SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1029
Loading...
Download File
Download File
Page Text
________________ ' વૃહતસંગ્રહણી સત્રમુ–ગાથાર્થ સહિત थावर विगला नियमा, संखाउअ तिरिनरेसु गच्छति । विगला लभेज विरइं, सम्मपि न तेउवाउचुआ ॥३०७॥ સંખ્યાતવર્ષના આયુષ્યવાળા એકેન્દ્રિયાદિ તિમંચો તથા મનુષ્યોતિયચપણે ઉત્પન્ન થઈ શકે છે, સૌધર્મ–દાન દેવલોક સુધીના દેવો પયપ્તા ગર્ભજ સંખ્યવષયુષી પંચેન્દ્રિય તિર્યંચોમાં તથા પર્યાપ્તા બાદર પૃથ્વી–પાણી વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. સનત્કુમારથી સહસ્ત્રાર સુધીના દેવો સંખ્યવર્ષાયુષી ગર્ભજ પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે. સંખ્યાત વષયુષી પંચેન્દ્રિય તિર્યંચો મરીને ચારે ગતિમાં જઈ શકે છે, પાંચ સ્થાવરો અને વિકસેન્દ્રિયો નિશ્ચયે સંખ્યાત વર્ષાયુષી તિર્યંચ તથા મનુષ્યમાં જ ઉત્પન્ન થઈ શકે છે. વિકસેન્દ્રિયો (ઉપલક્ષણથી– પૃથ્વી–પાણી અને વનસ્પતિ પણ) મનુષ્યમાં જાય તો સર્વવિરતિ અને યાવત મોક્ષનો લાભ મેળવી શકે છે, પરંતુ તેઉકાય-વાઉકાયમાંથી નીકળીને અનંતર મનુષ્ય થયેલો સમ્યક્ત્વનો લાભ પણ, પામી શકતો નથી. (૩૦૫–૩૦૬–૩૦૭) पुढवीदगपरित्तवणा, बायरपज्जत्त हुंति चउलेसा । गब्भयतिरिअनराणां, छल्लेसा तिनि सेसाणं ॥३०॥ બાદરપયખા–પૃથ્વી–પાણી અને વનસ્પતિમાં પ્રથમની ચાર વેશ્યાઓ હોય છે. ગર્ભજ તિર્યંચ તથા–ગર્ભજ મનુષ્યને છએ વેશ્યાઓ હોય છે અને બાકીના તેઉકાય–વાઉકાય વિકસેન્દ્રિય વગેરે તથા સૂક્ષ્મ પૃથ્વીકાયાદિમાં પ્રથમની ત્રણ લેશ્યા હોય છે. (૩૮) अंतमुहुत्तम्मि गए, अंतमुहुत्तम्मि सेसए चेव । તૈનાહિં પરિણયહિં, નવા વયંતિ પરતો ર૦૬ો દિ . . ૭૦) तिरिनरआगामिभवल्लेसाए अइगए सुरा निरया । पुवभवलेससेसे, अंतमुहुत्ते मरणमिति ॥३१०॥ દેવ–નરકગતિમાં જવાવાળા તિર્યંચમનુષ્યોને આવતા ભવની વેશ્યાનું અન્તર્મુહૂર્ત આ ભવમાં વ્યતિક્રાન્ત થયા બાદ અને તિર્યંચમનુષ્યગતિમાં ઉત્પન્ન થનારા દેવ–નારકોને ચાલુ ભવની વેશ્યા અન્તર્મુહૂર્ત જેટલી બાકી રહે તે અવસરે તે તે વેશ્યાઓથી પરિણત થએલા આત્માઓ પરલોકમાં જાય છે. ૩૧૦ મી ગાથાનો ભાવાર્થ આમાં આવી ગયો છે. (૩૦૯–૩૧૦) अंतमुहुत्तठिईओ, तिरिअनराणं हवंति लेसाओ । चरमा नराण पुण नव-वासूणा पुबकोडी वि ॥३११॥ તિર્યંચ તથા મનુષ્યોને વેશ્યાનો કાળ અન્તર્મુહૂર્તનો છે, અર્થાત્ અન્તર્મુહૂર્વે લેગ્યાઓ બદલાય છે. છેલ્લી શુકલલેશ્યાનો કાળ જેમને નવમે વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલું છે તેવા પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા મનુષ્યની અપેક્ષાએ નવ વર્ષ જૂન પૂર્વક્રોડ વર્ષ જેટલો છે. (૩૧૧). तिरिआण वि ठिइपमुहं, भणिअमसेसं पि संपयं वुच्छं । अभिहिअदारभहिअं, चउगइजीवाणं सामनं ॥३१२॥ એ પ્રમાણે તિર્યંચોની આયુષ્યસ્થિતિ વગેરે બધા કહેવા યોગ્ય દ્વારા કહ્યાં, હવે દેવ, નારક, મનુષ્ય અને તિર્યંચ એ ચારે ગતિને અંગે જુદું જુદું કહેવામાં આવતાં જે કાંઈ બાકી રહેલ છે તે ચારે ગતિ આશ્રયી સામાન્યથી પ્રકીર્ણ અધિકાર કહે છે. (૩૧૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy