SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૮ ) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ કહેવું થયું. ઉત્તરપ્રદેશમાં વિશાળ સમુદ્ર હતો, એ તો ઘણાં વરસોથી જાણ્યું હતું. કેમકે સેંકડો શંખો એ ધરતી ઉપર ચોંટી ગએલા અને પછી પથ્થર જેવા થઇ ગએલા પથરાળમાંથી કાપી કાપીને મળતા જ રહ્યા છે. શંખો સમુદ્રો-જળની પેદાશ છે ધરતીની નથી, એ નિશ્ચિત હકીકત છે. આ બધા શંખો જમણા હોય છે. એ શંખનું દળ ખૂબ જાડું હોય છે અને તેની અંદર હીરાકણી જેવી ચમકતી રેતી ભરેલી હોય છે. આ શંખો આજે સંગ્રહરસિક જૈન સાધુઓ અને ગૃહસ્થો પાસે છે. ઉત્તરપ્રદેશના ઉપરના વિભાગમાં સમુદ્ર હતો. તેનો એક પુરાવો શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત ત્રિષષ્ટિશલાકા'માં આદીશ્વર ચરિત્રમાં નોંધાયેલો મળે છે. કરોડો વર્ષ પછીની વાત શ્રી હેમચંદ્રાચાર્યજીએ કોઈ ગ્રન્થના આધારે જ નોંધી હશે. સેંકડો અબજોનાં અબજો વરસોમાં આ વિશાળ ધરતી ઉપર શું શું આફતો ઉતરી હશે અને કેવાં કેવાં પ્રલયો થયાં હશે તેની તો કલ્પના જ કરવાની રહી ! સર્જન-વિસર્જનની, વિકાશ-વિનાશની, ઉન્નતિ-અવનતિની પ્રક્રિયા બધાં ક્ષેત્રોમાં અનાદિકાળથી થતી જ રહે છે. જૈનતત્ત્વજ્ઞાને વિશ્વને અવિરત પરાવર્તનશીલ જણાવ્યું છે તેનું રહસ્ય આ જ છે. લેખાંક-૬ જૈન, બૌદ્ધ અને વૈદિક (હિન્દુ) ભૂગોળની બાબતમાં મતમતાંતરો ઘણા હોવા છતાં નામો અને સ્થાનથી કેટલીક બાબતોમાં તે પરસ્પર થોડુંક સામ્ય ધરાવે છે, કોઈ કોઈ બાબતમાં બાઇબલ પણ સામ્ય બતાવે છે. એમ છતાં મોટાભાગે માન્યતાઓમાં સરવાળે એકબીજાથી ઘણાં દૂર છે એ હકીકત છે. જેનભૂગોળની માન્યતાઓને વિજ્ઞાનની માન્યતાઓ સામે સુમેળ તથા સમન્વય સાધવાનો પ્રયત્ન કરવો એ મગજની અર્થહીન કસરત કરવા જેવું અને સમયનો વ્યર્થ વ્યય કરવા જેવું મને લાગ્યું છે. કેમકે જેનશાસ્ત્રમાં આ વિશ્વની ધરતી ઉપરની ભૂગોળની આકૃતિ-આકાર બાબતમાં કોઈ બાબતનો ઉલ્લેખ નથી. એનું કારણ એ પણ હોઈ શકે કે ભૂગોળ-ધરતી કયારેય પણ એકસરખી રહેતી નથી. અતિવૃષ્ટિ, ધરતીકંપો વગેરેનાં કારણે જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ બની જાય છે. આજે પણ ધરતીકંપથી કેટલાંય શહેરો નાશ પામ્યાં, કેટલીય નદીઓ ધૂળ-પથ્થરોથી ભરાઈ ગઈ, સદાને માટે લુપ્ત થઈ ગઈ અને એનું વહેણ દૂર દૂરની ધરતી ઉપર ફૂટી નીકળ્યું. આવી પરિસ્થિતિ એટલે પરાવર્તનશીલ ભૂગોળની બાબતમાં જૈનાચાર્યોને લખવાનું કશું જ કારણ ન હતું. સહુ એમ કહે છે કે જે કાળે જેવી ભૂગોળ-ધરતી દેખાય તે પ્રમાણે તેવી ભૂગોળ સમજી લેવાની. આ સંગ્રહણીનું પુસ્તક પાઠ્યપુસ્તક છે અને કદમાં ઘણું મોટું છે. પછી બીજી-ત્રીજી બાબતો વધારી પુસ્તકવજન વધારવું ઇષ્ટ નથી, છતાં અભ્યાસીઓને કેટલોક ખ્યાલ આપવા થોડી થોડી બીજી વાતો સંક્ષેપમાં લખવા સિવાય ચાલે તેમ નથી. ૬૦-૭૦ વર્ષથી જૈનસંઘના એક પંડિતજીએ કેટલાક લેખો લખેલા, તેમાં તેમણે લખેલું કે, પરદેશના ઇસુખ્રિસ્ત ધર્મના ખ્રિસ્તી વૈજ્ઞાનિકો જૈનધર્મની (તેમજ ભારતીય શાસ્ત્રોની) ભૂગોળ-ખગોળની માન્યતાઓને +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy