SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1016
Loading...
Download File
Download File
Page Text
________________ વનોદધિ આધુિં વર્ણન તથા નરકાવાસાઓની સંખ્યા, નામ ૩૧ विक्खंभो घणउदही-घणतणुवायाण होइ जहसंखं । सतिभागगाउअं, गाउअं च तह गाउअतिभागो ॥२१॥ पढममहीवलएसुं, खिवेज एअं कमेण बीआए । दुति चउ पंचच्छगुणं, तइआइसु तंपि खिव कमसो ॥२१६॥ ઘનોદધિ વગેરે વલયોથી ચારેબાજુએ વીંટાએલી નરકમૃથ્વીઓ અલોકનો સ્પર્શ કરતી નથી. રત્નપ્રભાના ઘનોદધિ વગેરે વલયો પાંતે-ઘનોદધિ ૬ યોજન, ઘનવાત કા યોજન, અને તનવાત ની યોજન, પ્રમાણ જાડાઈવાળા છે. રત્નપ્રભાપૃથ્વી અને અલોક વચ્ચે આ પ્રમાણે ઉપરના પ્રાંત ભાગે બાર યોજનાનું અંતર છે. શર્કરામભામાં પ્રાંતે ઘનોદધિ ૬ યોજન, ઘનવાત ૪ યોજન, અને તનવાત ૧ યોજન, પ્રમાણ જાડાઈવાળા છે. અલોકનું અંતર કુલ મળી ૧૨ યોજન, ૨ગાઉ થાય છે, વાલુકાપ્રભામાં પ્રાંતે ઘનોદધિ યોજન, ધનવાત ૫ યોજન, અને તનવાત ૧૯)યોજન, અલોકનું અંતર ૧૩ યોજન, ૧. પંકપ્રભામાં પ્રાંતે ઘનોદધિ ૭ યોજન, ઘનવાત પ યોજન, તનવાત ૧ યોજન, અલોકનું અંતર કુલ ૧૪ યોજન. ધૂમપ્રભામાં–ઘનોદધિ ૭યોજન, ઘનવાત ૫યોજન, તનવાત ૧૩°યોજન, અલોકનું અંતર ૧૪ યોજન ૨ ગાઉ, છઠ્ઠી ત:પ્રભામાં ઘનોદધિ યોજન, ઘનવાત પ યોજન, તનવાત ૧ યોજન, કુલ ૧૫ યોજન, ૧ ગાઉ અલોકનું અંતર. સાતમી તમસ્તામાં પ્રાંતે ઘનોદધિ ૮ યોજન, ઘનવાત છે યોજન, અને તનવાત ૨ યોજન, પ્રમાણ ોય છે. તથા ઉપરના છેડાથી અલોક ૧૬ યોજન દૂર છે. (૨૧૪-૨૧૫–૨૧૬) मझे चिय पुढवि अहे, घणुदहिपमुहाण पिंडपरिमाणं । भणियं तओ कमेणं, हायइ जा वलयपरिमाणं ॥२१७॥ પ્રથમ ૨૧૨–૨૧૩ ગાથામાં ઘનોદધિના પિંડનું જ પ્રમાણ બતાવ્યું તે નીચે મધ્યમાં જાણવું. તે મધ્યભાગથી તે ઘનોદધિ વગેરેના વલયો ઓછા ઓછા પ્રમાણવાળાં થતાં જાય છે. અને યાવત્ ઉપરના પ્રાંતે ભાગ ૨૧૪ વગેરે. ગાથામાં કહ્યા પ્રમાણે તે વલયોની જાડાઈ રહે છે. (૨૧૭) तीस पणवीस पनरस, दस तिनि पणूणएग लक्खाइं । पंच य नरया कमसो, चुलसी लक्खाइं सत्तसुवि ॥२१८॥ પહેલી નરકમાં નારકોને ઉત્પન્ન થવાના ત્રીશલાખ નરકાવાસા છે. બીજીમાં પચીશલાખ, ત્રીજીમાં પંદરલાખ, ચોથીમાં દશલાખ, પાંચમીમાં ત્રણલાખ, છઠ્ઠીમાં એક લાખમાં પાંચ ઓછા અને સાતમી નરકમાં ફક્ત પાંચ નરકાવાસા હોય છે. (૨૧૮). तेरिकारस नव सग, पण तिन्निग पयर सव्विगुणवन्ना । सीमंताई अपइ-ट्ठाणंता इंदया मज्झे ॥२१६॥ પ્રથમ નરકમાં ૧૩ પ્રતર, બીજીમાં ૧૧, ત્રીજીમાં ૯, ચોથીમાં ૭, પાંચમીમાં ૫, છઠ્ઠીમાં ૩, અને સાતમીમાં ૧ પ્રતર હોય છે. પ્રત્યેક પ્રતરના મધ્યમાં ઈન્દ્રક નરકાવાસા છે, પહેલા પ્રતરના મધ્યમાં સીમંત નામનો નરકાવાસો છે અને છેલ્લા પ્રતરના મધ્યમાં અપ્રતિષ્ઠાન નામનો નરકાવાસ છે. (૨૧૯) सीमंतउत्थ पढमो, बीओ पुण रोरुअ ति नायव्यो । भंतो उण त्थ तइओ, चउत्थओ होइ उन्भंतो ॥२२०॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy