाग, पलिय वरुणस्स दुन्नि देसूणा । वेसमणे दो पलिया, एस ठिई लोगपालाणं ॥१८॥ [प्रक्षे. गा. सं. २] સંસ્કૃત છાયાસોમ-ચમો: ત્રિમા–: વાસ્થ કી દેશોની ! वैश्रमणस्य द्वौ पल्यौ, एषा स्थितिर्लोकपालानाम् ।।१८।। શબ્દાર્થ– સોમસોમ વેસૂT=કાંઈક ન્યૂન નHINચમનું વેસમuો વૈશ્રમણ સતિમા–ત્રીજા ભાગ સહિત તો તયા=બે પલ્યોપમ વાસ્તવરુણનું પણ આ દુન્નિ-બે (પલ્યોપમ) તો પાનાનં=લોકપાલોની નાથાર્થ– સોમ તથા યમ નામના લોકપાલની આયુષ્યસ્થિતિ ત્રીજા ભાગ સહિત એક પલ્યોપમ રહેવા માટે તો ભવનો તેમજ નગરો છે. અને તે સર્વ વિપ્રકીર્ણ (વિખરાયેલાં) અર્થાત્ જુદાં જુદાં છે અને જ્યોતિષીનાં વિમાનો પણ પૃથક પૃથક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy